રાજકોટ ખાતે કેબીનેટ મંત્રી આર.સી.ફળદુની ઉપસ્થીતીમાં યોજાશે અન્નોત્સવ
પી.એ.જી.કે.વાયના લાભાર્થીઓને કરાશે વિનામુલ્યે રાશનનું વિતરણ
રાજકોટ તા.૦૨ ઓગષ્ટ – મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજય સરકારે પાંચ વર્ષ પુર્ણ થયાના અવસરે તા. ૩ જી ઓગષ્ટને રાજયભરમાં અન્નોત્સવ તરીકે ઉજવવામાં આવશે.
જે અન્વયે રાજકોટ ખાતે કેબીનેટ મંત્રી આર.સી.ફળદુની ઉપસ્થિતીમાં ગર્વમેન્ટ એમ્પ્લોય સ્ટોર, જામ ટાવર રોડ ખાતે પી.એમ.જી.કે.વાય યોજના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બપોરે ૧૨.૩૦ કલાકે વર્ચ્યુઅલ સંવાદ કરશે. ત્યારબાદ કેબીનેટ મંત્રી ફળદુ અને મહાનુભાવોના હસ્તે વીનામુલ્યે રાશન કીટનું વિતરણ કરાશે.
- Advertisement -
કોરોના સંક્રમણને કારણે લોકડાઉનના સમયમાં કોઇપણ વ્યક્તિ ભુખ્યુ ન રહે તે બાબતે સંવેદના દાખવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે પી.એમ.જી.કે.વાય યોજના અન્વયે વીનામુલ્યે રાશન આપવાની યોજના અમલી બનાવાઇ હતી.
ઉલ્લેનીય છે કે ચાલુ વર્ષ દરમિયાન કોરોનાની બીજી લહેરના કારણે મે અને જૂન -૨૦૨૧ માસ દરમિયાન રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો અંતર્ગત રેશનકાર્ડ ધારકોને રાહત દરે મળવાપાત્ર નિયમિત રાશન લાભ ઉપરાંત પ્રતિમાસ વ્યક્તિદીઠ ૩.૫ કિલો ઘઉં અને ૧.૫ કિલો ચોખા મળી કુલ પાંચ કિલો અનાજના વધારાના રાશનનો લાભ વિના મૂલ્યે આપવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ૧૦ લાખ ૬૦ હજાર લાભાર્થીઓને કુલ ૩૭૦૦ મે. ટન ઘઉં અને ૧૫૯૦ મે.ટન ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે.
જુલાઈ થી નવેમ્બર ૨૦૨૧ સુધી વધુ પાંચ માસ માટે આ યોજના અન્વયે રાજકોટ જિલ્લાના અંદાજિત બે લાખ ૮૫ હજાર કુટુંબોની અંદાજિત ૧૨ લાખની જનસંખ્યાને રેગ્યુલર રાહત ભાવથી મળવાપાત્ર રાશન ઉપરાંત પ્રતિમાસ પાંચ કિલો, પ્રતિ વ્યક્તિ એમ વધારાના રાશનનો વિનામૂલ્યે લાભ મળનાર છે. જેનો આગામી તા.૭મી ઓગષ્ટથી પ્રારંભ થશે.
- Advertisement -
આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ડો. દર્શીતાબેન શાહ, અગ્રણી રાજુભાઇ ધ્રુવ સાથે કોર્પોરેશનના વિવિધ સમીતીઓના ચેરમેન ઓ, કોર્પોરેટરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.


