ખાસ-ખબર સંવાદદાતા
તાલાલા ગીર તાલુકાના અનિડા ગીરના તમામ સમાજના નવયુવાનો દ્વારા જન્માષ્ટમી તહેવારમાં જરૂરિયાતમંદ પરિવારોના બાળકો ફરસાણ-મીઠાઈથી વંચિત ના રહે તે ભાવાર્થે 15 જેટલા પરિવારોને શુદ્ધ અને સાત્વિક ફરસાણ-મીઠાઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સદ્કાર્યમાં યુવાનોને પ્રોત્સાહિત કરવા તાલાલા પોલીસ સ્ટેશનના ઙજઈં એ.સી.સિંધવ સાહેબ,ભુલેશ્વરધામના કમલેશ્વરી બાપુ,ગામના સરપંચ,પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ તેમજ વડીલ આગેવાનો ઉપસ્થિત રહી કીટ વિતરણ કર્યું હતું.
તાલાલા તાલુકા અનિડા ગીરમાં જરૂરિયાતમંદોને ફરસાણ કીટ વિતરણ
