By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયન સેનાએ યુક્રેનના 5000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો મેળવ્યો: રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો દાવો
    52 minutes ago
    ટેરિફના જોરે જ સીઝફાયર કરાવ્યું: અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ
    20 hours ago
    ફ્રાન્સના વડાપ્રધાન લેકોર્નુનું રાજીનામું માત્ર 27 દિવસમાં પદ છોડ્યું, રાષ્ટ્રપતિ મેક્રોને સ્વીકાર્યું
    21 hours ago
    સાઉદી અરેબિયા: કેવી રીતે રણ રાષ્ટ્રને તેનું ‘પ્રવાહી સોનું’ મળ્યું
    22 hours ago
    ગાઝામાં બે વર્ષ પછી: 69 હજાર જીવ ગયા, લાખો લોકો બેઘર, માળખાગત સુવિધાનો સંપૂર્ણ વિનાશ
    23 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મધ્યપ્રદેશમાં કફ સિરપથી મૃત્યુઆંક વધીને 20 થયો
    9 minutes ago
    જયપુર-અજમેર હાઇવે પર વિસ્ફોટ: એલપીજી સિલિન્ડર લઈ જતી ટ્રક અને ટેન્કર અથડાયા
    27 minutes ago
    સીકરમાં શ્રીમાધોપુર નજીક માલગાડી પાટા પરથી ઉતરી: ત્રણ ડઝનથી વધુ કોચ પાટા પરથી ઉતરી ગયા; રેલ્વે કામગીરી સ્થગિત, બચાવ કાર્ય ચાલુ
    40 minutes ago
    UK PM Visit in India: કીર સ્ટાર્મર આજે એસ જયશંકરને મળવા માટે 2 દિવસની મુલાકાતે મુંબઈ પહોંચ્યા
    1 hour ago
    ઉત્તરપ્રદેશમાં યોગીના આદેશ બાદ ઉત્તર પ્રદેશમાં ઓપરેશન ‘લંગડા’ અને ‘ખલ્લાસ’ એક્ટિવ: અપરાધ જગતમાં સોપો
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    4 days ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    1 week ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    1 week ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    1 week ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    60 કરોડના છેતરપિંડીના કેસમાં શિલ્પા શેટ્ટીની 4 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી
    22 hours ago
    અભિનેતા રજનીકાંત આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો
    2 days ago
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    6 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    6 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળીના તહેવારમાં જો આવા સંકેત દેખાય તો સમજી લેજો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે
    23 hours ago
    આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
    2 days ago
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    7 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    2 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    2 weeks ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    2 weeks ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    3 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચાર સદીઓથી જીવિત છે… એક મૃત શરીર!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > ચાર સદીઓથી જીવિત છે… એક મૃત શરીર!
Parakh Bhatt

ચાર સદીઓથી જીવિત છે… એક મૃત શરીર!

Khaskhabar Editor
Last updated: 2022/04/09 at 4:37 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનાં મૃત શરીરને તદ્દન સામાન્ય અવસ્થામાં સાચવીને રખાયું છે, કોઇ વિશેષ ટ્રીટમેન્ટ એને નથી મળી રહી. વિજ્ઞાને આટલી પ્રગતિ સાધી લીધી હોવા છતાં વૈજ્ઞાનિકો આ રહસ્ય જાણવામાં અસફળ રહ્યા છે

મોર્ડન ધર્મ
– પરખ ભટ્ટ

- Advertisement -

કેથલિક સંપ્રદાયનાં લોકો સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું નામ આદરભાવપૂર્વક લે છે, એમનો જન્મ સ્પેનનાં રાજવી પરિવારમાં થયો હતો…

આજદિન સુધીમાં સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સના પાર્થિવ શરીરને ઘણી વખત છિન્ન-ભિન્ન કરવામાં આવ્યું છે

