નવરાત્રીનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. આ વખતે આઠમ અને નોમ પર અમુક ઉપાય કરશો તો હંમેશા ઘરમાં સુખ-સમૃદ્ધી રહેશે અને નાણાંની ક્યારેય અછત સર્જાશે નહીં.
આજના આ ભૌતિકવાદી યુગમાં એવુ કોઈ નથી, જે કોઈના કોઈ સમસ્યાથી ગ્રસ્ત ના હોય. નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યાં છે, એવામાં તમે આ ઉપાયો કરીને પોતાના દુ:ખનુ નિવારણ કરીને માં ભગવતીની કૃપાથી સુખ સમૃદ્ધી અને ધન વૈભવ પ્રાપ્ત કરી શકે છે. દરેક હિન્દુ પરિવારમાં નવરાત્રીમાં કળશ સ્થાપના અને આઠમ અથવા નોમે હવન કરવામાં આવે છે. આ હવનમાં પૂરી શ્રદ્ધા અને આસ્થાની સાથે સામેલ થઇને આહુતિ અવશ્ય આપો. આહુતિ આપવાની સાથેે માં ભગવતીને પ્રાર્થના કરો કે માં મારા દુ:ખોને દૂર કર, મારા અટકેલા અને બગડેલા કામોને બનાવો. તમારી મોટી કૃપા થશે. તમે નિશ્ચિત રીતે જાણી લો કે અગ્નિ દેવ તમારી સમસ્યાને માં દુર્ગા સુધી પહોંચાડીને સમાધાન અવશ્ય કરાવશે.
- Advertisement -
હવનમાં જોડાવો
જો તમે કોઈ કારણોસર પોતાના પરિવાર સાથે નથી તો તમે જ્યાં પણ રહો છો, ત્યાં આજુબાજુમાં કોઈ મંદિર તો અવશ્ય હશે. તમે આ મંદિરમાં જાઓ અને ત્યાના પૂજારીને આગ્રહ કરો કે હું પણ સમિધાની અમુક આહુતિઓ નાખવા માગુ છુ. તેની મંજૂરીથી લઇને ઓછામાં ઓછી 11 આહુતિઓ અવશ્ય આપો. તમારી મનોકામના અવશ્ય પૂરી થશે અને તમને માં ભગવતીની કૃપાથી સુખ-સમૃદ્ધી અને ધનની પ્રાપ્તિ થશે.
- Advertisement -
ખૂબ જ કારગત છે પ્રયોગ
કોઈ ઈચ્છા છે અને પ્રયાસ કર્યા બાદ પણ પૂરી થતી નથી તો આઠમના દિવસે શિવ મંદિરમાં સવારે જલ્દી જઇને ત્યાંની સાફ-સફાઈ કરો. મહાદેવના શિવલિંગમાં જળાભિષેક, દૂધાભિષેક, મધથી અભિષેક કર્યા બાદ પછી અંતમાં એક વખત પાણીથી અભિષેક કરી સાફ કરો અને અંતર, ચંદન લગાવીને તેનો શ્રૃંગાર કરો. તે દિવસથી રાત્રે મંદિરમાં અથવા ઘરે ઘીથી હવન કરી ઓમ નમ: શિવાય મંત્રની 108 આહુતિઓ આપો. હવન બાદ રૂદ્રાક્ષ અથવા સ્ફટિકની માળાથી 40 દિવસ સુધી દરરોજ ઓમ નમ: શિવાયની પાંચ માળા કરો તો તમારા પર માં ભગવતીની કૃપા થશે અને મનોકામના પૂર્ણ થશે.