By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘20 થી 30 ગોળીબાર’: ઉટાહમાં ઇસ્કોન મંદિરને શંકાસ્પદ નફરત ગુનામાં નિશાન બનાવવામાં આવ્યું
    8 hours ago
    લીક થયેલા ઓડિયોના મામલે કોર્ટે થાઈલેન્ડના વડા પ્રધાનને સસ્પેન્ડ કર્યા
    11 hours ago
    યુરોપમાં ગરમીનું મોજું ફરી વળતાં બાર્સેલોનામાં 100 વર્ષથી વધુ સમયનો સૌથી ગરમ જૂન મહિનો નોંધાયો
    11 hours ago
    90 વર્ષની ઉંમરે દલાઈ લામા ઉત્તરાધિકાર યુદ્ધ જે તિબેટના ભવિષ્યને આકાર આપશે
    12 hours ago
    પ્રધાનમંત્રી મોદી 5 દેશોના પ્રવાસનો પ્રારંભ: જાણો સંપૂર્ણ શેડ્યૂલ
    12 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વેપાર મંત્રણા અને ભારત-પાક. યુદ્ધવિરામ વચ્ચે સંબંધ નહીં: જયશંકર
    7 hours ago
    કોલકાતા ગેંગરેપ: 3 આરોપીઓની કસ્ટડી 8મી સુધી લંબાવાઈ
    7 hours ago
    વિદેશી ભારતીયોએ રેકોર્ડબ્રેક 11600 અબજ વતનમાં મોકલ્યા
    7 hours ago
    ક્વાડ દેશો ભારતની સાથે, પહલગામ હુમલાને વખોડ્યો
    7 hours ago
    હિમાચલમાં અચાનક પૂરના કારણે 10 લોકોના મોત, 34 ગુમ; બચાવ કામગીરી ચાલુ
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મોહમ્મદ શમીને કાનૂની ઝટકો, કલકત્તા હાઈકોર્ટે પત્ની હસીન જહાંને માસિક મોટી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો
    10 hours ago
    હું સચિનને હંમેશા કહું છું કે મારા લીધે તારું નામ થયું છે: એલન લેમ્બે
    1 day ago
    અલ નાસિરે રોનાલ્ડો સાથે બે વર્ષ માટે સ્પોર્ટ્સ ઇતિહાસનો સૌથી મોટો કરાર કર્યો
    2 days ago
    એશિયા કપ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે, યુએઈ યજમાન બનવાની અપેક્ષા છે
    2 days ago
    ENG vs IND, બીજી ટેસ્ટ: જોફ્રા આર્ચર ચાર વર્ષ પછી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું ખરેખર જેઠાલાલ-બબીતાએ “તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા” છોડ્યું
    10 hours ago
    શેફાલી જરીવાલાનું મૃત્યુ પાછળનું કારણ આવ્યું બહાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
    1 day ago
    આજે પણ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો મારી સાથે યોગ્ય વર્તન નથી કરતા
    2 days ago
    ‘કાંટા લગા’થી ફેમસ થયેલી શેફાલીએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો
    4 days ago
    અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે 42 વયે નિધન
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    12 hours ago
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    5 days ago
    રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?
    6 days ago
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    2 weeks ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    1 day ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચાર સદીઓથી જીવિત છે… એક મૃત શરીર!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > ચાર સદીઓથી જીવિત છે… એક મૃત શરીર!
Parakh Bhatt

ચાર સદીઓથી જીવિત છે… એક મૃત શરીર!

Khaskhabar Editor
Last updated: 2022/04/09 at 4:37 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનાં મૃત શરીરને તદ્દન સામાન્ય અવસ્થામાં સાચવીને રખાયું છે, કોઇ વિશેષ ટ્રીટમેન્ટ એને નથી મળી રહી. વિજ્ઞાને આટલી પ્રગતિ સાધી લીધી હોવા છતાં વૈજ્ઞાનિકો આ રહસ્ય જાણવામાં અસફળ રહ્યા છે

મોર્ડન ધર્મ
– પરખ ભટ્ટ

- Advertisement -

કેથલિક સંપ્રદાયનાં લોકો સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું નામ આદરભાવપૂર્વક લે છે, એમનો જન્મ સ્પેનનાં રાજવી પરિવારમાં થયો હતો…

આજદિન સુધીમાં સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સના પાર્થિવ શરીરને ઘણી વખત છિન્ન-ભિન્ન કરવામાં આવ્યું છે

