જન આશીર્વાદ યાત્રાને ગોંડલ ચોકડીએ સત્કારવા રાજકોટ જીલ્લામાં તડામાર તૈયારી.
ગોંડલ ચોકડીએ ઐતિહાસિક કેશરીયો માહોલ સર્જાશે : જન આશીર્વાદ યાત્રાને સત્કારવા જન સમુદાય સ્વયંભૂ ઉમટશે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડની સભામાં તમામ સમાજના લોકો અદકેરુ સન્માન કરશે : ખોડલધામ ખાતે પાટીદાર સમાજ દ્વારા ચાંદી તુલા.
રાજકોટ જીલ્લા ભાજપા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ અખબારી યાદીમાં જણાવે છે કે, માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારમાં નવનિયુક્ત મંત્રીઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં “જન આશીર્વાદ યાત્રા” થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જન-જન સુધી પહોચાડવા પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા રાજકોટ જીલ્લામાં “જન આશીર્વાદ યાત્રા” તા.૧૯મીએ બપોરે ૧૨.૦૦ કલાકે ગોંડલ ચોકડીએ પહોચશે. આ સમયે રાજકોટ જીલ્લાના અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા તેમજ રાજકોટ જીલ્લાના મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાના માર્ગદર્શન હેઠળ જન આશીર્વાદ યાત્રાનું ઐતિહાસિક દબદબાભેર સ્વાગત કરવામાં આવશે. ગોંડલ ચોકડીએ ઐતિહાસિક કેશરિયો માહોલ સર્જાશે. જન આશીર્વાદ યાત્રાને સત્કારવા જન સમુદાયસ્વયંભુ ઉમટશે.
આ જન આશીર્વાદ યાત્રામાં રાજકોટ જીલ્લા ઉપરાંત શાપર-વેરાવળના ઉદ્યોગપતીઓ, પાટીદાર સમાજ, કોળી સમાજ, માલધારી સમાજ, લઘુમતી સમાજ ઉપરાંત તમામ સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં આવીને ભાવ્યાતિભવ્ય સ્વાગત કરશે.
- Advertisement -
આ સમયે યુવા મોરચાના ૧૫૧ કાર્યકર્તાઓ બાઈક રેલી કરશે તેમજ ડીજે, ઢોલ, આતશબાજી, પુષ્પની પાંખડીઓ દ્વારા કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાનું સૌરાષ્ટ્રની મહેમાનગતીને છાજે તેવું અદકેરું સન્માન કરવામાં આવશે ત્યારબાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ભવ્ય સભા રાખવામાં આવેલ છે. જેમાં તમામ સમાજના લોકો કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાની“જન આશીર્વાદ યાત્રા”નું ભવ્યાતિભવ્ય અદકેરું સન્માન કરવામાં આવશે. ખોડલધામ ખાતે પાટીદાર સમાજ દ્વારા ચાંદી તુલા રાખવામાં આવેલ છે. તેમજતા.૧૯ને બપોરે ૧.૦૦ વાગ્યે ખોડલધામ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મનસુખભાઈ માંડવીયાજી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં થયેલા વિકાસકાર્યોની માહિતી આપશે. તેમજ આગામી કાર્યક્રમોની માહિતી આપશે.

- કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાજીનો પ્રવાસ કાર્યક્રમતા.૧૯ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે ગોંડલ ચોકડીએજીલ્લા ભાજપના આગેવાનો તથા સ્થાનિક નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત બાદ યાત્રા પ્રસ્થાન કરશે ત્યારબાદબપોરે૧૨.૧૫ કલાકે ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે સ્વાગત તથા સભા, બપોરે ૧.૦૦ કલાકે વીરપુર દર્શન, બપોરે૧.૩૦ કલાકે ખોડલધામ ખાતે ચાંદીતુલા, પ્રેસ કોન્ફરન્સ, ધજા ચડાવવી તેમજ ભોજન, બપોરે૩.૪૫ કલાકે જેતપુર ખાતે સભા, લેઉવા પટેલ સમાજ, ધોરાજી રોડ, સ્વાગત તેમજ સભા, સાંજે ૫.૦૦ કલાકે BAPS સ્વામિનારાયણ મંદિર, બસ સ્ટેન્ડ પાછળ, મુ.ઉપલેટા ખાતે સ્વાગત તેમજ સભા, સાંજે ૬.૩૦ કલાકે BAPS સ્વામિનારાયણ મંદિર, બસ સ્ટેન્ડ પાછળ, મુ.ધોરાજી ખાતે સ્વાગત તેમજ સભા કરવામાં આવશે.
કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાજીનો પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જની યાદી નીચે પ્રમાણે છે.
| ક્રમ | કાર્યક્રમની વિગત | ઇન્ચાર્જનું નામ | સંપર્ક નં. |
| ૧ | કાર્યક્રમના મુખ્ય ઇન્ચાર્જ | મનસુખભાઈ ખાચરીયા | ૯૯૦૯૯૬૨૭૧૧ |
| ૨ | રૂટ ઇન્ચાર્જ | નાગદાનભાઈ ચાવડા મનીષભાઈ ચાંગેલા | ૯૮૨૫૨૯૩૨૫૮- Advertisement -૯૮૨૫૨૯૫૧૩૩ |
| ૩ | વાહન વ્યવસ્થા ઇન્ચાર્જ | મનસુખભાઈ રામાણી કનકસિંહ જાડેજા | ૯૯૭૯૧૪૪૧૪૪ ૯૮૨૪૫૬૬૩૬૦ |
| ૪ | મીડિયા ઇન્ચાર્જ | અરુણભાઈ નિર્મળ | ૯૮૨૪૪૧૬૬૩૯ |
| ૫ | પ્રેસ ઇન્ચાર્જ | કિશોરભા ઈ ડોડીયા | ૯૪૦૯૩૬૭૩૩૪ |
| ૬ | ભોજન વ્યવસ્થા ઇન્ચાર્જ | કિશોરભાઈ શાહ | |
| ૭
| સામાજિક સંમેલન ઇન્ચાર્જ | હરેશભાઈ હેરભા કિશોરભાઈ રાઠોડ નવીનપરી ગૌસ્વામી | ૯૭૧૨૨૩૮૧૧૧ ૯૪૨૮૨૬૧૫૦૦ ૯૪૨૬૨૫૦૭૪૪ |
| ૮ | આઈટી ઇન્ચાર્જ | તન્મયભાઈ ઉપાધ્યાય યશભાઈ વાળા કમલભાઈ કોરિયા | ૮૪૬૦૭૦૧૫૦૦ ૭૦૧૬૬૧૬૬૦૦ ૭૩૮૩૦૩૦૧૩૯ |
| ૯ | સોશિયલ મીડિયા ઇન્ચાર્જ | સેંજલભાઈ મહેતા યોગેશભાઈ જીંજા રાજુભાઈ ચાવડા | ૮૦૦૦૦૩૦૦૮૦ ૯૯૨૫૪૪૭૬૬૪ ૯૮૯૮૯૭૯૮૧૬ |
| ૧૦ | બાઈક રેલી ઇન્ચાર્જ | સતીશભાઈ શિંગાળા રવિભાઈ માંકડિયા મુકેશભાઈ મકવાણા | ૯૫૧૦૦૦૦૦૦૪ ૯૯૭૮૯૦૪૭૦૩ ૯૭૧૪૧૪૩૫૪૬ |
| ૧૧ | પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં નાના સમાજની યાદી ઇન્ચાર્જ | રાજુભાઈ ધારૈયા જીતુભાઈ જોશી | ૯૯૨૫૧૧૨૧૦૦ ૭૮૭૪૮૩૦૨૨૨ |
| ૧૨ | શુશોભન ઇન્ચાર્જ | કરણભાઈ લાવડીયા વીરભાઈ વસોયા | ૯૪૧૧૧૪૪૪૪૪ ૯૭૨૩૪૭૯૨૩૪ |
| ૧૩ | સ્ટેજ/ સ્વાગત ઇન્ચાર્જ | ભાસ્કરભાઈ જશાણી | ૭૬૦૦૦૯૭૩૦૦ |
| ૧૪ | બેનર / હોર્ડિંગ ઇન્ચાર્જ | ગીરીશભાઈ પરમાર | ૯૯૨૫૬૧૯૨૧૮ |
| ૧૫ | ધાર્મિક સંસ્થા દર્શન ઇન્ચાર્જ | અલ્પેશભાઈ ઢોલરીયા | ૯૮૨૫૦૭૩૨૧૭ |


