By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ
    13 hours ago
    UKમાં રહેવું હોય તો અંગ્રેજી આવડવી જ જોઈએ, 10 વર્ષે મળશે નાગરિકતા
    13 hours ago
    મ્યાનમારમાં સેનાએ શાળા પર કરી બૉમ્બ વર્ષા: 2 શિક્ષકો અને 20 વિદ્યાર્થીઓના મોત; અનેક ઘાયલ
    15 hours ago
    યુદ્ધવિરામની હાકલ છતાં રશિયા ડ્રોનથી હુમલો કરી રહ્યું છે; ઝેલેન્સકીએ પુતિનને તુર્કીમાં મળવાનો પડકાર ફેંક્યો
    18 hours ago
    યુક્રેન સાથે બિનશરતી વાટાઘાટો કરવા રશિયા તૈયાર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ
    13 hours ago
    પાકિસ્તાન શા માટે સીઝફાયર માટે મોદીનાં ઘૂંટણિયે પડ્યું
    14 hours ago
    પંજાબના અમૃતસરના મજીઠા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી કુલ 14 લોકોના મોત અને છ લોકોની હાલત ગંભીર
    16 hours ago
    પહેલગામ આતંકવાદી હુમલાના શંકાસ્પદોના પોસ્ટર લાગ્યા; 20 લાખ રૂપિયાના ઇનામનું એલાન
    16 hours ago
    ઓપરેશન કેલર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેના સાથેની અથડામણમાં લશ્કરના 3 આતંકવાદીઓ ઠાર
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોહિત અને વિરાટની નિવૃત્તિ બાદ ટેસ્ટ ટીમમાં નવોદિતો માટે ભરપુર તક
    14 hours ago
    17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર ફાઇનલ 3 જૂને: અમદાવાદની મેચ યથાવત
    14 hours ago
    ગાવસ્કરનું વિરાટ-રોહિત અંગે આશ્ચર્યજનક નિવેદન: શું તેઓ ODI વર્લ્ડ કપ 2027 રમશે?
    16 hours ago
    WTC ફાઇનલ માટે ઓસ્ટ્રેલિયા તૈયાર: ટીમની જાહેરાત કરી; કેમેરોન ગ્રીન પરત ફર્યા પણ 4 ખેલાડીઓ બહાર
    17 hours ago
    ટેસ્ટ નિવૃત્તિના બીજા દિવસે વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યો
    18 hours ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    16 hours ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    17 hours ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    6 days ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    7 days ago
    પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    2 days ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    2 days ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    1 week ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    1 week ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 days ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    6 days ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    4 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    4 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના જમીન-મકાનના ધંધાર્થી સાથે 3 કરોડની છેતરપિંડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > રાજકોટના જમીન-મકાનના ધંધાર્થી સાથે 3 કરોડની છેતરપિંડી
TALK OF THE TOWN

રાજકોટના જમીન-મકાનના ધંધાર્થી સાથે 3 કરોડની છેતરપિંડી

Khaskhabar Editor
Last updated: 2024/08/30 at 5:35 PM
Khaskhabar Editor 9 months ago
Share
8 Min Read
SHARE

ભગવો લજવવાની સ્વામિનારાયણ સંપ્રદાયની ભવ્ય પરંપરા અવિરત ચાલું…

510 વીઘામાં મંદિર અને ગૌશાળા બનાવવાનું કહી શીશામાં ઉતાર્યા

- Advertisement -

ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપી

સુરતમાં બે, નડિયાદ, આણંદ અને વિરમગામમાં એક-એક ગુના
રાજકોટના વેપારી સાથે 3 કરોડની ઠગાઇ આચરનાર સંત ટોળકી સામે અગાઉ પણ છેતરપિંડીના પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે જેમા સુરત ડીસીબીમાં એક, સુરત વરાછામાં એક, આણંદ ટાઉનમાં એક, નડિયાદ ટાઉનમાં એક અને વિરમગામમાં એક ગુનો નોંધાઈ ચૂક્યો છે રાજકોટના એક સહિત કુલ અર્ધો ડઝન ગુના નોંધાઈ ચૂક્યા છે જે તમામમાં આરોપીઓ પકડવાના બાકી છે.

