By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    19 minutes ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    2 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    2 hours ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    2 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 22 જાન્યુઆરી એટલે મારા માટે ‘હર ઘર રામ, હર ઘર અયોધ્યા’નો અવસર: વડાપ્રધાન મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > 22 જાન્યુઆરી એટલે મારા માટે ‘હર ઘર રામ, હર ઘર અયોધ્યા’નો અવસર: વડાપ્રધાન મોદી
ખાસ-ખબરરાષ્ટ્રીય

22 જાન્યુઆરી એટલે મારા માટે ‘હર ઘર રામ, હર ઘર અયોધ્યા’નો અવસર: વડાપ્રધાન મોદી

Khaskhabar Editor
Last updated: 2023/12/18 at 5:07 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
બુધવારે (13 ડિસેમ્બર) સંસદ ભવનની સુરક્ષામાં ચૂક થઈ હોવાનો એક કિસ્સો સામે આવ્યો હતો. દેશભરમાં તેના વિશે ઘણી ચર્ચા થઈ હતી. હવે વડાપ્રધાન મોદીએ પણ આ મામલે મૌન તોડ્યું છે. ઙખ મોદીએ સંસદ ભવનની સુરક્ષામાં થયેલી ચૂકને દુખદ અને ચિંતાનું કારણ ગણાવી છે. આ ઉપરાંત તેમણે તાજેતરની ચૂંટણીઓમાં ભાજપને મેળેલા ભવ્ય વિજય પર પણ વાત કરી હતી. આ સિવાય તેમણે ત્રણ રાજ્યોમાં નવા મુખ્યમંત્રી, રામ મંદિર, આર્ટીકલ 370 જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ઙખ નરેન્દ્ર મોદીએ દૈનિક જાગરણને આપેલા ઇન્ટરવ્યૂમાં અનેક મહત્વના વિષયો પર વાતચીત કરી હતી. સંસદ ભવનનીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે ઙખ મોદીએ કહ્યું હતું કે, આ ઘટના ખૂબ જ દુખદ અને ચિંતાજનક છે, પરંતુ તેને લઈને વાદવિવાદ અને પ્રતિરોધની જગ્યાએ તેમાં ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી છે. જેનાથી તેના સમાધાનનો રસ્તો શોધી શકાય.

ત્રણ રાજ્યોમાં ભાજપનો વિજય
દૈનિક જાગરણ સાથેના ઙખ મોદીના ઇન્ટરવ્યૂમાં તેમણે ત્રણ રાજ્યોમાં ભાજપના જીત વિશેની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમના માટે સીટોની ગણતરીથી વધુ જનતાના દીલને જીતવું પ્રાથમિકતા છે. તેમણે કહ્યું, હું તેમના માટે મહેનત કરું છું અને જનતા ઝોળી ભરી દે છે. આ ઉપરાંત તેમણે ‘મોદી ગેરન્ટી’ શબ્દ વિશે વાત કરતાં કહ્યું કે, ગેરન્ટીના ચાર માપદંડ છે- નીતિ, નિયત, નેતૃત્વ અને કામ. આ ચાર કસોટી છે, જેમાં જનતા આપણને પરખે છે. ચારમાંથી કોઈપણ માપદંડ ઓછો હશે તો તે ગેરન્ટી નહીં પણ માત્ર ખોખલી ઘોષણા બની જશે. તેમણે કહ્યું, એટલા માટે હું જ્યારે મોદીની ગેરન્ટી કહું છું તો જનતા ગત વર્ષોના સપૂર્ણ ઇતિહાસને જુએ છે. જનતા અમારી નીતિની સમર્થક છે, અમારી નિયતની સહભાગી છે, અમારા નેતૃત્વની સમર્થક છે અને અમારા ટ્રેક રેકોર્ડને સતત જુએ છે. ઙખ મોદીએ ત્રણ રાજ્યોમાં થયેલી જીતની અસર જણાવતા કહ્યું કે, જનતાએ અસ્થિરતા અને સ્વાર્થની રાજનીતિને સંપૂર્ણપણે નકારી છે. આ ચૂંટણી પરિણામોથી દેશના મૂડની ઝલક પણ જાણી શકાય છે. જનતાએ રાષ્ટ્રહિતમાં સ્થિર, સ્થાયી અને સેવાભાવમાં સમર્પિત સરકાર માટે જનાદેશ આપ્યો છે. તેમણે ઉમેર્યું કે, આ સિવાય આ ચૂંટણીએ કેટલાક લોકોએ ફેલાવેલા એક જુઠ્ઠાણાંને પણ ફગાવી કરી દીધું છે. એક રાજનૈતિક વર્ગ હતો જે કહેતો હતો કે રાષ્ટ્રીય સ્તર પર તો ભાજપ સામે કોઈ પડકાર નથી, પરંતુ રાજ્યોમાં પાર્ટીને એટલું સમર્થન નથી મળી રહ્યું. જે પરિણામ આવ્યું તેનાથી તે લોકોનાં આ મિથક પણ તૂટી ગયાં.