કોઇપણ વ્યક્તિના મૃત્યુ બાદ એના મૃત શરીરનો શક્ય એટલી ત્વરાથી અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે, જેથી શરીર સડવાની પ્રક્રિયાનો આરંભ ન થાય અને એમાંથી ખરાબ વાસ ન આવે! પહેલાની કેટલીક સભ્યતાઓમાં શરીરમાં સડો ન પેસે એ માટે શબને સંરક્ષિત કરીને એનું ‘મમી’ બનાવી દેવામાં આવતું હતું, જેથી સદીઓ સુધી એનું અસ્તિત્વ જળવાઈ રહે. પરંતુ શું એ સંભવ છે કે કોઇ પ્રકારક્ષજ્ઞ મસાલા ભર્યા વગર અથવા એનું સંરક્ષણ કર્યા વિના સદીઓ સુધી મૃત શરીર તાજુ રહે? એમાંથી કોઇ દુર્ગંધ ન આવે? એમાં સડો ન પેસે? વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારવા જઈએ તો, આ તદ્દન અસંભવ જણાતી બાબત છે, પરંતુ આ સંસારમાં એવી ઘણી ઘટનાઓ છે, જ્યાં માણસનો તર્ક નાકામયાબ નીવડે છે.
ઓલ્ડ ગોવાનાં ‘બેસિલિકા ઓફ બોમ જીસસ’ ચર્ચમાં રાખવામાં આવેલા સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું મૃત શરીર સાડા ચારસો કરતા પણ વધુ વર્ષોથી કોઇ લેપ કે ઔષધિ વગર આજની તારીખે પણ એકદમ તરોતાજા જોવા મળે છે! આશ્ચર્ય થાય એવી વાત છે કે, સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનાં મૃત શરીરને તદ્દન સામાન્ય અવસ્થામાં સાચવીને રખાયું છે, કોઇ વિશેષ ટ્રીટમેન્ટ એને નથી મળી રહી. વિજ્ઞાને આટલી પ્રગતિ સાધી લીધી હોવા છતાં વૈજ્ઞાનિકો આ રહસ્ય જાણવામાં અસફળ રહ્યા છે કે શા માટે સેન્ટ ફ્રાંસિસના શરીરમાં આજસુધી કોઇ સડો નથી પેઠો! સંતના શરીરનું યથાવત રહેવું એ આધુનિક વિજ્ઞાન માટે કોઇ પડકારથી કમ નથી.

- Advertisement -

કેથલિક સંપ્રદાયનાં લોકો સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું નામ અત્યંત આદરભાવપૂર્વક લે છે. એમનો જન્મ સ્પેનનાં એક રાજવી પરિવારમાં થયો હતો. એમનું વાસ્તવિક નામ હતું : ફ્રાંસિસ્કો દ’ ઝેવિયર જાસૂસ! એમણે પોતાના ઘરનો ત્યાગ કરીને કેથલિક ધર્મનો પ્રચાર કરવાનો નિર્ણય લીધો. ધર્મ-પ્રચારક હોવાને કારણે એમનું નામ પડી ગયું, સેન્ટ ફ્રાંસિસ. તેઓ એમની અલૌકિક શક્તિઓને કારણે ખૂબ પ્રખ્યાત થયા. ગોવાની રાજધાની પણજીથી લગભગ 10 કિલોમીટર દૂર જૂનું ગોવા આવેલું છે. પહેલાનાં સમયમાં એને ‘પૂર્વનું વેનિસ’ ગણવામાં આવતું હતું.

આ નગર સાથે સેન્ટ ફ્રાંસિસને ભારે લગાવ હતો. તેઓ અહીં રોકાઈ ગયા. પોપ (રોમ)ના પ્રતિનિધિ હોવાને કારણે ધર્મપ્રચારની જવાબદારી એમણે પોતાના માથે લઈ લીધી. પૂર્વની જોખમસભર સમુદ્રી યાત્રા એમણે વર્ષ 1551માં શરૂ કરી. સફર દરમિયાન તેઓ ભોજાવિક, માલિંદી (કેન્યા), સોક્રેતા થઈને ગોવા પહોંચ્યા! ઓલ્ડ ગોવાને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવી ઘણો સમય ત્યાંના આસપાસનાં ક્ષેત્રોમાં તેમણે ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો. ત્યારબાદ તો એમણે ઘણા દેશોની યાત્રા કરી. 3 ડિસેમ્બર, 1552ના રોજ સાંકિયાન દ્વીપ (ચીન)માં પ્રચાર દરમિયાન સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું મૃત્યુ થયું. મૃત શરીરને કોફિનમાં રાખીને મલક્કા લઈ જવામાં આવ્યું. અંતિમ સંસ્કારના ચાર મહિના પછી એમનાં શિષ્યોએ શ્રદ્ધાસુમન અર્પિત કરવા માટે સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું તાબૂત ખોલ્યું. સૌના આશ્ચર્યની વચ્ચે, સેન્ટના શરીરને જે અવસ્થામાં ચાર મહિના પહેલા મૂક્યું હતું, એવી જ તરોતાજગી હજુ પણ જોવા મળી રહી હતી. આ ઘટનાને દૈવીય ચમત્કાર માનીને શિષ્યો સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સના પાર્થિવ શરીરને ફરી એમના કર્મસ્થળ ગોવા લઈ આવ્યા. સર્વપ્રથમ તો એમના દેહને સેન્ટ પોલ કોલેજમાં રાખવામાં આવ્યો. અને ત્યારબાદ 1613ની સાલમાં ‘પ્રોફેસ્ડ હાઉસ ઓફ કેમ જીસસ’ ખાતે! સેન્ટનાં શરીરને ચાંદીના એક મોટા પિટારામાં રાખીને ‘બેસેલિકા ઑફ બોમ જીસસ’માં સ્થાન આપવામાં આવ્યું.

