By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    3 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    3 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    4 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    5 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામ મંદિરમાં ચોરી-સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી
    18 hours ago
    કોકરોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ : પોલીસ સાથે ઘર્ષણ, લાઠીચાર્જ
    18 hours ago
    રામ મંદિરમાં ચોરી – પેપર લીક મામલે સંસદમાં હોબાળો
    18 hours ago
    પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત
    3 days ago
    ભારતના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’નું સફળ લૉન્ચિંગ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    19 hours ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    21 hours ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    4 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    5 days ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    5 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    6 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    7 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 22 જાન્યુઆરી એટલે મારા માટે ‘હર ઘર રામ, હર ઘર અયોધ્યા’નો અવસર: વડાપ્રધાન મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > 22 જાન્યુઆરી એટલે મારા માટે ‘હર ઘર રામ, હર ઘર અયોધ્યા’નો અવસર: વડાપ્રધાન મોદી
ખાસ-ખબરરાષ્ટ્રીય

22 જાન્યુઆરી એટલે મારા માટે ‘હર ઘર રામ, હર ઘર અયોધ્યા’નો અવસર: વડાપ્રધાન મોદી

Khaskhabar Editor
Last updated: 2023/12/18 at 5:07 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
બુધવારે (13 ડિસેમ્બર) સંસદ ભવનની સુરક્ષામાં ચૂક થઈ હોવાનો એક કિસ્સો સામે આવ્યો હતો. દેશભરમાં તેના વિશે ઘણી ચર્ચા થઈ હતી. હવે વડાપ્રધાન મોદીએ પણ આ મામલે મૌન તોડ્યું છે. ઙખ મોદીએ સંસદ ભવનની સુરક્ષામાં થયેલી ચૂકને દુખદ અને ચિંતાનું કારણ ગણાવી છે. આ ઉપરાંત તેમણે તાજેતરની ચૂંટણીઓમાં ભાજપને મેળેલા ભવ્ય વિજય પર પણ વાત કરી હતી. આ સિવાય તેમણે ત્રણ રાજ્યોમાં નવા મુખ્યમંત્રી, રામ મંદિર, આર્ટીકલ 370 જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ઙખ નરેન્દ્ર મોદીએ દૈનિક જાગરણને આપેલા ઇન્ટરવ્યૂમાં અનેક મહત્વના વિષયો પર વાતચીત કરી હતી. સંસદ ભવનનીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે ઙખ મોદીએ કહ્યું હતું કે, આ ઘટના ખૂબ જ દુખદ અને ચિંતાજનક છે, પરંતુ તેને લઈને વાદવિવાદ અને પ્રતિરોધની જગ્યાએ તેમાં ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી છે. જેનાથી તેના સમાધાનનો રસ્તો શોધી શકાય.

ત્રણ રાજ્યોમાં ભાજપનો વિજય
દૈનિક જાગરણ સાથેના ઙખ મોદીના ઇન્ટરવ્યૂમાં તેમણે ત્રણ રાજ્યોમાં ભાજપના જીત વિશેની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમના માટે સીટોની ગણતરીથી વધુ જનતાના દીલને જીતવું પ્રાથમિકતા છે. તેમણે કહ્યું, હું તેમના માટે મહેનત કરું છું અને જનતા ઝોળી ભરી દે છે. આ ઉપરાંત તેમણે ‘મોદી ગેરન્ટી’ શબ્દ વિશે વાત કરતાં કહ્યું કે, ગેરન્ટીના ચાર માપદંડ છે- નીતિ, નિયત, નેતૃત્વ અને કામ. આ ચાર કસોટી છે, જેમાં જનતા આપણને પરખે છે. ચારમાંથી કોઈપણ માપદંડ ઓછો હશે તો તે ગેરન્ટી નહીં પણ માત્ર ખોખલી ઘોષણા બની જશે. તેમણે કહ્યું, એટલા માટે હું જ્યારે મોદીની ગેરન્ટી કહું છું તો જનતા ગત વર્ષોના સપૂર્ણ ઇતિહાસને જુએ છે. જનતા અમારી નીતિની સમર્થક છે, અમારી નિયતની સહભાગી છે, અમારા નેતૃત્વની સમર્થક છે અને અમારા ટ્રેક રેકોર્ડને સતત જુએ છે. ઙખ મોદીએ ત્રણ રાજ્યોમાં થયેલી જીતની અસર જણાવતા કહ્યું કે, જનતાએ અસ્થિરતા અને સ્વાર્થની રાજનીતિને સંપૂર્ણપણે નકારી છે. આ ચૂંટણી પરિણામોથી દેશના મૂડની ઝલક પણ જાણી શકાય છે. જનતાએ રાષ્ટ્રહિતમાં સ્થિર, સ્થાયી અને સેવાભાવમાં સમર્પિત સરકાર માટે જનાદેશ આપ્યો છે. તેમણે ઉમેર્યું કે, આ સિવાય આ ચૂંટણીએ કેટલાક લોકોએ ફેલાવેલા એક જુઠ્ઠાણાંને પણ ફગાવી કરી દીધું છે. એક રાજનૈતિક વર્ગ હતો જે કહેતો હતો કે રાષ્ટ્રીય સ્તર પર તો ભાજપ સામે કોઈ પડકાર નથી, પરંતુ રાજ્યોમાં પાર્ટીને એટલું સમર્થન નથી મળી રહ્યું. જે પરિણામ આવ્યું તેનાથી તે લોકોનાં આ મિથક પણ તૂટી ગયાં.

