ધૈર્ય પારેખ, દક્ષાબેન વાઘેલા, ડૉ. શૈલેષભાઈ વસાણી અને મીનાબા જાડેજા ખાસ-ખબરની મુલાકાતે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના વોર્ડ નં. 2માં ભાજપના ઉમેદવારો તરીકે ધૈર્ય પારેખ, દક્ષાબેન વાઘેલા, ડો. શૈલેષભાઈ વસાણી અને મીનાબા જાડેજા સેવા, સંગઠન અને વિકાસના મજબૂત ચહેરા તરીકે ઉભર્યા છે. યુવા નેતૃત્વથી લઈને મહિલાસશક્તિકરણ, આરોગ્યસેવા અને લોકસેવા સુધી ચારેય ઉમેદવારો વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી ચૂક્યા છે અને હાલ પણ કરી રહ્યા છે. આ ચારેય ઉમેદવાર આજે ખાસ-ખબર ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા. જ્યાં ખાસ ખબર ન્યૂઝના ખઉ પરેશભાઇ ડોડીયા સાથે પ્રાસંગીક ચર્ચા કરી હતી. અંતમાં ખાસ ખબર ન્યૂઝના ખઉ પરેશભાઇ ડોડીયાએ ચારેય ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી.
રાજકોટ શહેરના વોર્ડ નં. 2 માં ભારતીય જનતા પાર્ટી (ભા.જ.પા.) તરફથી યુવા નેતા તરીકે ઉભરતા ધૈર્ય પારેખ હાલ રાજકીય અને સામાજિક ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યા છે. બાલ્યકાળથી જ ભા.જ.પા.ની વિચારધારાથી પ્રેરિત ધૈર્ય પારેખ છેલ્લા ઘણા વર્ષોથી નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યા છે અને એક કર્મઠ કાર્યકર્તા તરીકે પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. માત્ર 38 વર્ષની વયે ધૈર્ય પારેખે પોતાના જીવનના 22 વર્ષ સમાજસેવામાં સમર્પિત કર્યા છે. વોર્ડ નં. 2માં જમીન સાથે જોડાયેલા કાર્યકર્તા તરીકે તેઓ વિસ્તારના દરેક પ્રશ્નોથી વાકેફ છે અને પ્રજાજનો વચ્ચે સતત હાજરી તેમની ખાસિયત બની છે. લોકો સાથેનો સીધો સંપર્ક અને સહજ સ્વભાવને કારણે તેઓ લોક લાડીલા તરીકે ઓળખ મેળવી રહ્યા છે. તેમને એમબીએ (ફાઈનાન્સ અને માર્કેટિંગ)માં પ્રથમ વર્ગ સાથે સફળતા મેળવ્યા બાદ તેમણે છેલ્લા 16 વર્ષથી ભારતની પ્રતિષ્ઠિત કંપનીઓમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કામગીરી કરી છે. રોજગાર સહાયતા સેલમાં ક્ધવીનર, રાજકોટ શહેર યુવા ભા.જ.પા.માં મંત્રી, રમત-ગમત સેલમાં ક્ધવીનર, વોર્ડ નં. 2ના મહામંત્રી અને શિક્ષણ સમિતિના સભ્ય તરીકે તેઓ કાર્યરત રહ્યા છે. ઉપરાંત યુવા ભા.જ.પા.માં ત્રણ ટર્મ સુધી પ્રભારી તરીકે પણ તેમણે જવાબદારીઓ નિભાવી છે.
દક્ષાબેન વાઘેલાની સંગઠનથી લઈને સમાજસેવા સુધી નોંધપાત્ર કામગીરી
રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટી (ભા.જ.પા.) સાથે લાંબા સમયથી સંકળાયેલી દક્ષાબેન વાઘેલા લોકપ્રિય કાર્યકર તરીકે ઓળખ બનાવી છે. વર્ષ 2010થી સક્રિય રાજકીય સફર શરૂ કરનાર દક્ષાબેન આજે સંગઠન અને સમાજસેવા બંને ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ખાસ કરીને મહિલા મોરચા મંડળમાં મહિલાજાગૃતિ, મહિલાવિકાસ અને મહિલાસુરક્ષા માટે તેમણે સક્રિય અને અસરકારક ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રીય સ્તરે પણ દક્ષાબેન વાઘેલાની કામગીરી પ્રભાવશાળી રહી છે. યુથ પાર્લામેન્ટરી બોર્ડમાં એક દિવસના સાંસદ તરીકે ભાગ લઈ તેમણે યુવા નેતૃત્વની ક્ષમતાનો પરિચય આપ્યો છે. ડિજિટલ યુગમાં પણ દક્ષાબેન વાઘેલા પાછળ રહ્યા નથી. નમો એપ, સરલ એપ અને માઇક્રો ડોનેશન જેવા સોશિયલ મીડિયા અભિયાનમાં તેમણે પાયાની જવાબદારીઓ સંભાળી છે. આ સાથે જ તેઓ વર્ષ 2023થી ગુજરાત પોલીસની મહિલા સુરક્ષા સમિતિમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયેલા છે. સામાજિક અને ધાર્મિક સંગઠનોમાં પણ તેમની કામગીરી વિશાળ છે. રાષ્ટ્રીય સ્વયંસેવીકા સંઘમાં મહિલા પાંખ તરીકે, વિશ્ર્વ હિન્દુ પરિષદની દુર્ગા વાહિનીમાં હિન્દુ રક્ષક તરીકે તેમજ વાલ્મિકી મહિલા સેના, અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ અને મહર્ષિ વાલ્મિકી સહકારી મંડળીમાં સમાજસેવા અને વિકાસ માટે તેઓ કાર્યરત છે.
