ભારતમાં ભીષણ ગરમી અને લૂ વચ્ચે અનેક રાજ્યોમાં જળસંકટે મોઢુ ફાડ્યું છે. માત્ર ભારત જ નહીં વિશ્વના અનેક દેશોમાં પાણીની કટોકટી ઉદ્દભવવાનું શરુ થયું છે અને 2030 સુધીમાં દુનિયાના 70 કરોડ લોકોને પાણી માટે હીજરત કરીને અન્ય ભાગોમાં સ્થળાંતર કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ભારતને લાગેવળગે છે ત્યાં સુધી આકરા ઉનાળાને કારણે પાણીની તકલીફ સર્જાવા લાગી છે.
પાટનગર દિલ્હીથી માંડીને આર્થિક રાજધાની મુંબઈ અને સરહદી રાજ્ય જમ્મુ-કાશ્મીરના લોકો જળસંકટનો સામનો કરી રહ્યા છે. નાસિકના અનેક ગામડાઓમાં જળસંકટનો 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. મિરઝાપુર પંથકમાં ત્રણ દિવસે લોકોને માથાદીઠ માત્ર 15 લીટર પાણી મળી રહ્યું છે. છેલ્લા 10 દિવસથી તે ઘટીને 60 થી 70 એમએલડી થઇ ગઇ છે. સમગ્ર ભારતમાં 6 ટકા વસ્તીને પીવાનું શુધ્ધ પાણી મળતું નથી. દુનિયાનાં કુલ ભુગર્ભ જળમાં 25 ટકા માત્ર ભારતમાં જ છે. પાણી મેળવવા માટે ભટકતી મહિલાઓને સરેરાશ 2.66 કરોડ કલાક તેમાં ગાળવા પડે છે.