એનડીએને મોટી બહુમતી મળશે: દસ વર્ષમાં સેન્સેકસ 25000થી 75000 થયો છે, સરકારે મહત્તમ આર્થિક સુધારા કર્યાનો દાવો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21
- Advertisement -
લોકસભા ચૂંટણીનાં પરીણામ બાદ શેરબજારમાં તેજીની ગાડી બેફામ દોડયાનો વર્તારો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે.આ પુર્વે કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહે પણ આવી ભવિષ્યવાણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યુમાં એમ કહ્યું કે છેલ્લા કેટલાંક દિવસોથી અનિશ્ર્ચિતતાનો અનુભવ કરી રહેલા ઈન્વેસ્ટરો-ટ્રેડરોને 4થી જુને લોકસભા ચૂંટણી પરીણામોથી રાહત થશે. વર્તમાન અનિશ્ર્ચિતતા દુર થશે ભાજપ-એનડીએને પ્રચંડ બહુમતી મળશે અને તેના જોરે શેરબજાર ભાગશે.
તેઓએ કહ્યું કે છેલ્લા 10 વર્ષના કાર્યકાળ દરમ્યાન સરકાર દ્વારા મહતમ આર્થિક સુધારા લાગુ કરવામાં આવ્યા છે. અર્થતંત્રને ગતિ મળે તે માટે ઉદ્યોગલક્ષી કદમ ઉઠાવવામાં આવ્યા છે. 2014 માં પોતાની સરકાર સતારૂઢ થઈ ત્યારે સેન્સેકસ 25000 હતો અને હવે 75000 પર પહોંચ્યો છે વધુને વધુ સંખ્યામાં રોકાણકારો શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે અને તેનો દેખીતો ફાયદો અર્થતંત્રને છે. લોકોમાં જોખમ ઉઠાવીને કમાણી કરવાની માનસીકતાં પણ વધી છે. સહકારી કંપનીઓના શેરોમાં પણ સારો એવો વધારો થઈ રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 19 એપ્રિલથી લોકસભા ચૂંટણીનો પ્રથમ તબકકો શરૂ થયો ત્યારથી એનડીએને મોટી બહુમતી નહીં મળવાની અટકળોને પગલે શેરબજાર નર્વસ થવા લાગ્યુ હતું.આ સ્થિતિમાં અપેક્ષીત આર્થિક સુધારા નહી કરી શકે તેવી ભીતી વ્યકત થવા લાગી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 19 એપ્રિલથી લોકસભા ચૂંટણીનો પ્રથમ તબકકો શરૂ થયો.ત્યારથી એનડીએને મોટી બહુમતી નહીં મળવાની અટકળોને પગલે શેરબજાર નર્વસ થવા લાગ્યુ હતું.આ સ્થિતિમાં સરકાર અપેક્ષીત આર્થિક સુધારા નહીં કરી શકે તેવી ભીતી વ્યકત થવા લાગી હતી.વોલાટીલીટી ઈન્ડેકસ પણ 47 ટકા વધી ગયો હતો. પરંતુ છેલ્લા સપ્તાહથી ચિત્ર બદલાયું છે. અમીતશાહ, સહીત ત્રણ સીનીયર પ્રધાનોએ ચૂંટણી પરીણામ બાદ શેરબજારમાં તેજી થવાની ભવિષ્યવાણી કરતા માર્કેટ તેજીમાં આવી ગયુ છે. હવે વડાપ્રધાને પણ ચૂંટણી પરીણામોબાદ શેરબજારમાં તેજી થવાનો વર્તારો આવતા માર્કેટમાં ઘણી સારી અસર થવાનો આશાવાદ નિષ્ણાંતો વ્યકત કરી રહ્યા છે.
જાણકારોએ કહ્યું કે વડાપ્રધાનની આગાહી એનડીએને તોતીંગ બહુમતી મળવાનો વિશ્ર્વાસ સુચવે છે.
વડાપ્રધાન મોદીએ તાજેતરનાં ચૂંટણી પ્રચારમાં પણ શેરબજારની છેલ્લા 10 વર્ષની તેજીનો ઉલ્લેખ કર્યો હતો તેજીને કારણે લાખો ઈન્વેસ્ટરો માર્કેટ સાથે જોડાઈ ગયાનું કહ્યું હતું. પરીણામે ભારત વિશ્ર્વનું ચોથા નંબરનું સૌથી મોટુ શેરબજાર બની ગયાનું કહ્યું હતું. વિરોધપક્ષો લોકોનો ભરોસો તોડી નાખવા માંગતા હોવાનો પ્રહાર પણ કર્યો હતો. અમિત શાહ ઉપરાંત વિદેશમંત્રી જયશંકર તથા નાણાપ્રધાન નિર્મલા સીતારામને પણ ઈન્વેસ્ટરોમાં તેજીનો વિશ્ર્વાસ જણાવવા ચૂંટણી પરીણામ બાદ તેજી થવાનું જાહેર કર્યું જ હતું.