- Advertisement -

‘બ્રહ્માંડની કોઈ શક્તિ આર્ટિકલ 370ની વાપસી નહીં કરાવી શકે’: PM મોદી

આર્ટિકલ 370ને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો તેના પર વાત કરતાં ઙખ મોદીએ કહ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતે તે વાત પર પોતાની મહોર લગાવી દીધી છે કે, એક દેશમાં કોઈપણ રીતે બે વિધાન નહિ ચાલી શકે. અનુચ્છેદ 370નું હટવું કોઈ રાજનીતિથી વધારે જમ્મુ-કાશ્મીર અને લદાખના લોકો માટે ખૂબ જરૂરી હતું. તે અતીતની સમસ્યાઓથી નીકળીને દેશના દરેક નાગરિકની જેમ ભેદભાવ વિના પોતાના બાળકોનું ભવિષ્ય અને પોતાનું વર્તમાન સુરક્ષિત કરવા માંગે છે.
ઙખ મોદીએ ઉમેર્યું કે, આર્ટિકલ 370 બાદ આજે જમ્મુ-કાશ્મીર અને લદાખની સુરત બદલાઈ છે. હવે ત્યાં સિનેમા હોલ ચાલી રહ્યા છે. ત્યાં ટેરરિસ્ટના નહિ પરંતુ ટુરિસ્ટના મેળા છે. હવે ત્યાં પથ્થરમારો નથી થતો, પરંતુ ફિલ્મોની શૂટિંગ થાય છે. સામાન્ય કાશ્ર્મીરી પરિવાર તેને પસંદ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, આજે પણ રાજનૈતિક સ્વાર્થમાં જે લોકો આર્ટીકલ 370ને લઈને ભ્રમ ફેલાવે છે, તેને હું બે શબ્દો કહેવા માંગીશ- હવે બ્રહ્માંડની કોઈ શક્તિ આર્ટીકલ 370ની વાપસી નહીં કરાવી શકે.

આ દરમિયાન ઙખ મોદીએ કહ્યું કે, સંસદમાં જે ઘટના ઘટી તેની ગંભીરતાને સહેજ પણ ઓછી આંકવી જોઈએ નહીં. તેથી સ્પીકર મહોદય પૂર્ણ ગંભીરતાથી આવશ્યક પગલાં લઈ રહ્યા છે. તપાસ એજન્સીઓ પણ સખતીથી તાપસ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, આ ઘટના પાછળ કયાં તત્વો છે? તેના મનસૂબા શું છે? તે વિશેની ઊંડાણપૂર્વકની તપાસ પણ એટલી જ જરૂરી છે. એક મનથી સમાધાનના રસ્તાઓ પણ શોધવા જોઈએ. આવા વિષય પર વાદવિવાદ અને પ્રતિરોધથી સૌએ બચવું જોઈએ. આ ઉપરાંત ઙખ મોદીએ અન્ય મહત્વના વિષયો પર તેમના વિચાર વ્યક્ત કર્યા હતા. સંસદ ભવનની સુરક્ષામાં ચૂક સિવાય ઙખ મોદીએ રામ મંદિર અને આર્ટિકલ 370ને લઈને મહત્વની વાતો કહી હતી.

