બીમારીને કારણે દરરોજ 100થી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર: વિદ્યાર્થીઓની સ્વાસ્થ્યના નિયમિત ચકાસણી શરૂ કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળી બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં શાળાઓ તો શરૂ થઇ ગઈ છે, પરંતુ હજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા હોવાથી ‘દિવ્ય ભાસ્કરે’ શહેરના શાળા સંચાલકો સાથે વાતચીત કરતા અને વિદ્યાર્થીઓ ગેરહાજર રહેવાનું કારણ પૂછતાં મિશ્રઋતુમાં શાળાઓમાં એવરેજ 8થી 10 ટકા વિદ્યાર્થીઓ બીમાર હોવાને કારણે ગેરહાજર રહેતા હોવાનું બહાર આવ્યું હતું. શિયાળાની શરૂઆત છે ત્યારે બપોરે તડકો અને રાત્રે ઠંડી એમ મિશ્રઋતુમાં ખાસ કરીને નાના બાળકોમાં શરદી, ઉધરસ, તાવ અને વાઇરલ ઇન્ફેકશનના કિસ્સા વધુ જોવા મળ્યા હતા.
- Advertisement -
બાળકો બીમાર ન પડે તે માટે શાળા સંચાલકોએ વાલીઓને કર્યા સૂચના
– શક્ય હોય ત્યાં સુધી બાળકો હોટેલ કે બહારના જંક ફૂડથી દૂર રહે.
– બાળકો વધારે પડતા બિનજરૂરી ઉજાગરાથી દૂર રહે.
– બાળકો ટીવી સામે લાંબો સમય બેસી રહી, ખાવાનું કે ઠંડા પીણાઓ ચાલુ ન રાખે.
– સામાન્ય દિનચર્યા બાળકોની નિયમિત રીતે જળવાય રહે.
– બાળકો એકબીજાના વસ્ત્રો કે રૂમાલ / માસ્કનો ઉપયોગ ન કરે.
– ઠંડા પાણીના સાવર નીચે સ્નાન કરે તે કરતા હૂંફાળું પાણી વધારે યોગ્ય રહે.
– બપોરે અને રાત્રે ગરમ રસોઈ જમે, શક્ય હોય ત્યાં સુધી રાત્રે હળવો ખોરાક લે.
-ઋતુ કે શારીરિક જરૂરિયાત અનુસાર વસ્ત્રો પહેરવા વિશેષ જરૂરી બની રહે છે.
– સવારે હળદર/કેસરવાળું દૂધ લે, શિયાળામાં ઘરે બનાવેલી સૂંઠ-ગોળની ગોળીઓ લે.
– શાળા સંચાલકોએ કહ્યું, બાળકો નબળાઈ, ગાળામાં બળતરા જેવી ફરિયાદો કરે છે