ચંદ્રનાથ રથ પર 10 રાઉન્ડ ફાયરિંગ, 2 ગોળી છાતીની આરપાર નીકળી, એક પેટમાં વાગી: નંબર પ્લેટ વગરના બાઈકનો ઉપયોગ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પશ્ર્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા સ્થિત મધ્યમગ્રામમાં ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (ઙઅ) ચંદ્રનાથ રથ (42 વર્ષ)ની બુધવારે રાત્રે 10.30 વાગ્યે ગોળી મારીને હત્યા કરવામાં આવી. ઘટના સમયે ચંદ્રનાથ કોલકાતાથી મધ્યમગ્રામ સ્થિત પોતાના ઘરે સ્કોર્પિયોથી પરત ફરી રહ્યા હતા.
રિપોર્ટ્સ અનુસાર, તેઓ ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેઠા હતા. તેમની સાથે ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિ પણ હતો. કોલકાતાથી લગભગ 20 કિલોમીટર દૂર ડોલતલાથી મધ્યમગ્રામ વચ્ચે એક કાર પાછળથી આવી અને સ્કોર્પિયોની સામે જઈને રસ્તો રોકી દીધો. પછી એક બાઇક પર હુમલાખોર આવ્યો અને સ્કોર્પિયોની ડાબી બાજુથી 6 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ચંદ્રનાથને 4 ગોળીઓ વાગી. તેમાંથી બે ગોળીઓ છાતીમાંથી આરપાર નીકળી ગઈ. એક ગોળી પેટમાં વાગી. ડ્રાઇવર બુદ્ધદેબ બેરાને પણ ગોળી વાગી.
ઘટના બાદ હુમલાખોરો કાર છોડીને બાઇક પર ફરાર થઈ ગયા. ઘાયલોને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ ચંદ્રનાથને મૃત જાહેર કર્યા. ડ્રાઇવરની હાલત ગંભીર છે. ભાજપે ઝખઈ પર ઘટનાને અંજામ આપવાનો આરોપ લગાવ્યો છે.
ફોરેન્સિક તપાસના પ્રારંભિક ઇનપુટ્સ અનુસાર, હુમલાખોરોએ ગ્લોક 47ડ પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. આવા આધુનિક હથિયારનો ઉપયોગ કોઈ સામાન્ય ગુનેગાર કરતો નથી. જે રીતે હુમલો થયો, તે કોઈ પ્રોફેશનલ શૂટર જ કરી શકે છે.
બાઇક સવાર હુમલાખોર હેલ્મેટ પહેરેલો હતો અને બાઇક પર નંબર પ્લેટ નહોતી. પોલીસે ઘટનાસ્થળેથી તે કાર જપ્ત કરી છે, જેનાથી સ્કોર્પિયોનો રસ્તો રોકવામાં આવ્યો હતો. જોકે, તેના પર લાગેલી નંબર પ્લેટ નકલી નીકળી.
ચંદ્રનાથ રથ પર ફાયરિંગના લગભગ 1 કલાક પછી રાત્રે લગભગ 12.30 વાગ્યે બશીરહાટ જિલ્લામાં રોહિત રોય નામના ભાજપ કાર્યકર્તા પર ફાયરિંગ થયું. તેમની હાલત ગંભીર છે. રાજ્યમાં 4 મેના ચૂંટણી પરિણામો પછી અત્યાર સુધીમાં 5 લોકોની હત્યા થઈ ચૂકી છે. જેમાં 3 ભાજપ અને 2 ઝખઈ સાથે સંકળાયેલા હતા.
ઝખઈ એ કેસની TMC તપાસની માંગ કરી
ઝખઈ એ સુવેન્દુના ઙઅ ની હત્યા પાછળ પોતાના પક્ષના કાર્યકરોની સંડોવણીના આરોપોને નકારી કાઢતા કેસની ઈઇઈં તપાસની માંગ કરી છે. પાર્ટીએ બુધવારે મોડી રાત્રે નિવેદન આપીને કહ્યું-અમે મધ્યમગ્રામમાં ચંદ્રનાથ રથની નિર્મમ હત્યાની નિંદા કરીએ છીએ. અમે આ મામલે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ, જેમાં કોર્ટની દેખરેખ હેઠળ ઈઇઈં તપાસ કરાવવામાં આવે.



