શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાથી સમગ્ર સોરઠમાં દિવાળી
ગિરનાર ટોચ પર બિરાજમાન દેવ સ્થાનોમાં જય શ્રીરામ નાદ ગુંજ્યો
- Advertisement -
શ્રીરામ પૂજન, શોભાયાત્રા, આતશબાજી સાથે રામલીલા યોજાઇ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ: અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રીરામ ભગવાનની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીન હસ્તે શ્રીરામલલાની નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતા સમગ્ર દેશની સાથે સોરઠ પંથકમાં દિવાળી જોવા માહોલ સર્જાયો છે.તમામ શ્રીરામ મંદિર સહીત ધર્મ સ્થાનોમાં મહાપૂજા સહીત વીશેષ પૂજન અર્ચન સાથે ભક્તિ મય માહોલ વચ્ચે રામ ભક્તો દ્વારા જય જય શ્રીરામના જય ઘોસ સાથે અનેરો ઉત્સાહ જોવા મળ્યો જાણે રામ રાજ્યની સ્થાપનાની અનુભૂતિ જોવા મળી હતી સમગ્ર વાતાવરણ રામ મય બની ગયું હતું.
જૂનાગઢ શહેરમાં ગઈકાલ થી ભક્તિ મય માહોલ વચ્ચે શહેરમાં ઠેર ઠેર પ્રભુ શ્રીરામની શોભાયાત્રા સાથે ઐતિહાસિક બહુદીન કોલેજના પટાંગણમાં દિલ્હીના કલાકારો દ્વારા ભવ્ય રામલીલા યોજાય હતી હકડ઼ેઠઠ મેદની વચ્ચે શ્રીરામ ભગવાનની ઝાંખી રામલીલામાં જોવા મળી હતી ત્યારે શહેરમાં સવારથી રામ મય બન્યું હતું ઝાંઝરડા રોડ ખાતેથી વિશ્વ હિન્દૂ પરિષદ સાથે ધાર્મિક સંસ્થા દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. લોકોએ શોભાયાત્રામાં બોહળી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર રોડ પર આતશબાજી સાથે જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ રામ બની ગયું હતું શહેરીજનોએ પ્રભુ શ્રીરામ સાક્ષાત પધાર્યા હોય તેવી અનુભૂતિ સાથે ભક્તિ મય માહોલમાં પ્રભુ શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠાની અનુભિતી સમગ્ર સોરઠ પંથકમાં જોવા મળી હતી. ગિરનાર ટોચ પર બિરાજમાન જગત જનનીમાં અંબાના નિજ મંદિરમાં ફૂલોથી રંગોળી કરવામાં આવી હતી અને દીપ પ્રગટાવી મંદિરને ઝળહળિત કર્યું હતું તેની વિશેષ શુશોભન સાથે માતાજીની વિશેષ આરતી અને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તો દ્વારા મહા પ્રસાદનું આયોજન અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બાપુ દ્વારા કરવામાં આવેલ હતું ત્યારે ગિરનાર પર્વત પરના તમામ દેવી દેવતાના ધર્મ સ્થાનોમાં જય જય શ્રીરામના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.
આજના દિવસે સમગ્ર શહેર શરીરં બન્યું હતું તમામ મંદિરોમાં સવારથી સાંજ સુધી ધાર્મિક કાર્યક્રમ યોજાયા રહ્યા છે.જેમાં નાની શેરીથી લઈને શહેરના મુખ્ય મંદિરમાં પ્રભુ શ્રીરામની ઝાંખી સાથે સત્સંગના આયોજન કરવામાં આવ્યા છે. સૌકોઈ સાથે મળીને રામ ભગવાનના વધામણાં માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં મહા આરતી, મંદિરોનો વિશેષ શણગાર સાથે આતશબાજી સાથે ભક્તો માટે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મોડી રાત્રે પણ શહેરમાં દિવાળી જેવા માહોલ સાથે આતશબાજી સાથે રામલલાના વધામણાં કરવા અનેરો ઉત્સાહ ભક્તોમાં જોવા મળ્યો હતો.