રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં મતદાન થકી લોકશાહીના પાવન પર્વની ઉજવણી
શહેરની જનતા જનાર્દનનો જાહેર આભાર વ્યક્ત કરતાં ધારાસભ્ય ઉદય કાનગડ
- Advertisement -
લોકશાહી પર્વની ઉજવણીમાં પરિશ્રમરૂપી આહુતિ આપનાર ભાજપના તમામ શ્રેણીના કર્મનિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ-બહેનોને ખૂબ ખૂબ અભિનંદન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રાજકોટ મહાનગર પાલિકા ની ચૂંટણી અંતર્ગત રાજકોટમાં વ્યાપક અને ઉત્સાહભર્યા મતદાન બદલ ધારાસભ્ય ઉદય કાનગડએ શહેરની જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કરતાં જણાવેલ કે લોકશાહીના આ પાવન પર્વમાં મોટી સંખ્યામાં જોડાઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા બદલ નાગરિકોમાં લોકજાગૃતિ અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય ઉદય કાનગડએ ભાજપના તમામ શ્રેણીના કર્મનિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ-બહેનો, પદાધિકારીઓ અને સહયોગીઓનો વિશેષ આભાર વ્યક્ત કરતાં જણાવ્યુ કે કાર્યકર્તાઓ અવિરત પરિશ્રમ, સમર્પણ અને સંઘર્ષના પરિણામે દરેક બૂથ પર સક્રિયતા અને જનસંપર્કની મજબૂત અસર જોવા મળી હતી.
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકારએ અનેક ઐતિહાસિક નિર્ણયો અને વિકાસ કાર્યો થકી દેશના વિકાસની ગાડી પુરપાટ દોડાવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા કરોડો ગરીબોને ઘર, ઉજ્જ્વલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન ,આયુષ્માન ભારત યોજના દ્વારા આરોગ્ય સુરક્ષા, જલ જીવન મિશન દ્વારા દરેક ઘરમાં નળથી પાણી , ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી ટેકનોલોજીનો વ્યાપક વિકાસ, આત્મનિર્ભર ભારત અભિયાન દ્વારા સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન, આ તમામ યોજનાઓનો લાભ દેશના દરેક વર્ગ સુધી પહોંચ્યો છે, જે વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવે છે.
એ જ રીતે ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા સતત વિકાસ અને સુશાસનનું મોડેલ રજૂ કરવામાં આવ્યું છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, પાણી, વીજળી અને માર્ગ સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ રાજકોટમાં આધુનિક સુવિધાઓનો વિકાસ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તા સુધારવા અનેક પહેલ, ગરીબ અને મધ્યમ વર્ગ માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે રાજકોટ શહેરની સાથોસાથ વિધાનસભા-68માં થયેલા ઉત્સાહપૂર્ણ મતદાન બદલ પણ લોકશાહીના આ પાવન પર્વની ઉજવણીમાં જાગૃતિ દાખવવા બદલ સરાહના કરી હતી.
વધુમાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવ્યું કે રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ માટે ભાજપ સરકાર સતત પ્રતિબદ્ધ છે. રોડ, રસ્તા, વિવિધ પ્રાથમિક સુવિધાઓ, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ, ગાર્ડન અને અન્ય શહેરી સુવિધાઓમાં ઝડપી ગતિએ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટી પાસે રહેલ આ વિકાસ કાર્યોનું ભાથું હોય, રાજકોટમાં વિધાનસભા-68 સહિત તમામ વોર્ડ આ વ્યાપક અને ઉત્સાહપૂર્વક મતદાન લોકશાહીની મજબૂતતા અને જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ છે. તેમ જણાવતા ધારાસભ્ય ઉદય કાનગડએ જનતા ભાજપના વિકાસમૂલક કાર્યને આશીર્વાદ આપશે અને વિકાસયાત્રા સતત આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શહેરીજનોનો તેમજ લોકશાહીના આ પર્વની ઉજવણીમાં પરિશ્રમની પરાકાષ્ઠા સર્જનાર ભાજપના તમામ શ્રેણીના કર્મનિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ-બહેનોનો જાહેર આભાર વ્યક્ત કરતાં જણાવ્યુ કે કાર્યકર્તાઓનો પરિશ્રમ અને સમર્પણ ભાજપની સૌથી મોટી શક્તિ છે” ત્યારે શહેરીજનો દ્વારા થયેલા ઉત્સાહપૂર્વક મતદાન લોકશાહીની મજબૂતતા અને રાષ્ટ્રવાદ અને વિકાસની રાજનીતિને વરેલી ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસનું પ્રતિબિંબ છે.



