રાજોપચાર પદ્ધતિથી થતી આરતીનું વિશેષ મહત્વ: આજે હજારો ભક્તો આરતીમાં જોડાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વાસીઓના સંકલ્પ સિદ્ધ કરતા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજ પ્રગટ પ્રમાણ અને હાજરાહજૂર બિરાજમાન છે એટલે કહેવાય છે કે મહાપ્રતાપી બાલાજી દાદા સત્ય છે ત્યારે આજના શનિવારના પવિત્ર દિવસે બાલાજી દાદાને રંગબેરંગી પુષ્પોનો દિવ્ય શણગાર કરાયો છે. આ દિવ્ય શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીં શનિવાર અને મંગળવારનું વિશેષ મહત્વ રહેલું છે. આ એવું મંદિર છે જ્યાં દાદાની રાજો ઉપચાર પદ્ધતિથી આરતી થાય છે. હજારો ભક્તો આ આરતીમાં જોડાય છે, આજે શનિવારે અહીં 50 હજારથી પણ વધારે ભક્તો દાદાના દર્શને આવે છે અને ધન્યતા અનુભવે છે. તો આપ પણ આજની સંધ્યા આરતીમાં પરિવાર સાથે પધારો અને દાદાની મહાઆરતીનો અલભ્ય લાભ લો. આરતીનો સમય સાંજે 6.45 નો રહેશે જેની ભાવિક ભક્તજનોએ નોંધ લેવી તેમ મંદિરની યાદીમાં જણાવાયું છે.