આજદિન સુધીમાં સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સના પાર્થિવ શરીરને ઘણી વખત છિન્ન-ભિન્ન કરવામાં આવ્યું છે. 1553ની સાલમાં એક સેવક જ્યારે એમના શરીરને સિંકિયાનથી મલક્કા લઈને આવતો હતો, એ દરમિયાન જહાજનાં કેપ્ટનને પ્રમાણ આપવા માટે એમના ઘૂંટણથી માંસનો ટુકડો કાઢી લેવાયો. વર્ષ 1554માં એક પોર્ટુગલ મહિલા યાત્રી એમની એડી (પગની પાની)નું માંસ કાઢીને પવિત્ર અવશેષના રૂપમાં પોતાની સાથે પોર્ટુગલ લઈ ગઈ. સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સની એડી એમના પગથી અલગ થઈ ગઈ, જેના લીધે બેસિલિકાનાં ‘એક્રાઇટી’માં ક્રિસ્ટલના એક પાત્રમાં તેને જુદી રાખવામાં આવી. ઇ.સ. 1695માં સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સના હાથ-બાજુ (ભુજા)ના ભાગને રોમ મોકલવામાં આવ્યો, જે ‘ચર્ચ ઓફ ગેસૂ’ ખાતે ગોઠવી દેવાયો. જમણા હાથનો કેટલોક ભાગ 1619ની સાલમાં જાપાનના ‘જેસુએટ પ્રોવિન્સ’માં રાખવામાં આવ્યો. પેટનો અમુક હિસ્સો અલગ પાડીને અલગ-અલગ સ્થળોએ સ્મૃતિ-અવશેષ તરીકે રાખવામાં આવ્યા. સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સના મૃત શરીરને લોકોના દર્શનાર્થે સર્વપ્રથમ ઇ.સ. 1662ની સાલમાં ખુલ્લું મૂકવામાં આવ્યું. વર્તમાન સમયમાં પણ સંતના શરીરને બેસિલિકા હોલના ખુલ્લા પ્લેટફોર્મ પર દર્શનાર્થીઓ માટે જાહેરમાં રાખવામાં આવે છે.

You Might Also Like

મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!

શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

‘ચૈત્રી નવરાત્રિ’ વિશેષ: અજીબ-સા કરિશ્મા, પાયલ મેં ઉનકી છિપા!

સિંહાચલમ્ – વરાહ અને નરસિંહ અવતારનું સાયુજ્ય!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રેસ્ટોરાંમાં કેવી રીતે બનાવશો સફળતાની વાનગી!
Next Article શર્માજી નમકીન : આજ તું ભી બાગબાન કા અમિતાભ બચ્ચન બન જા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

11.87 લાખનો દારૂ લઈને આવતી રાજસ્થાની બેલડી ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલમાંથી મુક્તિની માંગ સાથે પ્રોજેક્ટ ડાયરેક્ટના પૂતળાં દહન
સુરભી ડાન્સ એકેડેમી દ્વારા 6 જૂલાઈએ ‘સ્કીલકારી- ધ ટેલેન્ટ શૉ’નું આયોજન
લોધીકાના દેવડામાં કારખાનામાંથી 5.50 લાખની ચોરી કરનાર ચડ્ડી બનીયાનધારી ગેંગનો સાગરીત ઝડપાયો
44 કરોડના ખર્ચે સ્માર્ટ સિટીથી કટારીયા ચોક સુધી 3.9 કિમીનો નવો રોડ બનશે
ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં અત્યાધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Parakh Bhatt

મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
AuthorParakh Bhatt

શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
AuthorParakh Bhatt

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?