સૌથી વધુ બેઠક મેળવનાર ઈમરાન ખાન સમર્થિત અપક્ષોને વિપક્ષમાં બેસવું પડશે!
નંબર-ટુ અને નંબર-થ્રી પક્ષ તેમ છતાં પણ બહુમતી માટે 133ના જાદુઈ આંકને પાર કરી શકશે નહી: ઈમરાનના પક્ષમાં ભંગાણની શકયતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનમાં વિવાદો અને હિંસા વચ્ચે યોજાયેલી ચુંટણીમાં એક તરફ કોઈપણ પક્ષને બહુમતી નહી મળતા ત્રિશંકુ સંસદની સ્થિતિ બની છે તે વચ્ચે નંબર ટુ અને નંબર થ્રી પર રહેલા પાકિસ્તાન મુસ્લીમલીગ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ દેશમાં અને પંજાબ પ્રાંતમાં સરકાર રચવા હાથ મિલાવવાની તૈયારી કરી છે તથા પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફે દેશમાં સરકાર રચવા માટેનો દાવો પણ કરી દીધો છે.
પાકની 336 બેઠકોની સંસદમાં 265 બેઠકો પર ચુંટણી યોજાઈ હતી. બાકીની બેઠકો પર પક્ષને મળેલા મતોના આધારે મહિલા અને લઘુમતીઓની નિયુક્તિ થાય છે જેમાં હવે જાહેર થયેલા પરિણામોમાં પુર્વ વડાપ્રધાન ઈમરાનખાનના પક્ષ તહેરીક એ ઈન્સાફ સમર્થીત અપક્ષોએ 98 બેઠકો જીતી છે જયારે વધુ એક પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પક્ષ પાકિસ્તાન મુસ્લીમ લીગને 69 અને બિલાવલ ભુટ્ટો ઝરદારીના પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને 51 બેઠકો મળી છે. આમ ત્રિશંકુ સંસદ વચ્ચે હવે શરીફ અને ઝરદારી હાથ મિલાવી રહ્યા છે અને પાકિસ્તાનના પંજાબ પ્રાંત ઉપરાંત દેશની સંસદમાં પણ સંયુક્ત સરકાર રચવાની તૈયારી કરી છે.. પાકિસ્તાન મુસ્લીમ લીગના અધ્યક્ષ શાહબાઝ શરીફે ઈસ્લામાબાદમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા બિલાવલ ભુટ્ટો અને તેમના પિતા અને પુર્વ રાષ્ટ્રપતિ આસીફઅલી ઝરદારી સાથે મુલાકાત કરી હતી અને બંને હવે સંયુક્ત સરકાર રચીને સૌથી મોટા જુથ તરીકે ઉપસેલા ઈમરાનખાનના પક્ષને સરકાર રચવામાં પાછળ રાખી દેશે તેવા સંકેત છે. જો કે હજુ પાકિસ્તાની સૈન્ય અને સુપ્રીમ કોર્ટ પર સૌની નજર છે.
ભારત સાથે સંબંધો સુધારશું: શરીફની ડાહી-ડાહી વાતો
પાકિસ્તાનમાં યોજાયેલી સંસદીય ચુંટણીમાં બીજા નંબરે ધકેલાયેલા પાકિસ્તાન મુસ્લીમ લીગના ટોચના નેતા અને પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફે સરકાર રચવા દાવો કરતા કહ્યું કે હાલ દેશને બચાવવા માટે તમામે સાથે આવવાની જરૂર છે. ત્રણ વખત ઙખ રહી ચુકેલા શરીફે કહ્યું કે અત્યારે મુસીબતમાં ફસાયેલા પાકિસ્તાનને બહાર લાવવાની જવાબદારી હું સમજુ છુ અને તેથી તેમને તમામને સાથે આવવાની અપીલ કરી હતી. તેમણે ભારત સાથે સારા સંબંધોની પણ હિમાયત કરી હતી.