મહિલા મોરચાની નવનિયુક્ત ટીમ કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારની લોકહીતકારી, લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી બહેનો સુધી પહોચાડી અને સશકિતકરણને ખરા અર્થમાં વેગ આપશે
નવનિયુક્ત મહિલા મોરચાના હોદેદારોને અભિનંદન પાઠવતા મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધનસુખ ભંડેરી, નિતીન ભારધ્વાજ, ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા,ઉદય કાનગડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ,નરેન્દ્રસિહ ઠાકુર, ડો. પ્રદીપ ડવ, બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી સહીતના અગ્રણીઓ
મહિલા મોરચાની નવનિયુક્ત ટીમ કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારની લોકહીતકારી અને લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી બહેનો સુધી પહોચાડી મહિલા સશકિતકરણને ખરા અર્થમાં વેગ આપશે : અંજલીબેન રૂપાણી, બીનાબેન આચાર્ય, કિરણબેન માકડીયા
- Advertisement -
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક અખબારી યાદીમાં જણાવેલ છે કે પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલજી અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોન ઈન્ચાર્જ વિનોદભાઈ ચાવડા, રાજકોટ મહાનગરના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દીપીકાબેન સરડવા સાથે સંક્લન અને વિચાર વિમર્શ કરી રાજકોટ મહાનગર શહેર ભાજપ મહિલા મોરચાના હોદેદારોની વરણી જાહેર કરેલ છે.
ત્યારે કમલેશ મિરાણીએ જણાવેલ કે જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીએ આપેલા મંત્ર અનુસાર જયા માનવી ત્યાં સુવિધા અને અંત્યોદયની ભાવના સાથે છેવાડાના માનવીનો વિકાસ થાય તે અનુસાર આજે ભાજપ સરકાર અનેકવિધ યોજનાઓ ધ્વારા લોકોને સુખાકારી આપી રહી છે ત્યારે જનસંઘ કે ભાજપના સ્થાપનાના પાયામાં રાષ્ટ્રવાદની વિચારધારા, લોકકલ્યાણકારી યોજનાઓની સાથોસાથ દેશનું ગૌરવ વધે, દેશનુ સ્વાભિમાન વધે તે વાત પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાના દિલમાં પડેલી છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે સતા એ સેવાનું માધ્યમ રહી છે.
- Advertisement -
તેમજ આ તકે શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મહીલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્યએ શહેર ભાજપ મહિલા મોરચાના નવનિયુક્ત હોદેદારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે મહિલા મોરચાની નવનિયુક્ત ટીમ કેન્દ્ર અને રાજયની ભાજપા સરકારના નેતૃત્વમાં બહેનો માટે વિવિધ લોકહીતકારી અને લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી મહિલાઓ સુધી પહોંચાડી નારી સશક્તિકરણને ખરા અર્થમાં વેગ આપશે.
આ તકે શહેર ભાજપ તમામ વોર્ડના ના આ નવનિયુક્ત પ્રભારીઓને ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કીરણબેન હરસોડા, લીનાબેન રાવલ સહીતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી. ત્યારે શહેર ભાજપ મહિલા મોરચાના હોદેદારોની વરણી નીચે મુજબ જાહેર કરવામાં આવેલ હતી.