રામભક્તોને આમંત્રિત કરવા માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અક્ષત પૂજનનું આયોજન
પૂજીત અક્ષતને દેશના ખૂણે-ખૂણે જનમાનસ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે અને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે
ખાસ-ખબર સંવાદદાતા
આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પાવન અવસરે દેશના તમામ રામભક્તોને આમંત્રિત કરવા માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અક્ષત પૂજન કરવામાં આવ્યું હતું. પૂજા કરવામાં આવેલા રામ મંદિર અયોધ્યાના આ અક્ષતને દેશના ખૂણે-ખૂણે જનમાનસ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે અને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનો દ્વારા હાલ દેશના ગામેગામ આ આમંત્રણરૂપી અક્ષત પહોંચાડવામાં આવી રહ્યા છે. આજ રોજ ખાસ-ખબર કાર્યાલય ખાતે અયોધ્યાથી આવેલા પૂજીત અક્ષત કળશનું આગમન થયું હતું. ખાસ-ખબરના મેનેજિંગ ડિરેક્ટર પરેશ ડોડિયા, એડિટર કિન્નર આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ દ્વારા અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે સંઘના અધિકારીઓ અને સ્વંયસેવક પંકજભાઈ રાવલ, જયેશભાઈ સંઘાણી, બાદલભાઈ સોમમાણેક, સી.એ. ભાવેશભાઈ રાયઠઠા, દિવ્યાંગભાઈ ચોટલીયા, અરવિંદભાઈ સોજીત્રા, વિનોદભાઈ ચોટલીયા, ભુપતભાઈ ગોવાણી ઉપસ્થિત રહ્યા હતાં.
- Advertisement -