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30

રાજકોટના જમીન મકાનના ધંધાર્થીને જમીનનો સોદો નક્કી કરાવી સારું વળતર મળશે તેવી લાલચ આપી 510 વીઘા જમીનમાં મંદિર અને ગૌશાળા બનાવવાનું કહી 3 કરોડની છેતરપિંડી આચરનાર વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કઢાયેલા 4 સ્વામી સહિત આંઠ સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

શહેરના મવડી મેઇન રોડ પર નવલનગરમાં રહેતાં અને ભક્તિનગર સર્કલ પાસે મેઘાણી રંગ ભવનમાં પહેલા માળે ઓફિસમાં ભાગીદાર જય મોલીયા સાથે જમીન મકાન લે-વેંચનો વ્યવસાય કરતાં જસ્મીનભાઇ બાલાશંકરભાઇ માઢક ઉ.45એ ધોરજીના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફ વીપીસ્વામી, જુનાગઢના જયકૃષ્ણ સ્વામી ઉર્ફ જેકે સ્વામી, ભરૂચના માધવપ્રિય સ્વામી ઉર્ફ એમપી સ્વામી, આણંદના દેવપ્રકાશ સ્વામી ઉર્ફ દેવપ્રીય સ્વામી, સુરતના લાલજી બાવભાઇ ઢોલા, સુરેશભાઇ ઘોરી, ગાંધીનગર પીપળજ ગામના ભુપેન્દ્ર શનાભાઇ પટેલ અને લીંબના વિજયસિંહ આલુસિંહ ચૌહાણ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આઇપીસી 406, 409, 420, 120-બી મુજબ કાવત્રુ ઘડી ઠગાઇ કર્યાની નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે બે વર્ષ પહેલાં હું સુરતમાં સેક્ધડ હેન્ડ કાર લેવા જતાં ઓટો બ્રોકર સુરેશ તુલસીભાઈ ઘોરી સાથે મુલાકાત થઈ હતી. તે વખતે મેં હું જમીનની દલાલીનું કામ પણ કરુ છું તેવુ કહ્યું હતું. થોડા સમય બાદ સુરેશે મારા ભાગીદાર જયને કોલ કરી જમીન બાબતે વાતચીત કરવા માટે રૂબરૂ મળવા માગે છે તેમ કહ્યું હતું.

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયએ હાંકી કાઢેલા ચાર સ્વામી સહિત આઠ સામે ફરિયાદ

ત્યાર પછી સુરેશ ગઈ તા.16-1-2024 ના રોજ અમારી ઓફિસે આવ્યો હતો. તે વખતે તેણે સાથે રહેલા શખ્સની ઓળખાણ લાલજીભાઈ ઢોલા તરીકે કરાવી કહ્યું કે તે વડતાલ મંદિરના ખજાનચી છે. દહેગામ પાસે લીંબ ગામ છે. જયાં 510 વિઘા જમીન ઉપર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સાધુ વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વી. પી. સ્વામી, જયકળષ્ણ સ્વામી ઉર્ફે જે.કે. સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી અને દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી ગૌશાળા અને મોટું મંદિર બનાવવા માગે છે. જે માટે જમીન ખરીદવાની છે. જો તેમાં તમે રોકાણ કરશો તો સારો એવો નફો અને વળતર મળશે.
થોડા સમય પછી મને અને ભાગીદાર જયને અંકલેશ્વર બોલાવી ઋષિકુળ ગૌધામ ખાતે ચારેય સ્વામી સાથે પરિચય કરાવ્યો હતો. તે વખતે ચારેય સ્વામીઓએ કહ્યું કે લીંબ ગામની 510 વિઘા ખેતીની જમીન જો અમે ખેડૂતો પાસેથી સીધા ખરીદી કરવા જશું તો વધારે ભાવ લેશે. જેથી તમે વેપારી તરીકે જઈ જમીનનો સોદો કરો. સુથી પેટે જે રકમ આપવાની થાય તે તમે આપજો અને સાટાખત તમારા નામે કરાવી નાખજો. ત્યાર પછી અમે કહીએ તેના નામે દસ્તાવેજ કરાવીઆપજો. અસલ સાટાખત તમે આપશો એટલે તમારી રોકાણ કરેલી રકમ પાંચ દિવસમાં પરત આપી દેશું. દસ્તાવેજ થઈ જાય એટલે તમને એક વિઘાના રૂા. 1 લાખ વળતર પણ આપશું. અમારે દાનની રકમ કેનેડાના દાતા તરફથી આવવાની છે. આ વખતે લાલજીભાઈએ મંદિરનો થ્રી-ડી પ્લાન પણ બતાવતા અમને વિશ્વાસ બેસી ગયો હતો આ વાતચીત થયા બાદ દહેગામ પાસે આવેલ પીપલોજ ગામે અમે ગયા હતા. તે વખતે સુરેશે ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને વિજયસિંહ આલુસિંહ ચૌહાણની ખેડૂત તરીકે ઓળખાણ કરાવી હતી.

શરૂઆતમાં બંનેએ રૂા. 20 લાખ વિઘાના ક્હ્યા હતા. રકઝકના અંતે રૂા.18 લાખમાં સોદો થયો હતો. તે વખતે સુથી પેટે રૂા.3 કરોડ આપવાની વાતચીત થઈ હતી. તેના બે દિવસ પછી તે અને જય આણંદ ગયા હતા. જયાં સુરેશનો સંપર્ક કરી તેની સાથે સીધેશ્વર ગૌશાળાએ ગયા હતા. જયાં ફરીથી ચારેય સ્વામીઓ સાથે મુલાકાત થતાં તેને જમીનના સોદાની વાત કરી હતી.

અમને સુથી પેટે રૂા.3 કરોડ આપવા પડશે તેવી વાત પણ કહેતાં વિજયપ્રકાશ સ્વામીએ લાલજીભાઈ સાથે રૂા. 50 લાખ મોકલવાની વાત કરી હતી. નક્કી થયા મુજબ સુરેશભાઈ બંને ખેડૂતોને લઈને તેની ઓફિસે આવ્યા હતા. જયાં તેમને રૂા. 2.50 લાખ ટોકન પેટે આપ્યા હતા. આ પછી તે અને જય બંનેના કોમન મિત્ર સંજય પરસાણા અને જયની પત્ની ધરતીબેન ખાતેદાર ખેડૂત હોવાથી તેની સાથે ખેડૂત ભૂપેન્દ્રભાઈના ઘરે પહોંચ્યા હતા. જયાં રાત રોકાયા બાદ બીજે દિવસે સાટાખત તૈયાર કરાવ્યું હતું. તે વખતે લાલજીએ રૂા. 50 લાખ આપ્યા હતા. બાકીની રકમ મળી કુલ રૂા. 3 કરોડ બંનેએ ખેડૂતોને ચુકવ્યા હતા. જેનું મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડીંગ પણ કર્યું હતું. તે વખતે બંને ખેડૂતોએ લીંબ ગામની સર્વેનંબરની અલગ-અલગ જમીન તેના અને ધરતીબેનના નામે નોટરાઈઝ કરી આપી હતી. જયાંથી સીધા આણંદની સીધેશ્વર ગૌશાળા ખાતે ગયા હતા ત્યારે દેવપ્રકાશ સ્વામીને અસલ સાટાખત બતાવતાં તેણે કહ્યું કે હું નૌતમસ્વામીને બતાવીને આવું, ચાર-પાંચ દિવસ પછી તમને અસલ સાટાખત અને રોકાણ કરેલી રકમ પાછી આપી દેશું તેમ કહ્યું હતું. જેથી અમે તેને સાટાખત આપી રાજકોટ આવી ગયા હતા. તેના ત્રણ-ચાર દિવસ પછી સુરેશના કહેવાથી આણંદની સીધેશ્વર ગૌશાળામાં દેવપ્રકાશ અને વિજયપ્રકાશ સ્વામીને મળતા બંનેએ કહ્યું કે વડતાલ મંદિરેથી બધું ફાઈનલ થઈ ગયું છે તેમ કહી અસલ સાટાખત આપી દીધું હતું. સાથોસાથ કહ્યું કે કેનેડાના દાતા હાલ દુબઈ છે. જેથી તેમની સાથે કોન્ટ્રાકટ કરવાનો છે તેમ કહી અમને બંનેને પણ દુબઈ આવવાનું કહેતાં ગઈ તા.13-2-2024ના રોજ દુબઈ પહોંચ્યા હતા.
જયાં દેવપ્રકાશ સ્વામી અને લાલજીભાઈ મળ્યા હતા. એટલું જ નહીં બંનેએ બે દાતાઓની પણ ઓળખાણ કરાવી હતી. જેમાંથી એકનું નામ આનંદજી હતું. બંને દાતાઓએ ત્રણ કટકે જમીન લેવા માટેની રકમ મંદિરના બેન્ક ખાતામાં જમા કરાવવાની વાત કરી કહ્યું કે જેમ-જેમ દસ્તાવેજ થાય તેમ તેની કોપી અમને મોકલી આપજો, એટલે અમે રકમ મંદિરના બેન્ક ખાતામાં મોકલી આપશું. આટલી વાતચીત થયા બાદ રાજકોટ પરત ફર્યા હતા. તેના ત્રણ-ચાર દિવસે તેના ભાગીદાર જયે વિજયપ્રકાશ અને દેવપ્રકાશ સ્વામીને પેમેન્ટ કયારે પાછું મળશે તેવું પૂછતાં બંનેએ બહાના બતાવ્યા હતા. આ દરમિયાન ખેડૂત ભૂપેન્દ્રએ જયને કોલ કરી રૂા. 1 કરોડની માગણી કરી હતી. જેથી જયે આ વાત લાલજીભાઈને કરતાં તેણે કહ્યું કે હું સ્વામી સાથે વાત કરીને કહું છું. બાદમાં તેણે સ્વામી હાલ રૂા. 20 લાખ સુરેશ સાથે ખેડૂતને મોકલાવી દેશે, જયારે બીજી રકમ હાલ તમારે દેવી પડશે તેમ કહેતાં તેણે રૂા.પપ લાખ આંગડીયા મારફત ભૂપેન્દ્રને મોકલી દીધા હતા.

આ પછી અમે જમીનના સોદામાં જે રોકાણ કર્યું હતું તે રકમ પરત આપવા માટે અવાર-નવાર માગણી કરતાં આરોપીઓ બહાના બતાવતા હતા. આખરે તેમને જાણવા મળ્યું હતું કે આણંદમાં સ્વામિનારાયણ મંદિરના બહાને સુરતના તબીબ સાથે રૂા. 1.34 કરોડની ઠગાઈ થઈ છે, જેમાં આરોપી તરીકે સુરેશભાઈ અને જયપ્રકાશ સ્વામીનું નામ હતું. પરિણામે પરિસ્થિતિ પામી જતાં આખરે ચારેય સ્વામી ઉપરાંત લાલજીભાઈ, સુરેશભાઈ, ભૂપેન્દ્ર અને વિજયસિંહ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી આ કેસની ફરિયાદ ગઈ તા. 23ના રોજ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાઈ હતી. તપાસ આર્થિક ગુના નિવારણ સેલના પીઆઇ એમ. જે. કૈલાની ટીમે હાથ ધરી છે.

You Might Also Like

રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!

મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન

સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે

જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..

મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?

TAGGED: BUSINESSMAN, fraud, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુપ્રીમ કોર્ટમાં 83 હજાર કેસ પેન્ડિંગ
Next Article અલ્પના મિત્રા, વિક્રમ પુજારાને કશું થશે તો પૈસા પરથી આપણી શ્રદ્ધા ઉઠી જશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
સિવિલ હોસ્પિટલમાં 15 વર્ષથી વિખૂટા પડેલા પિતા-પુત્રનું મિલન
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા સંપૂર્ણ સાજા : સેવા કાર્યોમાં ફરી વ્યસ્ત
રાજકોટમાં એકલવાયું જીવન જીવતા મહિલા નર્સની બદકામના ઇરાદે હત્યા
મોરબી: પંચાસર રોડનું કામ ક્યાં ટલ્લે ચડ્યું! સ્થાનિકો-વાહનચાલક પરેશાન
બાગાયતી ખાતાના વિવિધ 20 ઘટકોમાં સહાય લેવા માટે 9 જૂન સુધી શ – ખેડૂત પોર્ટલ 2.0 ખૂલ્લું મુકાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
TALK OF THE TOWNરાજકોટ

મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
TALK OF THE TOWNરાજકોટ

સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?