- Advertisement -

‘બ્રહ્માંડની કોઈ શક્તિ આર્ટિકલ 370ની વાપસી નહીં કરાવી શકે’: PM મોદી

આર્ટિકલ 370ને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો તેના પર વાત કરતાં ઙખ મોદીએ કહ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતે તે વાત પર પોતાની મહોર લગાવી દીધી છે કે, એક દેશમાં કોઈપણ રીતે બે વિધાન નહિ ચાલી શકે. અનુચ્છેદ 370નું હટવું કોઈ રાજનીતિથી વધારે જમ્મુ-કાશ્મીર અને લદાખના લોકો માટે ખૂબ જરૂરી હતું. તે અતીતની સમસ્યાઓથી નીકળીને દેશના દરેક નાગરિકની જેમ ભેદભાવ વિના પોતાના બાળકોનું ભવિષ્ય અને પોતાનું વર્તમાન સુરક્ષિત કરવા માંગે છે.
ઙખ મોદીએ ઉમેર્યું કે, આર્ટિકલ 370 બાદ આજે જમ્મુ-કાશ્મીર અને લદાખની સુરત બદલાઈ છે. હવે ત્યાં સિનેમા હોલ ચાલી રહ્યા છે. ત્યાં ટેરરિસ્ટના નહિ પરંતુ ટુરિસ્ટના મેળા છે. હવે ત્યાં પથ્થરમારો નથી થતો, પરંતુ ફિલ્મોની શૂટિંગ થાય છે. સામાન્ય કાશ્ર્મીરી પરિવાર તેને પસંદ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, આજે પણ રાજનૈતિક સ્વાર્થમાં જે લોકો આર્ટીકલ 370ને લઈને ભ્રમ ફેલાવે છે, તેને હું બે શબ્દો કહેવા માંગીશ- હવે બ્રહ્માંડની કોઈ શક્તિ આર્ટીકલ 370ની વાપસી નહીં કરાવી શકે.

આ દરમિયાન ઙખ મોદીએ કહ્યું કે, સંસદમાં જે ઘટના ઘટી તેની ગંભીરતાને સહેજ પણ ઓછી આંકવી જોઈએ નહીં. તેથી સ્પીકર મહોદય પૂર્ણ ગંભીરતાથી આવશ્યક પગલાં લઈ રહ્યા છે. તપાસ એજન્સીઓ પણ સખતીથી તાપસ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, આ ઘટના પાછળ કયાં તત્વો છે? તેના મનસૂબા શું છે? તે વિશેની ઊંડાણપૂર્વકની તપાસ પણ એટલી જ જરૂરી છે. એક મનથી સમાધાનના રસ્તાઓ પણ શોધવા જોઈએ. આવા વિષય પર વાદવિવાદ અને પ્રતિરોધથી સૌએ બચવું જોઈએ. આ ઉપરાંત ઙખ મોદીએ અન્ય મહત્વના વિષયો પર તેમના વિચાર વ્યક્ત કર્યા હતા. સંસદ ભવનની સુરક્ષામાં ચૂક સિવાય ઙખ મોદીએ રામ મંદિર અને આર્ટિકલ 370ને લઈને મહત્વની વાતો કહી હતી.

