માલદીવના પૂર્વ વિદેશમંત્રી અબ્દુલ્લા શાહિદે શનિવારના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂ પર નિશાનો સાધતા કહ્યું કે, તેમણે ભારતીય સૈનિકોને લઇને જે દાવો કર્યો હતો કે, તેઓ તેમના ખોટા નિવેદનમાં વધુ એક ખઓટી વાતનો ઉમેરો કર્યો હતો. માલદીવમાં કોઇ હથિયારબંધ ભારતીય સૈનિકો હાજર નથી.
અબ્દુલ્લા શાહિદે મુઇજ્જૂ પર લગાવ્યો ખોટું બોલવાનો આરોપ
અબ્દુલ્લા શાહિદે સોશ્યલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું કે, 100 દિવસ થઇ ગયા છે અને એક વાત નક્કી છે કે, રાષ્ટ્રપતિ મુઇજ્જૂએ દાવો કર્યો હતો કે હજારો હથિયારબંધ સૈનિક અહિયા હાજર છે, એ સદંતર ખોટી વાત છે. હાલમાં સરકારે કોઇ સંખ્યા જાહેર કરી નથી. દેશમાં કોઇપણ હથિયારબંધ સૈનિકો હાજર નથી. તેમણે વધુમાં લખ્યું કે, પારદર્શિતા મહત્વની છે અને સત્ય બધાની સામે આવવું જોઇએ. ઉલ્લેખનીય છે કે, માલદીવમાં લગભગ 70 ભારતીય સૈનિકો હાજર છે. સાથે જ એક ડોર્નિયર 228 મેરીટાઇમ પેટ્રોલ એરકાર્ફ્ટ અને 2 એચએએલ ધ્રુવ હેલીકોપ્ટર પણ માલદીવમાં હાજર છે. રાષ્ટ્રપતિ મુઇજ્જૂએ રાષ્ટ્રપતિ ચુંટણી દરમ્યાન માલદીવમાં હાજર ભારતીય સૈનિકોની સામે અભિયાન છેડીને અને તેમણે ભારતીય સૈનિકોને પરત લાવવાનું વચન આપ્યું હતું.
- Advertisement -
લક્ષદીપ વિવાદથી બંન્ને દેશો વચ્ચે તણાવમાં વધારો
રાષ્ટ્રપતિ ચુંટણી જીત્યા પછી મુઇજ્જુએ ભારતીય સૈનિકોને પરત બોલાવવાની જાહેરાત કરી દીધી હતી. હાલમાં બંન્ને દેશ આ તણાવને ળઇને વાતચીત કરી રહ્યા છે. જયારે બંન્ને અન્ય એરક્રાફ્ટ 10 મે 2024 સુધી માલદીવથી ભારત પરત ફરી રહ્યા છે. જણાવી દઇએ કે, માલદીવની હાલની સરકારન ચીનની તરફ વધારે છે. આ જ કારણ છે કે, રાષ્ટ્રપતિ બન્યા પછી મુઇજ્જૂ ચીનના પ્રવાસે છે, પરંતુ અત્યાર સુધી તેઓ ભારત આવ્યા નથી. છેલ્લા દિવસોમાં લક્ષદીપને લઇને થયેલા વિવાદના પગલે બંન્ને દેશોની વચ્ચે તણાવ વધી ગયો હતો. આ વિવાદના પગલં મુઇજ્જુ પોતાના જ દેશમાં ઘેરાયેલા હતા.