- Advertisement -

ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રી તરીકે નવા ચહેરા
ઇન્ટરવ્યૂ દરમિયાન PM મોદીને પૂછવામાં આવ્યું હતું કે, ભાજપે ત્રણ રાજ્યોમાં નવા અને અપરિચિત ચહેરાઓને મુખ્યમંત્રી બનાવ્યા છે. તેનો મેસેજ શું હોય શકે? જેના જવાબમાં ઙખ મોદીએ જણાવ્યું હતું કે, કોઈપણ સેક્ટરમાં કોઈ નામ જો મોટું બની જાય, કોઈએ પોતાની બ્રાન્ડિંગ કરી લીધી, તો બાકીના લોકો પર ધ્યાન નથી જતું, પછી તે ગમે તેટલા પ્રતિભાશાળી પણ કેમ ના હોય, તે જેમ તેટલું સારું કામ કેમ ના કરતા હોય. તો પણ તેમના તરફ ધ્યાન નથી જતું. આ કારણે નવા લોકોની પ્રતિભા અને ઉપયોગિતાની ચર્ચા નથી થઈ શકતી. ઙખ મોદીએ કહ્યું કે, આ કારણે તમને ઘણીવાર કેટલાક ચહેરા નવા લાગે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે નવા હોતા નથી. તેમની પોતાની એક લાંબી તપસ્યા હોય છે, અનુભવ હોય છે. ઙખ મોદીને જ્યારે પૂછવામાં આવ્યું કે 22 જાન્યુઆરી અયોધ્યા રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવાનું છે, તે દિવસ તમારા માટે કેવો છે? તેના જવાબમાં ઙખ મોદી રામચરિત માનસની એક પંક્તિ બોલ્યા અને કહ્યું કે, શ્રીરામના દર્શનથી જીવન સફળ થઈ જાય છે. મારું સૌભાગ્ય છે કે મને આ અત્યંત પવિત્ર કાર્યમાં જવાનું આમંત્રણ મળ્યું, ત્યાં જવાનો અવસર મળશે. હજારો વર્ષોથી પ્રભુ રામે આપણા સૌના જીવનમાં કોઈક રીતે સકારાત્મકતા ભરી છે. તેમણે વધુમાં કહ્યું, બે ઘડી વિચારી જુઓ કે, આ પવિત્ર અવસર પર હું એક પ્રધાનસેવકની જગ્યાએ સામાન્ય નાગરિક છું, જે કોઈ ગામમાં બેઠો છે. તોપણ મારા મનમાં એટલો જ આનંદ અને સંતોષ હશે જેટલો કે એક પ્રધાનસેવક તરીકે મને ત્યાં જવાથી મળવાનો છે. તેમણે ઉમેર્યું કે, આ ખુશી માત્ર મોદીની નહીં, આ હિન્દુસ્તાનના 140 કરોડ હૃદયોની ખુશી, મનના સંતોષની અસર છે. મારા માટે 22 જાન્યુઆરીનો આ અવસર ‘હર ઘર અયોધ્યા, હર ઘર રામ’નો છે.

You Might Also Like

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

TAGGED: AYODHYA, INTERVIEW, narendramodi, PRIMEMINISTER, RAMTEMPLE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉત્તર ગુજરાતમાં 11.67 લાખ હેક્ટરમાં શિયાળું વાવેતર
Next Article કાંતિ મકવાણાએ સોશિયલ મીડિયામાં મહિલાની પજવણી કરતા આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?