ઇઝરાયલે રફાહમાં ફરી આક્રમણ કરવાની પૂરી તૈયારીઓ કરી લીધી
ખાસ-ખબર ન્યૂઝ તેલ અવીવ, તા.11
- Advertisement -
ફ્રાંસ, ઇજીપ્ત અને જોર્ડનના અગ્રણીઓએ સોમવારે, ગાઝા પટ્ટીમાં દક્ષિણે આવેલાં શહેર રફાહ ઉપર હુમલો કરવા અંગે ચેતવતાં ઇઝરાયલ હમાસ યુદ્ધમાં તત્કાળ યુદ્ધ વિરામ કરવા અનુરોધ કર્યો હતો.
બીજી તરફ કેરોમાં હમાસ ઇઝરાયલ વચ્ચે મંત્રણા ચાલી રહી હોવા છતાં ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં હુમલા ચાલુ રાખ્યા જ છે. તે સાથે ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહુએ ખુલ્લે આમ કહી દીધું છે કે અમે અમારૃં ધ્યેય સિધ્ધ કરવાના જ છીએ. અને હમાસે બંધક બનાવેલા તમામને છોડાવવાના જ છીએ અને હમાસ ઉપર સંપૂર્ણ વિજય મેળવવાના જ છીએ. તે અમારાં મુખ્ય ધ્યેયો છે. જે સિધ્ધ કરીશું જ.આ સાથે ઇઝરાયલે તો રફાહમાં ફરી આક્રમણ કરવાની પૂરી તૈયારીઓ કરી લીધી છે. તેણે ખાન યુનુસ શહેરમાંથી સેના હઠાવી લીધી છે, તેમ કહેવાય છે. પરંતુ વાસ્તવમાં સેના હઠાવવા પાછળનું તેનું કારણ તો ક્ષેત્રનું રી-ગુ્રપીંગ કરવાનું છે, તેમ પણ જાણવા મળ્યું છે.
તેની સેનાના વડા લેફ્ટ. જન. હેર્ઝા હેલેવીએ કહ્યું કે ગાઝામાં યુદ્ધ ચાલુ જ છે અમે તે રોકી પણ શકીએ તેમ નથી. જ્યારે લોકલ બ્રોડકાસ્ટ ચેનલ 13 ઝટ એ જણાવ્યું હતું કે ઇઝરાયલ રફાહ ઉપર ફરી હુમલો કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. સેના પાછી ખેંચવાની વાત તો માઈલો દૂર રહી છે.વાસ્તવમાં ગાઝા પટ્ટી પર ઇઝરાયલનું પ્રભુત્વ વધતું જાય છે. વાસ્તવમાં 7 ઓક્ટો. 2023ના દિને હમાસે તેલ અવીવમાં ચાલી રહેલા સંગીત કાર્યક્રમ દરમિયાન હમાસે 7 ઓક્ટો. 2023ના દિને હુમલો કરતાં 1300 જેટલા ઇઝરાયલી નાગરિકો માર્યા ગયા હતા અને 250 જેટલાને હમાસે બંધકો બનાવ્યા હતા,
- Advertisement -
હમાસની કબૂલાત: ઇઝરાયેલના 40 બંધકો જીવિત નથી
ગાજામાં સંઘર્ષ વિરામના પ્રયત્નો ચાલી રહયા છે ત્યારે હમાસે કબુલાત કરી છે કે ઇઝરાયેલના 40 બંધકો જીવતા નથી. અમેરિકાની કેન્દ્રીય જાસુસી સંસ્થા દ્વારા ગાજામાં ઇઝરાયેલના બંધકોને મુકત કરવા માટે એક સમજૂતી કરાવવાના પ્રયાસ કર્યા તે સમયે હમાસની કબૂલાત ચોંકાવનારી છે. મૃતકોમાં મહિલાઓ,બાળકો અને બીમાર વૃધ્ધોનો પણ સમાવેશ થાય છે. અમેરિકાએ અગાઉ છ સપ્તાહના યુધ્ધવિરામના બદલામાં બંધકોને મુકત કરવાનો પણ પ્રસ્તાવ રાખ્યો હતો. ઇઝરાયેલમાં બંધકના પરીવારજનો નેતન્યાહુ સરકાર પર હમાસના પંજામાથી સ્વજનોને છોડાવવાનું દબાણ કરી રહયા છે. નેતન્યાહુ સરકારના વિરોધમાં પ્રદર્શન પણ ખૂબ થયા છે. હવે ખૂદ હમાસે જ બંધકો જીવતા નહી હોવાની કબૂલાત કરતા પરીસ્થિતિ બદલાઇ ગઇ છે. હમાસ અને લેબનોનના આતંકી સંગઠન હિજબુલ્લાહને મદદ કરતું ઇરાન પણ સર્તક બન્યું છે ત્યારે મધ્ય પૂર્વમાં શાંતિ દોહલી બનતી જાય છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર ઇજિપ્તના કાહિરા ખાતે ઇઝરાયેલના મોસાદ પ્રમુખ, કતરના પીએમ, ઇજિપ્તની જાસૂસી એજન્સીના પ્રમુખ અને સીઆઇએના નિર્દેશક બિલ બર્ન્સ વચ્ચેની બેઠક પછી આ માહિતી બહાર આવી હતી. પ્રસ્તાવિત સમજૂતીમાં 700થી વધુ પેલેસ્ટાઇની કેદીઓને છોડવાનો સમાવેશ થતો હતો જે ઇઝરાયેલની વિવિધ જેલોમાં કેદ છે. આ કેદીઓમાંથી 100 ઉપર હત્યાના ગંભીર આરોપો છે.ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સ્પષ્ટ કરી ચુકયા છે કે જયાં સુધી બંધકોને મુકત કરવામાં નહી આવે ત્યાં સુધી કોઇ પણ પ્રકારની સમજૂતી થશે નહી.એટલું જ નહી કોઇ પણ પ્રકારના આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝુકશે પણ નહી.