શૈલેષભાઇ વસાણીની તબીબી
અને સંગઠનક્ષેત્રે પ્રભાવશાળી સફર
રાજકોટ શહેરમાં આયુષ તબીબી ક્ષેત્ર અને સામાજિક સેવાઓ સાથે સંકળાયેલા ડોક્ટર શૈલેષભાઇ વસાણીનું કાર્યક્ષેત્ર અનેક સ્તરે વિસ્તરેલું જોવા મળે છે. ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ ઓફ રાજકોટમાં પાસ્ટ ચેરમેન, પાસ્ટ પ્રેસિડેન્ટ અને પાસ્ટ સેક્રેટરી તરીકે મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળીને તેમણે સંગઠનને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ભાજપ ડોક્ટર સેલ સાથે જોડાઈ તેઓ પાસ્ટ સહ-ક્ધવીનર (વોર્ડ નં. 2) અને બોર્ડ મેમ્બર તરીકે સંગઠનાત્મક જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. ભાજપ ડોક્ટર સેલ, આરએસએસ અને વિવિધ સોસાયટીઓ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પોમાં તેમણે સક્રિય સહયોગ આપ્યો છે. સામાજિક ક્ષેત્રે પણ તેઓ સક્રિય રહ્યા છે. સમસ્ત પ્રજાપતિ વરિયા અને સૌરાષ્ટ્ર આયુષ ફેડરેશનના સક્રિય સભ્ય તરીકે સમાજના હિત માટે કાર્યરત છે. આરોગ્ય સેવાઓ અને સંગઠનાત્મક કાર્યને માન્યતા રૂપે ‘બેસ્ટ જિલ્લા ક્ષય કેન્દ્ર-2’ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. આ સમગ્ર કાર્યકાળ દર્શાવે છે કે તેઓ માત્ર તબીબી વ્યવસાય સુધી મર્યાદિત નથી, પરંતુ સમાજસેવા અને સંગઠનક્ષેત્રે પણ સમર્પિત ભાવના સાથે કાર્ય કરી રહ્યા છે.
સમાજ સેવાના સારથી : મીનાબા જાડેજા વોર્ડ નં. 2માં પક્ષનો મજબૂત ચહેરો
રાજકોટ શહેરના વોર્ડ નં. 2માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મીનાબા અજયસિંહ જાડેજા ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જાણીતા સેવાભાવી વ્યક્તિત્વ અને બજરંગવાડી વેપારી એસોસિએશનના પ્રમુખ અજયસિંહ જાડેજાની પત્ની તરીકે ઓળખાતી મીનાબા જાડેજાએ પોતાના કાર્યકાળ દરમિયાન સેવા અને વિકાસના કાર્યોથી અલગ ઓળખ ઉભી કરી છે. સંગઠનક્ષેત્રે મીનાબા જાડેજા ક્ષત્રિય મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ તરીકે સક્રિય રીતે કાર્યરત છે અને વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈ સમાજહિત માટે કાર્ય કરી રહ્યા છે. કોરોના મહામારીના કપરા સમયમાં મીનાબા જાડેજાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહિલા સશક્તિકરણ ક્ષેત્રે પણ તેઓ સતત સક્રિય રહ્યા છે. બહેનોને આત્મનિર્ભર બનાવવામાં તેઓ 24 કલાક કાર્યરત રહેતા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. વિકાસલક્ષી અભિગમની વાત કરીએ તો પોતાના પ્રથમ ટર્મ દરમિયાન મીનાબા જાડેજાએ રોડ, રસ્તા, પાણી અને સફાઈ જેવા મૂળભૂત પ્રશ્ર્નોનું સફળ નિરાકરણ લાવી વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.



