શ્રીરામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી રામનગરીમાં ઉત્સ્વ તેમજ ધાર્મિક અનુષ્ઠાનની ધૂમ રહેશે. સરયૂ તટ પર 2121 કુંડનો શ્રીરામ મહાયજ્ઞ યોજાશે. જેમાં શ્રીરામના વંશજ તરીકે ઓળખાતા લગભગ 10,000 રઘુવંશી વિભિન્ન રાજ્યોથી આવીને આહુતિ આપશે. આ આયોજનને ભવ્ય સ્વરૂપ આપવા માટે લગભગ એખ મહિનાથી સરયૂ તટ પર 60 એકર જમીનમાં હવન કુંડ તેમજ ટેન્ટ સિટી બનાવી રહ્યા છે.
મધ્યપ્રદેશ અખંડ રઘુવંશી સમાજ કલ્યાણ મહાપરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ હરિશંકર સિંહ રઘુવંશીએ જણાવ્યું કે, હવે 2121 કુંડી મહાયજ્ઞ સરયૂ તટ પર 10થી 18 ફેબ્રુઆરીના યોજાશે. જેમાં સંગઠન સિવાય ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર તેમજ હિમાચલ પ્રદેશમાં ફેલાયેલા રઘુવંશી સમાજના લોકો સામેલ થશે. જેમાંના 9 યજમાનોનું શુદ્ધિકરણ કરવામાં આવશે. યજ્ઞ કરવા માટે બનારસથી એક પ્રધાન આચાર્ય તેમજ 1,000 સહાયક આચાર્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પરિસરમાં બનેલા ટેન્ટ સિટીમાં લોકો નિવાસ કરશે. મહાયજ્ઞમાં દેશના સંત-મહંત તેમજ રાજનૈતિક લોકો સામેલ થશે.
- Advertisement -
મહાયજ્ઞમાં નેપાળના 21 હજાર પંડિત સામેલ થશે
સરયૂ તટ પર 14થી 25 ફેબ્રુઆરી સુધી શ્રીરામનામ મહાયજ્ઞનું ભવ્ય આયોજન થવા જઇ રહ્યું છે. આ બૃહદ અનુષ્ઠાન સંત આથ્માનંદ દાસ મહાત્યાગી નેપાળી બાબાના સંયોજનમાં થવા જઇ રહ્યો છે. જેના માટે 1008 નર્મદેશ્વર શિવલિંગની સ્થાપના કરવા માટે 1008 કુંડી બનાવવામાં આવશે. જેમાં 11 માળનો યજ્ઞ મંડપ બનાવવામાં આવ્યો છે, જેમાં 100 કુંડ છે. યજ્ઞમાં નેપાળના 21, 000 પંડિત સામેલ થશે. 17થી રામાયણના 24,000 શ્લોકોથી હવન શરૂ થશે, જે 25 જાન્યુઆરી સુધી ચાલશે. નેપાળી બાબાએ જણાવ્યું કે, 50,000 શ્રદ્ધાળુઓને રોકાવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેની સાથે જ દરેક દિવસે લગભગ 1 લાખ શ્રદ્ધાળુઓ ભોજન કરશે.