પરિવારે મૃતદેહને ભારત મોકલવા માટે કેનેડિયન સરકાર પાસે મદદ માંગી
ખાસ-ખબર ન્યૂઝ વાનકુવર, તા.15
- Advertisement -
કેનેડાના વાનકુવરમાં 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થી ચિરાગ અંતિલની હત્યા કરવામાં આવી છે. વાનકુવર પોલીસે જણાવ્યું કે ચિરાગના પડોશીઓએ ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો. આ પછી પોલીસને તેની કારમાંથી મૃતદેહ મળ્યો હતો.
હાલ આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ચિરાગનો પરિવાર હરિયાણાના સોનીપતનો રહેવાસી છે. તેના મૃતદેહને ભારત લઈ જવા માટે તેમના પરિવારના સભ્યો ક્લાઉડ ફંડિંગ દ્વારા નાણાં એકત્ર કરી રહ્યા છે. તેમણે કેનેડાની સરકારને ચિરાગના મૃતદેહને ભારત મોકલવામાં મદદ કરવા માટે અપીલ કરી છે. કેનેડા પોલીસે હાલમાં કોઈની ધરપકડ કરી નથી. તેમણે આરોપીની ઓળખ કરવામાં નજીકના લોકોની મદદ માંગી છે. ચિરાગ 2 વર્ષ પહેલા સપ્ટેમ્બર 2022માં અભ્યાસ માટે કેનેડા ગયો હતો. તેણે હાલમાં કેનેડાની યુનિવર્સિટીમાંથી એમબીએ પૂર્ણ કર્યું હતું. આ પછી તેને વર્ક પરમિટ મળી હતી. ચિરાગના રૂૂમમેટે તેના પરિવારને તેના પુત્રના મૃત્યુ અંગેની જાણ કરી હતી.
રૂૂમમેટે જણાવ્યું કે, “ચિરાગ તેની 14 કલાકની શિફ્ટ પૂરી કરીને ઓફિસથી ઘરે પરત ફર્યો હતો. આ પછી તે ડિનર કરીને બહાર ફરવા ગયો હતો. તે જેવો જ તેની કારમાં બેઠો કે તરત જ કોઈએ તેને ગોળી મારી. અમને ખબર નથી કે આ કોણે કર્યું અને શા માટે કર્યું.”કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ ગજઞઈં ચીફ વરુણ ચૌધરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચિરાગના પરિવાર માટે વિદેશ મંત્રાલયને મદદની અપીલ કરી છે. વરુણે લખ્યું- અમે વિદેશ મંત્રાલયને અપીલ કરીએ છીએ કે તે તપાસ પર નજર રાખે અને ચિરાગના પરિવારની મદદ કરે. ભારતીય વિદ્યાર્થી ચિરાગને ન્યાય મળવો જોઈએ. ચિરાગના ભાઈ રોમીતે કેનેડાના સિટી ન્યૂઝને જણાવ્યું કે ચિરાગ ખૂબ જ ખુશમીજાજ છોકરો હતો. બધા સાથે તેના સારા સંબંધો હતા. ઘટનાના થોડા સમય પહેલા તેણે તેના પરિવારના સભ્યો સાથે વાત કરી હતી. તે ખૂબ જ શાંત હતો અને કોઈની સાથે ઝઘડો નહોતો કરતો.