કોઇપણ વ્યક્તિના મૃત્યુ બાદ એના મૃત શરીરનો શક્ય એટલી ત્વરાથી અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે, જેથી શરીર સડવાની પ્રક્રિયાનો આરંભ ન થાય અને એમાંથી ખરાબ વાસ ન આવે! પહેલાની કેટલીક સભ્યતાઓમાં શરીરમાં સડો ન પેસે એ માટે શબને સંરક્ષિત કરીને એનું ‘મમી’ બનાવી દેવામાં આવતું હતું, જેથી સદીઓ સુધી એનું અસ્તિત્વ જળવાઈ રહે. પરંતુ શું એ સંભવ છે કે કોઇ પ્રકારક્ષજ્ઞ મસાલા ભર્યા વગર અથવા એનું સંરક્ષણ કર્યા વિના સદીઓ સુધી મૃત શરીર તાજુ રહે? એમાંથી કોઇ દુર્ગંધ ન આવે? એમાં સડો ન પેસે? વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારવા જઈએ તો, આ તદ્દન અસંભવ જણાતી બાબત છે, પરંતુ આ સંસારમાં એવી ઘણી ઘટનાઓ છે, જ્યાં માણસનો તર્ક નાકામયાબ નીવડે છે.
ઓલ્ડ ગોવાનાં ‘બેસિલિકા ઓફ બોમ જીસસ’ ચર્ચમાં રાખવામાં આવેલા સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું મૃત શરીર સાડા ચારસો કરતા પણ વધુ વર્ષોથી કોઇ લેપ કે ઔષધિ વગર આજની તારીખે પણ એકદમ તરોતાજા જોવા મળે છે! આશ્ચર્ય થાય એવી વાત છે કે, સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનાં મૃત શરીરને તદ્દન સામાન્ય અવસ્થામાં સાચવીને રખાયું છે, કોઇ વિશેષ ટ્રીટમેન્ટ એને નથી મળી રહી. વિજ્ઞાને આટલી પ્રગતિ સાધી લીધી હોવા છતાં વૈજ્ઞાનિકો આ રહસ્ય જાણવામાં અસફળ રહ્યા છે કે શા માટે સેન્ટ ફ્રાંસિસના શરીરમાં આજસુધી કોઇ સડો નથી પેઠો! સંતના શરીરનું યથાવત રહેવું એ આધુનિક વિજ્ઞાન માટે કોઇ પડકારથી કમ નથી.

- Advertisement -

કેથલિક સંપ્રદાયનાં લોકો સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું નામ અત્યંત આદરભાવપૂર્વક લે છે. એમનો જન્મ સ્પેનનાં એક રાજવી પરિવારમાં થયો હતો. એમનું વાસ્તવિક નામ હતું : ફ્રાંસિસ્કો દ’ ઝેવિયર જાસૂસ! એમણે પોતાના ઘરનો ત્યાગ કરીને કેથલિક ધર્મનો પ્રચાર કરવાનો નિર્ણય લીધો. ધર્મ-પ્રચારક હોવાને કારણે એમનું નામ પડી ગયું, સેન્ટ ફ્રાંસિસ. તેઓ એમની અલૌકિક શક્તિઓને કારણે ખૂબ પ્રખ્યાત થયા. ગોવાની રાજધાની પણજીથી લગભગ 10 કિલોમીટર દૂર જૂનું ગોવા આવેલું છે. પહેલાનાં સમયમાં એને ‘પૂર્વનું વેનિસ’ ગણવામાં આવતું હતું.

આ નગર સાથે સેન્ટ ફ્રાંસિસને ભારે લગાવ હતો. તેઓ અહીં રોકાઈ ગયા. પોપ (રોમ)ના પ્રતિનિધિ હોવાને કારણે ધર્મપ્રચારની જવાબદારી એમણે પોતાના માથે લઈ લીધી. પૂર્વની જોખમસભર સમુદ્રી યાત્રા એમણે વર્ષ 1551માં શરૂ કરી. સફર દરમિયાન તેઓ ભોજાવિક, માલિંદી (કેન્યા), સોક્રેતા થઈને ગોવા પહોંચ્યા! ઓલ્ડ ગોવાને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવી ઘણો સમય ત્યાંના આસપાસનાં ક્ષેત્રોમાં તેમણે ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો. ત્યારબાદ તો એમણે ઘણા દેશોની યાત્રા કરી. 3 ડિસેમ્બર, 1552ના રોજ સાંકિયાન દ્વીપ (ચીન)માં પ્રચાર દરમિયાન સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું મૃત્યુ થયું. મૃત શરીરને કોફિનમાં રાખીને મલક્કા લઈ જવામાં આવ્યું. અંતિમ સંસ્કારના ચાર મહિના પછી એમનાં શિષ્યોએ શ્રદ્ધાસુમન અર્પિત કરવા માટે સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું તાબૂત ખોલ્યું. સૌના આશ્ચર્યની વચ્ચે, સેન્ટના શરીરને જે અવસ્થામાં ચાર મહિના પહેલા મૂક્યું હતું, એવી જ તરોતાજગી હજુ પણ જોવા મળી રહી હતી. આ ઘટનાને દૈવીય ચમત્કાર માનીને શિષ્યો સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સના પાર્થિવ શરીરને ફરી એમના કર્મસ્થળ ગોવા લઈ આવ્યા. સર્વપ્રથમ તો એમના દેહને સેન્ટ પોલ કોલેજમાં રાખવામાં આવ્યો. અને ત્યારબાદ 1613ની સાલમાં ‘પ્રોફેસ્ડ હાઉસ ઓફ કેમ જીસસ’ ખાતે! સેન્ટનાં શરીરને ચાંદીના એક મોટા પિટારામાં રાખીને ‘બેસેલિકા ઑફ બોમ જીસસ’માં સ્થાન આપવામાં આવ્યું.

