By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    7 hours ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    1 day ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    7 hours ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    7 hours ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    7 hours ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    1 day ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રખર ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે યોજાયો ‘પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ -2025’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પ્રખર ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે યોજાયો ‘પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ -2025’
રાજકોટ

પ્રખર ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે યોજાયો ‘પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ -2025’

Khaskhabar Editor
Last updated: 2025/04/08 at 5:14 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

સૌરાષ્ટ્રભરમાંથી બ્રાહ્મણો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત
બ્રહ્મસમાજમાં યોગદાન આપનાર પાંચ ભૂદેવોનું પરશુરામ એવોર્ડ આપી સન્માન કરાયું

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ દ્વારા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે સંસ્થાનના આદ્યસ્થાપક અભયભાઈ ભારદ્વાજના જન્મ દિવસ નિમિત્તે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ (2025)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજની અડીખમ સેવાના ભેખધારી, સમાજ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર, ઉમદા કાનુનવિદ્, કર્મઠ નેતા, હાક કરો ત્યાં હાજર એવા બ્રહ્મતેજના તણખા સમાન, બ્રહ્મસમાજના મોભી અને રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વેજે ઈ.સ. 1989ના રોજ પરશુરામ યુવા સંસ્થાનની સ્થાપના કરી હતી અને ત્યાર બાદ ભારતવર્ષમાં સૌ પ્રથમ પરશુરામ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન અભયભાઈ દ્વારા ઉના ખાતેથી કરી પરશુરામ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. બ્રહ્મપ્રતિભાઓ કે જેમનું સમાજ પ્રત્યે મુઠ્ઠી ઉંચેરું યોગદાન હોય એવા બ્રહ્મ-કર્મયોગીઓને સન્માનિત કરવાની પરંપરા અભયભાઈ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ જ પરંપરાને અભયભાઈના કૈલાસગમન બાદ અવિરત રીતે કાર્યરત રાખવા છેલ્લા ચાર વર્ષથી પરશુરામ સેવા સંસ્થાન- રાજકોટ દ્વારા અભયભાઈના જન્મદિવસ નિમિત્તે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવે છે અને પાંચ બ્રહ્મ-કર્મયોગીઓને ‘પરશુરામ એવોર્ડ’ એનાયત કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અભયભાઈના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્ર અને બ્રહ્મસમાજમાં પોતાનું યોગદાન આપનાર પાંચ ભૂદેવોને પરશુરામ યુવા સંસ્થાન દ્વારા પરશુરામ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

પરશુરામ એવોર્ડ અર્પણ 2025 સમારોહનો પ્રારંભ હાસ્ય કલાકાર કપિલભાઈ જોષી દ્વારા કાર્યક્રમમાં હાસ્યરસ પીરસવામાં આવ્યો હતો. ત્યાર બાદ પ્રસિદ્ધ લોકગાયક તેજસભાઈ ત્રિવેદી અને ઉર્વીશાબેન પંડ્યા દ્વારા દેવાધિદેવ મહાદેવના શિવ તાંડવ સ્તોત્ર અને બ્રહ્મતેજ ઉજાગર કરતા ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
સમારોહમાં પ્રારંભ પરમાત્માનંદજી સરસ્વતીજી, સંયોજક હિંદુ ધર્મ આચાય4 સભા, સમારોહના અધ્યક્ષ ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જૈન્તિરામ બાપા, સત પુરણ ધામ ધુનડા આમ, ઘનશ્યામજી મહારાજ, ભુવનેશ્ર્વરી પીઠ ગોંડલ તથા રાજકોટના પ્રથમ નાગરિક મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, સાથે જ શહેર ભાજપ અધ્યક્ષ માધવભાઈ દવે, પૂર્વમેયર બીનાબેન આચાર્ય, બ્રહ્મ અગ્રણી કશ્યપભાઈ શુક્લ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૂર્વકુલપતિ ડો. કમલેશભાઈ જોષીપુરા, મઝદૂર સંઘના અગ્રણી હસુભાઈ દવે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વરિષ્ઠ અગ્રણી નરેન્દ્રભાઈ દવે, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણી છેલભાઈ જોષી, પ્રદેશ ભાજપ અને બ્રહ્મઅગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સહકાર ક્ષેત્રના અગ્રણી જ્યોતિન્દ્રભાઈ મહેતા અને મ્યુઝિકલ ડાયરેકટર પંકજભાઈ ભટ્ટનાઓના કલકમલે ભારતીય સંસ્કૃતિ મુજબ દિપ પ્રાગટ્ય કરી સમારોહનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સમારોહનું સ્વાગત અભિવાદન અભયભાઈના પુત્ર અને સમારોહના આયોજક અંશ ભારદ્વાજ દ્વારા ઉપસ્થિત મહેમાનો અને ભૂદેવોનું શાબ્દિક અભિવાદન કરી સમારોહ વિશે ટૂંકમાં માહિતી આપી હતી. ત્યાર બાદ પરશુરામ યુવા સંસ્થાન દ્વારા ચૈત્ર નવરાત્રિના પાવન દિવસો પર સંતો અને ઉપસ્થિત મહેમાનોનું નાની બાળાઓના શુભહસ્તે પુષ્પગુચ્છ અર્પણ કરી સર્વેનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. અભયભાઈના જીવન પ્રસંગોને આધારિત અભયભાઈ પરની એક ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ડો. લંકેશબાપુએ પોતાની આગવી શૈલીથી સર્વેને શિવ તાંડવ સંભળાવી મંત્રમુગ્ધ કર્યા હતા. સાથે જ બ્રાહ્મણ અને મહાદેવ એમ બંને વિષયો પર શાસ્ત્રોક્ત માર્ગદર્શન આપ્યું હતું.

પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ-2025માં અધ્યક્ષ અભયભાઈના સાથી અને પરમ મિત્ર વિજયભાઈ રૂપાણી પૂર્વમુખ્યમંત્રી, ગુજરાત રાજ્યએ પોતાના પરમ મિત્ર અભયભાઈ વિશે વિશેષ વાત કરી હતી. પોતાની જૂની યાદો કોલેજ સમયના પ્રસંગો અભયભાઈના ગુસ્સો અને પ્રેમ વિશે સર્વેને અભયભાઈની ઝાંખી બતાવી હતી. વિજયભાઈએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મ જો ટક્યો હોય તો એના મૂળમાં બ્રહ્મસમાજ છે. સંસ્કૃતિને જીવાડવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એ બ્રાહ્મણોએ કર્યું છે. વધુમાં કહ્યું હતું કે આ રાષ્ટ્રની અને હિંદુ ધર્મની એકતા અને અખંડિતતાના મૂળમાં બ્રહ્મસમાજ છે. સાથે જ અભયભાઈની વિદ્યાર્થી કાળથી રાજ્યસભાના સાંસદ સુધીનો સમયગાળાની યાદગાર ક્ષણો વિજયભાઈએ યાદ કરી હતી.
ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા જસદણ ખાતેની પાઠશાળામાં અનાવરિત થનાર અભયભાઈ ભારદ્વાજની પ્રતિમાની એક સુંદર ઝલક જસદણના બ્રહ્મ અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત સહુને નિહાળવામાં આવી હતી. ત્યારબાદ પરશુરામ યુવા સંસ્થાન દ્વારા ભરતભાઈ યાજ્ઞિક, જે. જે. રાવલ, ડો. જગદીશભાઈ ત્રિવેદી, ડો. રાજેન્દ્રભાઈ રાવલ, પુષ્કરરાય જાનીને પરશુરામ એવોર્ડ સમારોહનું અધ્યક્ષ વિજયભાઈ રૂપાણીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો તથા ફરશી, પરમાત્માનંદ સરસ્વતીજી તેમજ ડો. લંકેશ બાપુ શુભહસ્તે તથા ઉપસ્થિત સંતો અને મહેમાનો દ્વારા પાંચ કર્મયોગી બ્રાહ્મણોને રૂદ્રાક્ષ માળા, સવા રૂપિયો, નાળીયેર તથા શાલ પહેરાવી પરશુરામ એવોર્ડ અંતર્ગતની આ પાંચ વસ્તુ અર્પણ કરવામાં આવી હતી.
પરશુરામ યુવા સંસ્થાન દ્વારા અભયભાઈના જન્મદિવસ નિમિત્તે નામી અને અનામી અગ્રણીઓ, સમાજના વિવિધ સ્તરના નેતાઓ, કાર્યકરો બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી હાજર રહ્યા હતા. અભયભાઈના જન્મદિવસ નિમિત્તે ઠેકઠેકાણેથી બ્રહ્મ અગ્રણીઓ, બ્રહ્મસમાજના કાર્યકર્તાઓ અને બ્રહ્મસમાજના રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સમારોહના અંત બાદ સર્વે ભૂદેવોએ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં સંતો અને ઉપસ્થિત મહેમાનો તેમજ બ્રહ્મ પરિવારોએ બ્રહ્મભોજન સાથે લઈ બ્રહ્મ ચોર્યાસી સમુ પુણ્ય પરશુરામ યુવા સંસ્થાને મેળવ્યું હતું. આ સમારોહને સફળ બનાવવા બ્રહ્મ સમાજના વિવિધ તડગોળના પ્રમુખ, વિવિધ સંસ્થાના અગ્રણીઓ અને સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ તથા પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહને સફળ બનાવનાર તમામ કાર્યકર્તાઓનો આ તકે પરશુરામ યુવા સંસ્થાન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- Advertisement -

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૈનમ્ સાથે જન્મ કલ્યાણકમાં જોડાશે જૈનોનો જનસૈલાબ !
Next Article હનુમાન જયંતી નિમિત્તે બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા રથયાત્રાનું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?