વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદને લઇને કોર્ટ કોઇ પણ સમયે નિર્ણય સંભળાવી શકે છે. આ નિર્ણય જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વ અને એડવોકેટ કમિશ્નર અજય કુમાર મિશ્નાને હટાવવાને લઇને અરજી દાખલ કરવામાં આવી છે. વારાણસી કોર્ટમાં આ સુનાવણીના નિર્ણયને ધ્યાનમાં રાખતા કોર્ટ પરિસરને ખાલી કરવામાં આવ્યું છે. ફક્ત પક્ષકારો જ કોર્ટમાં હાજર છે તેમની જ હાજરીમાં નિર્ણય સંભળાવવામાં આવશે.
17 મે પહેલા થશે જ્ઞાનવાપી મસ્જિદનો સર્વ- કોર્ટ
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદને લઇને કોર્ટએ પોતાનો નિર્ણય સંભળાવ્યો. કોર્ટએ કહ્યું કે, જ્ઞાનવાપી મસ્જિદના સર્વ માટે નિયુક્ત કરવામાં આવેલા એડવોકેટ કમિશ્નર અજય કુમાર મિશ્રાને હટાવવા માટે કોર્ટએ મનાઇ કરી દીધી છે. અદાલતે કોર્ટ કમિશનર અજય મિશ્રા સિવાય વિશઆલ કુમાર સિંહ અને અજય સિંહને પણ કોર્ટ કમિશનર બનાવ્યા છે. એ બંન્ને લોકો કે તેમાંથી કોઇ એક આ સર્વમાં હાજર રહેશે. સાથે જ કોર્ટએ જ્ઞાનવાપી મસ્જિદના સર્વ 17 મે પહેલા કરવવા આદેશ આપ્યો છે. કોર્ટએ 17 મે ના સર્વની બીજી રિપોર્ટ આપવા કહ્યું છે.
- Advertisement -
ત્રણ વિવાદો માટે કોર્ટ નિર્ણય કરશે
ભારતમાં કેટલાય વર્ષોથી મંદિર-મસ્જિદને લઇને વિવાદો જોડાયેલા છે. અયોધ્યામાં સુપ્રિમ કોર્ટએ નિર્ણય સંભળાવ્યા પછી રામ મંદિર અને બાબારી મસ્જિદ વિવિદ રોકાય ગયો છે. પરંતુ, જયારે વારાણસી, મથુરા અને હવે આગ્રામાં પણ ચાલુ છે. આ ત્રણે વિવાદોને લઇને આજનો દિવસ ખાસ માનવામાં આવી રહ્યો છે. વારાણસીમાં જયાં જ્ઞાનવાપી મસ્જિદના સર્વ અને એડવોકેટ કમિશ્નર અજય કુમાર મિશ્રાને હટાવવાને લઇને અરજી દાખલ કરવા પર નિર્ણય આપ્યો છે, ત્યારે મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ- શાહી ઇર્દગાહ હેઠળ પ્રયાગરાજ હાઇકોર્ટમાં સુનાવણી થનાર છે. જો કે, તાજમહેલમાં બંધ પડેલા 22 રૂમને ખોલવાની માંગણીને લઇને દાખલ કરેલી અરજીની ઇલાહાબાદ હોઇકોર્ટની લખનૌ બેંચમાં સુનાવણી ચાલી રહી છે.