પ્લાસ્ટિક દંડ માટે ટીમો અને પાણી ટાંકા ભરવા કયારે ટીમ બનાવશે ?
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનાર પર પલાસ્ટીક પ્રતિબંધ નિયમનો કડક અમલ કરાવી ગીરનાર પર યાત્રિકોને પીવાના પાણીની સમસ્યા ન થાય તેના માટે ગીરનાર સીડી પર પાંચ જગ્યાએ પાણીના ટાંકા મુકવામાં આવ્યા છે.ત્યારે પાણીના ટાંકા ખાલી જોવા મળી રહ્યા છે જયારે પાણીના ટાંકા ખાલી હોવાથી યાત્રિકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે.અને વધારે રૂપિયા ખર્ચીને પાણી ખરીદવા મજબુર બન્યા છે.
- Advertisement -
એક તરફ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર પર કડક અમલવારી એ વાત પ્રર્યાવરણ માટે ખુબ જરૂરી છે સાથે સાથે યાત્રિકો માટે પાણીની વ્યવસ્થા કરવાની ફરજ તંત્ર છે તંત્રે ગીરનાર પર પાણી માટે વ્યવસ્થા તો કરી પણ ખાલી ટાંકા હોવાથી ભાવિકોમાં રોષ જોવા મળ્યો હતો અને અને ગિરનાર યાત્રા સમયે પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો બીજી તરફ તંત્ર દ્વારા અલગ અલગ ટીમ બનાવી પ્લાસ્ટિક મળી આવેતો દંડ સહીતની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે તંત્ર દ્વારા અલગ અલગ ટીમ બનાવી પીવાના પાણીના ટાંકા ભરવા જોઈએ તેવું ગીરનાર આવતા ભાવીકોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
જુનાગઢ મહાશિવરાત્રીનો મેળો કરવા પધારેલા લાખો યાત્રિકોએ ગિરનાર પર્વતના ધર્મસ્થાનોની પણ યાત્રા કરી હતી. આ વખતે પ્લાસ્ટિક મુક્ત ગિરનારના અભિયાનમાં તંત્ર દ્વારા યાત્રિકોને પીવાના પાણી સમસ્યા ન થાય તેના માટે પાણીન ટાંકા મુક્યા પણ ખાલી ટાંકા હોવાથી યાત્રિકોને મૂર્ખ બનાવ્યા છે ફક્ત ખાલી પાણીના ટાંકા સીડી ઉપર ગોઠવી દેતા યાત્રિકો પાણી માટે વલખા મારી રહ્યા છે ના છૂટકે યાત્રી કો પાણીની એક બોટલના રૂ.50, 60, 70 આપી રહ્યા છે ગિરનારની સીડી ઉપર કુલ પાંચ જગ્યાએ પાણીના ટાંકા મુકેલા છે જેમાં એક ટાંકો 70 પગથિયે બીજો 700 પગથિયે ત્રીજો પંદરસો અને ચોથો ટાંકો 2200 પગથિયે અને 5000 પગથિયાં અંબાજી મંદિર હેલીપેડ ગ્રાઉન્ડ નજીક મુકેલો છે
આમ કુલ પાંચ જગ્યાએ પાણીના પોઇન્ટ ઊભા કરાયા છે પણ તેમાં પાણી ન હોવાથી યાત્રિકો પાણી વગર પરેશાન થતા જોવા મળ્યા છે.અને તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો