By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    20 hours ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    20 hours ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    2 days ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    2 days ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    15 hours ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    18 hours ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    19 hours ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    20 hours ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    20 hours ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    2 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    4 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    6 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    18 hours ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    19 hours ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    19 hours ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    2 days ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના જમીન-મકાનના ધંધાર્થી સાથે 3 કરોડની છેતરપિંડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > રાજકોટના જમીન-મકાનના ધંધાર્થી સાથે 3 કરોડની છેતરપિંડી
TALK OF THE TOWN

રાજકોટના જમીન-મકાનના ધંધાર્થી સાથે 3 કરોડની છેતરપિંડી

Khaskhabar Editor
Last updated: 2024/08/30 at 5:35 PM
Khaskhabar Editor 1 year ago
Share
8 Min Read
SHARE

ભગવો લજવવાની સ્વામિનારાયણ સંપ્રદાયની ભવ્ય પરંપરા અવિરત ચાલું…

510 વીઘામાં મંદિર અને ગૌશાળા બનાવવાનું કહી શીશામાં ઉતાર્યા

- Advertisement -

ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપી

સુરતમાં બે, નડિયાદ, આણંદ અને વિરમગામમાં એક-એક ગુના
રાજકોટના વેપારી સાથે 3 કરોડની ઠગાઇ આચરનાર સંત ટોળકી સામે અગાઉ પણ છેતરપિંડીના પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે જેમા સુરત ડીસીબીમાં એક, સુરત વરાછામાં એક, આણંદ ટાઉનમાં એક, નડિયાદ ટાઉનમાં એક અને વિરમગામમાં એક ગુનો નોંધાઈ ચૂક્યો છે રાજકોટના એક સહિત કુલ અર્ધો ડઝન ગુના નોંધાઈ ચૂક્યા છે જે તમામમાં આરોપીઓ પકડવાના બાકી છે.

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30

રાજકોટના જમીન મકાનના ધંધાર્થીને જમીનનો સોદો નક્કી કરાવી સારું વળતર મળશે તેવી લાલચ આપી 510 વીઘા જમીનમાં મંદિર અને ગૌશાળા બનાવવાનું કહી 3 કરોડની છેતરપિંડી આચરનાર વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કઢાયેલા 4 સ્વામી સહિત આંઠ સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

શહેરના મવડી મેઇન રોડ પર નવલનગરમાં રહેતાં અને ભક્તિનગર સર્કલ પાસે મેઘાણી રંગ ભવનમાં પહેલા માળે ઓફિસમાં ભાગીદાર જય મોલીયા સાથે જમીન મકાન લે-વેંચનો વ્યવસાય કરતાં જસ્મીનભાઇ બાલાશંકરભાઇ માઢક ઉ.45એ ધોરજીના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફ વીપીસ્વામી, જુનાગઢના જયકૃષ્ણ સ્વામી ઉર્ફ જેકે સ્વામી, ભરૂચના માધવપ્રિય સ્વામી ઉર્ફ એમપી સ્વામી, આણંદના દેવપ્રકાશ સ્વામી ઉર્ફ દેવપ્રીય સ્વામી, સુરતના લાલજી બાવભાઇ ઢોલા, સુરેશભાઇ ઘોરી, ગાંધીનગર પીપળજ ગામના ભુપેન્દ્ર શનાભાઇ પટેલ અને લીંબના વિજયસિંહ આલુસિંહ ચૌહાણ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આઇપીસી 406, 409, 420, 120-બી મુજબ કાવત્રુ ઘડી ઠગાઇ કર્યાની નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે બે વર્ષ પહેલાં હું સુરતમાં સેક્ધડ હેન્ડ કાર લેવા જતાં ઓટો બ્રોકર સુરેશ તુલસીભાઈ ઘોરી સાથે મુલાકાત થઈ હતી. તે વખતે મેં હું જમીનની દલાલીનું કામ પણ કરુ છું તેવુ કહ્યું હતું. થોડા સમય બાદ સુરેશે મારા ભાગીદાર જયને કોલ કરી જમીન બાબતે વાતચીત કરવા માટે રૂબરૂ મળવા માગે છે તેમ કહ્યું હતું.

