ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે એડવાઈઝરી જારી કરી કરતાં કહ્યું કે રાહુલ ગાંધી વડા પ્રધાન વિરુદ્ધ નિવેદનો કરવામાં સાવધાની રાખે અને સમજી વિચારીને શબ્દોનો ઉપયોગ કરે.
ચૂંટણી પંચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને સૂચના આપતા એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં તેમને પોતાના નિવેદનોને લઈને વધુ સાવચેત અને સાવધ રહેવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હી હાઈકોર્ટના આદેશ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનો પર તેની પ્રતિક્રિયા સહિત તમામ તથ્યોને ધ્યાનમાં લીધા બાદ ચૂંટણી પંચે આ એડવાઈઝરી જારી કરી છે.
- Advertisement -
Election Commission of India (ECI) issues an advisory to Congress MP Rahul Gandhi. After considering all facts in the matter related to certain remarks against Prime Minister, including Delhi High Court order and his reply, the Election Commission of India has advised him to be…
— ANI (@ANI) March 6, 2024
- Advertisement -
ભારતના ચૂંટણી પંચે બુધવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે એડવાઈઝરી જારી કરી છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીને સલાહ આપી છે કે તેઓ વડા પ્રધાન વિરુદ્ધ નિવેદનો કરવામાં સાવધાની રાખે અને સમજી વિચારીને કંઈક બોલે. અહેવાલ અનુસાર એવું ચૂંટણી પંચનું આ નિવેદન પીએમ મોદી સામે રાહુલ ગાંધીના ‘પનોતી’ અને ‘જેબકતરા’ જેવા શબ્દોના ઉપયોગ કર્યા બાદ આવ્યું છે.
જાણીતું છે કે આ અંગે ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ મોકલી હતી. જેની નોંધ લેતા ચૂંટણી પંચે 23 નવેમ્બર 2023ના રોજ કારણ બતાવો નોટિસ જારી કરી હતી. હવે આ અંગે રાહુલ ગાંધીના જવાબ બાદ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
BREAKING: After Delhi High Court last year had directed the Election Commission to act against Rahul Gandhi for his 'pickpocket' remark on PM Narendra Modi, Election Commission of India issues an advisory to Rahul Gandhi asking him to be careful about the remarks he makes. pic.twitter.com/z8eUtliHfJ
— Law Today (@LawTodayLive) March 6, 2024
દિલ્હી હાઈકોર્ટના 21 ડિસેમ્બર, 2023ના આદેશને અને આના પર રાહુલ ગાંધીના જવાબને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે કોંગ્રેસ પાર્ટીના નેતાને એડવાઈઝરી જારી કરી છે અને આ દરમિયાન ભવિષ્યમાં કોઈ પણ સંબોધન દરમિયાન એમને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને તેમની પાર્ટીના તમામ સ્તરના પ્રચારકો અને ઉમેદવારોને આ એડવાઈઝરી વિશે જણાવવા કહ્યું છે.
ગયા વર્ષે રાજસ્થાન ચૂંટણી પહેલા એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ‘પનોતી’ અને ‘જેબકતરા’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો હતો કે મોદી લોકોનું ધ્યાન હટાવી રહ્યા છે, જ્યારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી તેમના ખિસ્સા કાપી રહ્યા છે. હવે ચૂંટણી પંચને આ ટિપ્પણીઓ માટે રાહુલ ગાંધીને નોટિસ જારી કરતાં ભવિષ્યમાં તેમના સાર્વજનિક નિવેદનોમાં વધુ સાવચેત રહેવા જણાવ્યું છે.