શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે રૂ. 2,902 કરોડની જોગવાઈ
ગુજરાતનો બેરોજગારી દર માત્ર 1.1 ટકા હોવાનું મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન
- Advertisement -
રાજ્યના શ્રમિકોને રૂ.5માં પૌષ્ટિક ભોજન મળે તે માટે 300 નવાં કેન્દ્રો અને 500 ’ધન્વંતરિ આરોગ્ય રથ’ કાર્યરત કરાશે
ઈંઝઈંમાં ભણતી દીકરીઓને રૂ.24,000 સુધીની સહાય આપવા માતબર રકમની ફાળવણી
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
વિધાનસભામાં રજૂ કરાયેલા બજેટ સંદર્ભે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ રૂ. 2,902 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે કુલ રૂ. 4,08,053 કરોડનું ઐતિહાસિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. મંત્રી બાવળિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં વધારાના આશરે 1 કરોડ કુશળ માનવબળની જરૂરિયાતને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્કિલિંગ, રિસ્કિલિંગ અને અપસ્કિલિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સાથે જ શ્રમયોગીઓની સામાજિક સુરક્ષા અને કલ્યાણને ધ્યાનમાં રાખીને આ વર્ષનું બજેટ સમર્પિત કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાત આજે દેશના આર્થિક વિકાસનું મોડેલ રાજ્ય બન્યું છે. ભારત સરકારના પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (ઙકઋજ) મુજબ દેશમાં સરેરાશ બેરોજગારી દર 3.2 ટકા છે, જ્યારે ગુજરાતમાં આ દર માત્ર 1.1 ટકા જેટલો નીચો છે, જે રાજ્ય સરકારના અસરકારક પ્રયાસોને દર્શાવે છે. મહિલા શ્રમિકોની ભાગીદારીમાં ગુજરાત દેશભરમાં બીજા ક્રમે છે, જ્યારે પુરુષ શ્રમિકોની ભાગીદારીમાં રાજ્ય પ્રથમ સ્થાને છે.
રાજ્યમાં 29 શ્રમ કાયદાઓને એકીકૃત કરીને 4 નવી શ્રમ સંહિતાઓ (લેબર કોડ્સ) તા. 21 નવેમ્બર 2025થી અમલમાં મૂકવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું. આ સુધારાઓથી શ્રમિકોના અધિકારોનું રક્ષણ મજબૂત બનશે અને ઉદ્યોગો માટે ‘ઊફતય જ્ઞર ઉજ્ઞશક્ષલ ઇીતશક્ષયતત’માં વધારો થશે. શ્રમયોગીઓના કલ્યાણ માટે વિવિધ બોર્ડ દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ હાલ 11.40 લાખથી વધુ શ્રમિકો નોંધાયેલા છે. બાંધકામ શ્રમિકોને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ની સંખ્યા આગામી વર્ષે 500 સુધી વધારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેના માટે રૂ. 60 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ માત્ર રૂ. 5માં પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવા માટે નવા 300 કેન્દ્રો શરૂ કરવાની યોજના છે, જેના માટે રૂ. 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. યુવાધનને કૌશલ્ય આધારિત તાલીમ આપવા ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ માટે રૂ. 226 કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે ઈંઝઈં સંસ્થાઓના આધુનિકીકરણ માટે ‘પી.એમ. સેતુ’ યોજના હેઠળ રૂ. 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા ‘નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’ હેઠળ ઈંઝઈંમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને રૂ. 15,000 થી 24,000 સુધીની સહાય આપવામાં આવશે. આ યોજના માટે રૂ. 40 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું.
શ્રમ અને રોજગાર વિભાગ માટે અન્ય મહત્વના નિર્ણયો લેવાયા
બજેટ ફાળવણી: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ રૂ. 2,902 કરોડની જોગવાઈ
‘ઈ-શ્રમ’ પોર્ટલ: રાજ્યમાં 1.23 કરોડથી વધુ અસંગઠિત શ્રમયોગીઓની ‘ઈ-શ્રમ’ પોર્ટલ પર નોંધણી
મહિલા ઉત્કર્ષ: મહિલા બાંધકામ શ્રમિકો માટે રૂ. 37,500ની પ્રસૂતિ સહાય યોજના
સિલિકોસીસ પીડિતોને સહાય: અકીક અને પથ્થરના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમિકોને ગંભીર સિલિકોસીસ રોગની સારવાર માટે રૂ. 3 લાખ અને મૃત્યુના કિસ્સામાં વારસદારોને રૂ. 4 લાખ ની સહાય આપવાની જોગવાઈ
અગરીયાઓ માટે આવાસ: કામના સ્થળે વિષમ પરિસ્થિતિમાં રહેતા 2500 મીઠા અગરીયાઓને સોલાર પેનલ અને પાણીના ટાંકા સાથેના પોર્ટેબલ આવાસ પૂરા પાડવાનું આયોજન
મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના: બાંધકામ શ્રમિકની દીકરીના નામે રૂ. 25,000 ના બોન્ડ (ઋઉ) 18 વર્ષની મુદત માટે આપવામાં આવે છે, જેના માટે બજેટમાં રૂ. 2 કરોડની જોગવાઈ
શ્રમિક પરિવહન યોજના: શ્રમિકોને કડિયાનાકાથી કામના સ્થળે જવા માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મ્યુનિસિપલ બસ પાસના ખર્ચમાં 80 ટકા સહાય
ઈંઝઈં ઈન્ફ્રાસ્ટ્રક્ચર: રાજ્યની 16 આઈ.ટી.આઈ. ની નવી બિલ્ડિંગના બાંધકામ માટે રૂ. 97 કરોડ અને માળખાકીય સુવિધાઓના મજબૂતીકરણ માટે રૂ. 64 કરોડની જોગવાઈ
શ્રમ સેતુ પોર્ટલ: શ્રમિકોની ગ્રેચ્યુઇટી અને ઔદ્યોગિક વિવાદોની અરજીઓ ઓનલાઈન ઉકેલવા માટે ’કેસ એન્ડ ક્લેઈમ મેનેજમેન્ટ મોડ્યુલ’ વિકસાવાયું
અંત્યેષ્ઠિ સહાય: અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓની મરણોત્તર ક્રિયા માટે રૂ. 10,000ની સહાયની જોગવાઈ
સામાજિક સુરક્ષા: અકસ્માત મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં અસંગઠિત શ્રમયોગીઓને રૂ. 4 લાખ સુધીની સહાય



