ખાસ-ખબર સંવાદદાતા
કર્ણાટક અને ટીમ મંથન ગુજરાત દ્વારા દર વર્ષે સમગ્ર ભારતમાંથી શિક્ષણના ક્ષેત્રમાં નાવીન્યપૂર્ણ કામ કરતા, રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ ઈનોટીવ શિક્ષક તેમજ અનેકવિધ પ્રવૃત્તિઓ મારફત વિદ્યાર્થીઓના વિકાસ માટે સતત કાર્યરત એવા શિક્ષકોને પસંદ કરીને ડો. રાધાકૃષ્ણન રાષ્ટ્રીય શિક્ષક સેવારત્ન એવોર્ડ એનાયત કરવામાં આવે છે. સમગ્ર ભારતમાંથી 110 જેટલા પસંદગી થયેલ શિક્ષકોમાંથી મોરબી જિલ્લાની સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાને આગામી તા. 10 સપ્ટેમ્બરના રોજ ઉંઝા ખાતે આ એવોર્ડ સન્માન સાથે એનાયત કરવામાં આવશે. વિજયભાઈએ શિક્ષણના અનેક ક્ષેત્રમાં અનેકવિધ કામગીરી કરી છે. બાળકોના વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ તેઓ શાળામાં કરાવે છે અને તેમણે કરેલી 900 જેટલી પ્રવૃતિઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે કરેલી પ્રસંશનીય કામગીરીની નોંધ લઈ ટીમ મંથને વિજયભાઈ દલસાણીયાની પસંદગી કરતા વિજયભાઈએ મંથન ગુજરાતની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
સભારાવાડી શાળાના શિક્ષકની ડૉ. રાધાકૃષ્ણ રાષ્ટ્રીય સેવારત્ન એવોર્ડ માટે પસંદગી