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયએ હાંકી કાઢેલા ચાર સ્વામી સહિત આઠ સામે ફરિયાદ

ત્યાર પછી સુરેશ ગઈ તા.16-1-2024 ના રોજ અમારી ઓફિસે આવ્યો હતો. તે વખતે તેણે સાથે રહેલા શખ્સની ઓળખાણ લાલજીભાઈ ઢોલા તરીકે કરાવી કહ્યું કે તે વડતાલ મંદિરના ખજાનચી છે. દહેગામ પાસે લીંબ ગામ છે. જયાં 510 વિઘા જમીન ઉપર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સાધુ વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વી. પી. સ્વામી, જયકળષ્ણ સ્વામી ઉર્ફે જે.કે. સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી અને દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી ગૌશાળા અને મોટું મંદિર બનાવવા માગે છે. જે માટે જમીન ખરીદવાની છે. જો તેમાં તમે રોકાણ કરશો તો સારો એવો નફો અને વળતર મળશે.
થોડા સમય પછી મને અને ભાગીદાર જયને અંકલેશ્વર બોલાવી ઋષિકુળ ગૌધામ ખાતે ચારેય સ્વામી સાથે પરિચય કરાવ્યો હતો. તે વખતે ચારેય સ્વામીઓએ કહ્યું કે લીંબ ગામની 510 વિઘા ખેતીની જમીન જો અમે ખેડૂતો પાસેથી સીધા ખરીદી કરવા જશું તો વધારે ભાવ લેશે. જેથી તમે વેપારી તરીકે જઈ જમીનનો સોદો કરો. સુથી પેટે જે રકમ આપવાની થાય તે તમે આપજો અને સાટાખત તમારા નામે કરાવી નાખજો. ત્યાર પછી અમે કહીએ તેના નામે દસ્તાવેજ કરાવીઆપજો. અસલ સાટાખત તમે આપશો એટલે તમારી રોકાણ કરેલી રકમ પાંચ દિવસમાં પરત આપી દેશું. દસ્તાવેજ થઈ જાય એટલે તમને એક વિઘાના રૂા. 1 લાખ વળતર પણ આપશું. અમારે દાનની રકમ કેનેડાના દાતા તરફથી આવવાની છે. આ વખતે લાલજીભાઈએ મંદિરનો થ્રી-ડી પ્લાન પણ બતાવતા અમને વિશ્વાસ બેસી ગયો હતો આ વાતચીત થયા બાદ દહેગામ પાસે આવેલ પીપલોજ ગામે અમે ગયા હતા. તે વખતે સુરેશે ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને વિજયસિંહ આલુસિંહ ચૌહાણની ખેડૂત તરીકે ઓળખાણ કરાવી હતી.

શરૂઆતમાં બંનેએ રૂા. 20 લાખ વિઘાના ક્હ્યા હતા. રકઝકના અંતે રૂા.18 લાખમાં સોદો થયો હતો. તે વખતે સુથી પેટે રૂા.3 કરોડ આપવાની વાતચીત થઈ હતી. તેના બે દિવસ પછી તે અને જય આણંદ ગયા હતા. જયાં સુરેશનો સંપર્ક કરી તેની સાથે સીધેશ્વર ગૌશાળાએ ગયા હતા. જયાં ફરીથી ચારેય સ્વામીઓ સાથે મુલાકાત થતાં તેને જમીનના સોદાની વાત કરી હતી.