આજદિન સુધીમાં સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સના પાર્થિવ શરીરને ઘણી વખત છિન્ન-ભિન્ન કરવામાં આવ્યું છે. 1553ની સાલમાં એક સેવક જ્યારે એમના શરીરને સિંકિયાનથી મલક્કા લઈને આવતો હતો, એ દરમિયાન જહાજનાં કેપ્ટનને પ્રમાણ આપવા માટે એમના ઘૂંટણથી માંસનો ટુકડો કાઢી લેવાયો. વર્ષ 1554માં એક પોર્ટુગલ મહિલા યાત્રી એમની એડી (પગની પાની)નું માંસ કાઢીને પવિત્ર અવશેષના રૂપમાં પોતાની સાથે પોર્ટુગલ લઈ ગઈ. સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સની એડી એમના પગથી અલગ થઈ ગઈ, જેના લીધે બેસિલિકાનાં ‘એક્રાઇટી’માં ક્રિસ્ટલના એક પાત્રમાં તેને જુદી રાખવામાં આવી. ઇ.સ. 1695માં સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સના હાથ-બાજુ (ભુજા)ના ભાગને રોમ મોકલવામાં આવ્યો, જે ‘ચર્ચ ઓફ ગેસૂ’ ખાતે ગોઠવી દેવાયો. જમણા હાથનો કેટલોક ભાગ 1619ની સાલમાં જાપાનના ‘જેસુએટ પ્રોવિન્સ’માં રાખવામાં આવ્યો. પેટનો અમુક હિસ્સો અલગ પાડીને અલગ-અલગ સ્થળોએ સ્મૃતિ-અવશેષ તરીકે રાખવામાં આવ્યા. સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સના મૃત શરીરને લોકોના દર્શનાર્થે સર્વપ્રથમ ઇ.સ. 1662ની સાલમાં ખુલ્લું મૂકવામાં આવ્યું. વર્તમાન સમયમાં પણ સંતના શરીરને બેસિલિકા હોલના ખુલ્લા પ્લેટફોર્મ પર દર્શનાર્થીઓ માટે જાહેરમાં રાખવામાં આવે છે.

You Might Also Like

મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!

શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

‘ચૈત્રી નવરાત્રિ’ વિશેષ: અજીબ-સા કરિશ્મા, પાયલ મેં ઉનકી છિપા!

સિંહાચલમ્ – વરાહ અને નરસિંહ અવતારનું સાયુજ્ય!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રેસ્ટોરાંમાં કેવી રીતે બનાવશો સફળતાની વાનગી!
Next Article શર્માજી નમકીન : આજ તું ભી બાગબાન કા અમિતાભ બચ્ચન બન જા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં કફ સિરપથી મૃત્યુઆંક વધીને 20 થયો

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
જયપુર-અજમેર હાઇવે પર વિસ્ફોટ: એલપીજી સિલિન્ડર લઈ જતી ટ્રક અને ટેન્કર અથડાયા
સીકરમાં શ્રીમાધોપુર નજીક માલગાડી પાટા પરથી ઉતરી: ત્રણ ડઝનથી વધુ કોચ પાટા પરથી ઉતરી ગયા; રેલ્વે કામગીરી સ્થગિત, બચાવ કાર્ય ચાલુ
રશિયન સેનાએ યુક્રેનના 5000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો મેળવ્યો: રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો દાવો
UK PM Visit in India: કીર સ્ટાર્મર આજે એસ જયશંકરને મળવા માટે 2 દિવસની મુલાકાતે મુંબઈ પહોંચ્યા
‘ગુજસીટોક’ કેસ: જૂનાગઢના જયેશ ઉર્ફે જાવો સોલંકીને હાઈકોર્ટમાંથી જામીન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Parakh Bhatt

મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
AuthorParakh Bhatt

શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
AuthorParakh Bhatt

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?