- Advertisement -

ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રી તરીકે નવા ચહેરા
ઇન્ટરવ્યૂ દરમિયાન PM મોદીને પૂછવામાં આવ્યું હતું કે, ભાજપે ત્રણ રાજ્યોમાં નવા અને અપરિચિત ચહેરાઓને મુખ્યમંત્રી બનાવ્યા છે. તેનો મેસેજ શું હોય શકે? જેના જવાબમાં ઙખ મોદીએ જણાવ્યું હતું કે, કોઈપણ સેક્ટરમાં કોઈ નામ જો મોટું બની જાય, કોઈએ પોતાની બ્રાન્ડિંગ કરી લીધી, તો બાકીના લોકો પર ધ્યાન નથી જતું, પછી તે ગમે તેટલા પ્રતિભાશાળી પણ કેમ ના હોય, તે જેમ તેટલું સારું કામ કેમ ના કરતા હોય. તો પણ તેમના તરફ ધ્યાન નથી જતું. આ કારણે નવા લોકોની પ્રતિભા અને ઉપયોગિતાની ચર્ચા નથી થઈ શકતી. ઙખ મોદીએ કહ્યું કે, આ કારણે તમને ઘણીવાર કેટલાક ચહેરા નવા લાગે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે નવા હોતા નથી. તેમની પોતાની એક લાંબી તપસ્યા હોય છે, અનુભવ હોય છે. ઙખ મોદીને જ્યારે પૂછવામાં આવ્યું કે 22 જાન્યુઆરી અયોધ્યા રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવાનું છે, તે દિવસ તમારા માટે કેવો છે? તેના જવાબમાં ઙખ મોદી રામચરિત માનસની એક પંક્તિ બોલ્યા અને કહ્યું કે, શ્રીરામના દર્શનથી જીવન સફળ થઈ જાય છે. મારું સૌભાગ્ય છે કે મને આ અત્યંત પવિત્ર કાર્યમાં જવાનું આમંત્રણ મળ્યું, ત્યાં જવાનો અવસર મળશે. હજારો વર્ષોથી પ્રભુ રામે આપણા સૌના જીવનમાં કોઈક રીતે સકારાત્મકતા ભરી છે. તેમણે વધુમાં કહ્યું, બે ઘડી વિચારી જુઓ કે, આ પવિત્ર અવસર પર હું એક પ્રધાનસેવકની જગ્યાએ સામાન્ય નાગરિક છું, જે કોઈ ગામમાં બેઠો છે. તોપણ મારા મનમાં એટલો જ આનંદ અને સંતોષ હશે જેટલો કે એક પ્રધાનસેવક તરીકે મને ત્યાં જવાથી મળવાનો છે. તેમણે ઉમેર્યું કે, આ ખુશી માત્ર મોદીની નહીં, આ હિન્દુસ્તાનના 140 કરોડ હૃદયોની ખુશી, મનના સંતોષની અસર છે. મારા માટે 22 જાન્યુઆરીનો આ અવસર ‘હર ઘર અયોધ્યા, હર ઘર રામ’નો છે.

You Might Also Like

રામ મંદિરમાં ચોરી-સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી

કોકરોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ : પોલીસ સાથે ઘર્ષણ, લાઠીચાર્જ

રામ મંદિરમાં ચોરી – પેપર લીક મામલે સંસદમાં હોબાળો

પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત

ભારતના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’નું સફળ લૉન્ચિંગ

TAGGED: AYODHYA, INTERVIEW, narendramodi, PRIMEMINISTER, RAMTEMPLE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉત્તર ગુજરાતમાં 11.67 લાખ હેક્ટરમાં શિયાળું વાવેતર
Next Article કાંતિ મકવાણાએ સોશિયલ મીડિયામાં મહિલાની પજવણી કરતા આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

આણંદમાં દુષ્કર્મ અને હત્યાના આરોપીનું એન્કાઉન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
દેશના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ ક્રમે
જમીનમાં હિસ્સો નહીં મળતા કૌટુંબિક શખ્સે છરીના ઘા ઝીકી બે સગા ભાઈઓને રહેંસી નાખ્યા
રાજકોટ પીસીબીએ વધુ 3 હથિયાર સાથે 3 શખ્સોની કરી ધરપકડ
રામ મંદિરમાં ચોરી-સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી
કોકરોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ : પોલીસ સાથે ઘર્ષણ, લાઠીચાર્જ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રામ મંદિરમાં ચોરી-સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાષ્ટ્રીય

કોકરોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ : પોલીસ સાથે ઘર્ષણ, લાઠીચાર્જ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાષ્ટ્રીય

રામ મંદિરમાં ચોરી – પેપર લીક મામલે સંસદમાં હોબાળો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?