કંગના રણૌત હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. કંગનાએ ઈશારો કર્યો છે કે લોકસભા ચૂંટણીમાં જો તે જીતશે તો ધીરે ધીરે શોબિઝની દુનિયા છોડી શકે છે.
બોલિવુડની ક્વીન કંગના રણૌત આ વખતે લોકસભા ચૂંટણીમાં બીજેપીની ઉમેદવાર છે. તેમને હિમાચલ પ્રદેશના મંડીથી ટિકિટ મળી છે. કંગના જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે. કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં લોકસભા ચૂંટણી અને રાજનીતિ પર વાત કરી. અહીં કંગનાએ પોતાના ફિલ્મી કરિયરને લઈને મોટી જાહેરાત કરી છે.
- Advertisement -
રાજનીતિ માટે બોલિવુડ છોડી દેશે કંગના?
કંગનાએ ઈશારો કર્યો કે લોકસભા ચૂંટણીમાં જો તે જીતશે તો ધીરે ધીરે શોબિઝની દુનિયા છોડી દેશે. કારણ કે તે એક જ કામ પર ફોકસ કરવા માંગે છે. કંગનાને જ્યારે પુછવામાં આવ્યું- ફિલ્મ અને રાજનીતિને કેવી રીતે મેનેજ કરશે? તેના પર એક્ટ્રેસ બોલી, “હું ફિલ્મોમાં પણ બોર થઈ જાઉ છું. હું રોલ પણ કરૂ છું, નિર્દેશન પણ કરૂ છું. જો મને રાજનીતિમાં સંભાવના દેખાય કે લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે તો પછી રાજનીતિ જ કરીશ. આઈડિયલી હું એક જ કામ કરવા માંગુ છું. ”
કંગનાએ આગળ કહ્યું મને લાગે છે કે લોકોને મારી જરૂર છે તો પછી હું તે દિશામાં જઉશ. હું જો મંડીથી જીતીશ તો હું રાજનીતિ જ કરીશ. મને કોઈ ફિલ્મમેકર કહે છે કે રાજનીતિમાં ના જાઓ. તમારે લોકોની આશા પર ખરા ઉતરવું પડશે. મારી પર્સનલ મહત્વકાંક્ષાઓના કારણે લોકો સફર કરી રહ્યા છે આતો સારી વાત નથી. મેં એક પ્રિવિલેજ લાઈફ જીવી છે. જો હવે લોકોની સાથે જોડાવવાનો મોકો મળી રહ્યો છે તો તેને પણ પુરો કરીશ. મને લાગે છે કે સૌથી પહેલા લોકોની પાસે જે આશાઓ છે તેને જસ્ટિસ કરવું જોઈએ.
- Advertisement -
રાજનીતિ અને ફિલ્મી દુનિયામાં કેટલો ફરક?
એક્ટ્રેસને પુછવામાં આવ્યું કે ફિલ્મોના મુકાબલે રાજનીતિની લાઈફ એકદમ અલગ હોય છે. શું આ બધુ તેને ફાવી રહ્યું છે? જવાબમાં કંગનાએ જણાવ્યું- ફિલ્મોની એક ખોટી દુનિયા છે. તે અલગ વાતાવરણ બનાવવામાં આવે છે. એક બબલ બનાવવામાં આવે છે લોકોને આકર્ષિત કરવા માટે. પરંતુ રાજનીતિ એક વાસ્તવિકતા છે. લોકોની સાથે તેમની આશા પર ખરા ઉતરવાનું છે. હું નવી છું પબ્લિક સર્વિસમાં ઘણુ બધુ શીખવાનું છે.