પયગંબર મોહમમ્દ વિશેના વિવાદસ્પદ નિવેદનના વિરોધમાં દેશના કેટલાય રાજયો સળગી રહ્યા છે. દિલ્હી, યૂપી, ઝારખંડની સાથે-સાથે પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકી ઉઠી છે. છેલ્લા કેટલાક દિવસોખી જુમાની નમાઝ પછી હિંસક ઘટનાઓ બનવાના બનાવો કેટલાય શહેરમાં વધી ગયા છે. ખાસ વાત તો એ છે કે, પશ્ચિમ બંગાળમાં સતત બીજા દિવસે આ વિવાદએ માથું ઉચક્યું છે. શનિવારના હાવડામાં હિંસા ભડકી હતી. આ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ ઘટનાઓને લઇને પોતાની નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી બેનર્જીએ આ બાબતે બીજેપી પર પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યું કે, આ હિંસક ઘટનાઓ માટે બીજેપી જવાબદાર છે.
- Advertisement -
મમતા બેનર્જીએ આ બાબતે ટ્વિટમાં બીજેપી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, જેમ હું પહેલા પણ કહી રહી હતી, તેમ હાવડામાં છેલ્લા બે દિવસથી હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. તેના પછી કેટલાક રાજનેતિક દળ છે અને જેઓ હિંસા ભડકાવી રહ્યા છે, પરંતુ તેમને ચૂપચાપ સહન કરી લેવામાં નહીં આવે અને સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજેપીએ કરેલા ગુનાને , લોકો શું કામ સહન કરે?
আগেও বলেছি, দুদিন ধরে হাওড়ার জনজীবন স্তব্ধ করে হিংসাত্মক ঘটনা ঘটানো হচ্ছে । এর পিছনে কিছু রাজনৈতিক দল আছে এবং তারা দাঙ্গা করাতে চায়- কিন্তু এসব বরদাস্ত করা হবে না এবং এ সবের বিরুদ্ধে কঠোর ব্যবস্থা হবে। পাপ করল বিজেপি, কষ্ট করবে জনগণ?
— Mamata Banerjee (@MamataOfficial) June 11, 2022
- Advertisement -
રાજયપાલે શાંતિની અપિલ કરી
રાજયપાલ જગદીપ ધનખડએ શાંતિની અપીલ કરતા કહ્યું કે, રાજયના મુખ્ય સચિવએ કાનુન તેમજ વ્યવસ્થાની સ્થિતિ પર તાત્કાલિક જાણકારી માંગી છે.
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસેથી અપેક્ષા રાખી છે કે, તેઓ કાનુને પોતાના હાથમાં લેનારને કડક ચેતવણી આપી છે કે, તેને કોઇ પણ હિસાબે છોડવામાં નહીં આવે.