અમને સુથી પેટે રૂા.3 કરોડ આપવા પડશે તેવી વાત પણ કહેતાં વિજયપ્રકાશ સ્વામીએ લાલજીભાઈ સાથે રૂા. 50 લાખ મોકલવાની વાત કરી હતી. નક્કી થયા મુજબ સુરેશભાઈ બંને ખેડૂતોને લઈને તેની ઓફિસે આવ્યા હતા. જયાં તેમને રૂા. 2.50 લાખ ટોકન પેટે આપ્યા હતા. આ પછી તે અને જય બંનેના કોમન મિત્ર સંજય પરસાણા અને જયની પત્ની ધરતીબેન ખાતેદાર ખેડૂત હોવાથી તેની સાથે ખેડૂત ભૂપેન્દ્રભાઈના ઘરે પહોંચ્યા હતા. જયાં રાત રોકાયા બાદ બીજે દિવસે સાટાખત તૈયાર કરાવ્યું હતું. તે વખતે લાલજીએ રૂા. 50 લાખ આપ્યા હતા. બાકીની રકમ મળી કુલ રૂા. 3 કરોડ બંનેએ ખેડૂતોને ચુકવ્યા હતા. જેનું મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડીંગ પણ કર્યું હતું. તે વખતે બંને ખેડૂતોએ લીંબ ગામની સર્વેનંબરની અલગ-અલગ જમીન તેના અને ધરતીબેનના નામે નોટરાઈઝ કરી આપી હતી. જયાંથી સીધા આણંદની સીધેશ્વર ગૌશાળા ખાતે ગયા હતા ત્યારે દેવપ્રકાશ સ્વામીને અસલ સાટાખત બતાવતાં તેણે કહ્યું કે હું નૌતમસ્વામીને બતાવીને આવું, ચાર-પાંચ દિવસ પછી તમને અસલ સાટાખત અને રોકાણ કરેલી રકમ પાછી આપી દેશું તેમ કહ્યું હતું. જેથી અમે તેને સાટાખત આપી રાજકોટ આવી ગયા હતા. તેના ત્રણ-ચાર દિવસ પછી સુરેશના કહેવાથી આણંદની સીધેશ્વર ગૌશાળામાં દેવપ્રકાશ અને વિજયપ્રકાશ સ્વામીને મળતા બંનેએ કહ્યું કે વડતાલ મંદિરેથી બધું ફાઈનલ થઈ ગયું છે તેમ કહી અસલ સાટાખત આપી દીધું હતું. સાથોસાથ કહ્યું કે કેનેડાના દાતા હાલ દુબઈ છે. જેથી તેમની સાથે કોન્ટ્રાકટ કરવાનો છે તેમ કહી અમને બંનેને પણ દુબઈ આવવાનું કહેતાં ગઈ તા.13-2-2024ના રોજ દુબઈ પહોંચ્યા હતા.
જયાં દેવપ્રકાશ સ્વામી અને લાલજીભાઈ મળ્યા હતા. એટલું જ નહીં બંનેએ બે દાતાઓની પણ ઓળખાણ કરાવી હતી. જેમાંથી એકનું નામ આનંદજી હતું. બંને દાતાઓએ ત્રણ કટકે જમીન લેવા માટેની રકમ મંદિરના બેન્ક ખાતામાં જમા કરાવવાની વાત કરી કહ્યું કે જેમ-જેમ દસ્તાવેજ થાય તેમ તેની કોપી અમને મોકલી આપજો, એટલે અમે રકમ મંદિરના બેન્ક ખાતામાં મોકલી આપશું. આટલી વાતચીત થયા બાદ રાજકોટ પરત ફર્યા હતા. તેના ત્રણ-ચાર દિવસે તેના ભાગીદાર જયે વિજયપ્રકાશ અને દેવપ્રકાશ સ્વામીને પેમેન્ટ કયારે પાછું મળશે તેવું પૂછતાં બંનેએ બહાના બતાવ્યા હતા. આ દરમિયાન ખેડૂત ભૂપેન્દ્રએ જયને કોલ કરી રૂા. 1 કરોડની માગણી કરી હતી. જેથી જયે આ વાત લાલજીભાઈને કરતાં તેણે કહ્યું કે હું સ્વામી સાથે વાત કરીને કહું છું. બાદમાં તેણે સ્વામી હાલ રૂા. 20 લાખ સુરેશ સાથે ખેડૂતને મોકલાવી દેશે, જયારે બીજી રકમ હાલ તમારે દેવી પડશે તેમ કહેતાં તેણે રૂા.પપ લાખ આંગડીયા મારફત ભૂપેન્દ્રને મોકલી દીધા હતા.

આ પછી અમે જમીનના સોદામાં જે રોકાણ કર્યું હતું તે રકમ પરત આપવા માટે અવાર-નવાર માગણી કરતાં આરોપીઓ બહાના બતાવતા હતા. આખરે તેમને જાણવા મળ્યું હતું કે આણંદમાં સ્વામિનારાયણ મંદિરના બહાને સુરતના તબીબ સાથે રૂા. 1.34 કરોડની ઠગાઈ થઈ છે, જેમાં આરોપી તરીકે સુરેશભાઈ અને જયપ્રકાશ સ્વામીનું નામ હતું. પરિણામે પરિસ્થિતિ પામી જતાં આખરે ચારેય સ્વામી ઉપરાંત લાલજીભાઈ, સુરેશભાઈ, ભૂપેન્દ્ર અને વિજયસિંહ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી આ કેસની ફરિયાદ ગઈ તા. 23ના રોજ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાઈ હતી. તપાસ આર્થિક ગુના નિવારણ સેલના પીઆઇ એમ. જે. કૈલાની ટીમે હાથ ધરી છે.

You Might Also Like

રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો

યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે

આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો

ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ

સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં

TAGGED: BUSINESSMAN, fraud, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુપ્રીમ કોર્ટમાં 83 હજાર કેસ પેન્ડિંગ
Next Article અલ્પના મિત્રા, વિક્રમ પુજારાને કશું થશે તો પૈસા પરથી આપણી શ્રદ્ધા ઉઠી જશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
TALK OF THE TOWNરાજકોટ

યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
TALK OF THE TOWNરાજકોટ

આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?