By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    10 hours ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    2 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    2 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    3 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં આજથી નવતપા
    7 hours ago
    ઈરાન-અમેરિકા યુદ્ધ સમાપ્તીનું કોકડું ગૂંચવાયું
    7 hours ago
    સેન્ટિમેન્ટલ ન બનો…!, કોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર; CBI તપાસની હતી માંગ
    9 hours ago
    દુ:ખની વાત છે કે તમે કંઈ શીખ્યા જ નથી: NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA-સરકારનો ઉધડો લીધો
    10 hours ago
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    10 hours ago
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    2 days ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    2 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    3 days ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે પરમહંસ યોગાનંદજીના યોગદાનનું સ્મરણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે પરમહંસ યોગાનંદજીના યોગદાનનું સ્મરણ
ધર્મ

સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે પરમહંસ યોગાનંદજીના યોગદાનનું સ્મરણ

Khaskhabar Editor
Last updated: 2021/06/19 at 4:05 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

જગદીપ એમ જોશી
– ચેરમેન
યોગદા સત્સંગ ધ્યાન કેન્દ્ર રાજકોટ

પરમહંસ યોગાનંદજીનું બાળપણનું નામ મુકુંદલાલ ઘોષ હતું. તેમનો જન્મ 5મી જાન્યુઆરી 1893ના રોજ ભારતના ગોરખપુરમાં એક ધનાઢય અને ધર્મપરાયણ બંગાળી પરિવારમાં થયો હતો. તેઓની નિકટના દરેક વ્યક્તિને એ વાતની ખાત્રી થઈ ગઈ હતી કે તેઓની ચેતના અને આધ્યાત્મિક અનુભવો સામાન્ય વ્યક્તિ માટે સહજ ન હતા. યુવાવસ્થામાં જ તેઓ ભારતના એવા મહાન સંતો અને તત્વજ્ઞાનીઓના સંપર્કમાં આવ્યા હતા કે જેઓ તેમની આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષી શકે. 1910ના વર્ષમાં માત્ર 17 વર્ષની ઉંમરે તેઓની મુલાકાત ઈશ્વરતુલ્ય સંત શ્રીયુકતેશ્વરગીરી સાથે થઈ હતી. તેઓના આશ્રમમાં યોગાનંદજીએ યોગસાધનામાં પોતાના જીવનના અમૂલ્ય દસ વર્ષ વિતાવ્યા હતા. વર્ષ 1915માં કલકત્તા વિશ્વ વિદ્યાલયમાંથી સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેઓ ’સ્વામી’ પદ પ્રાપ્ત કરી અને વિધિવત સન્યાસી બન્યા અને યોગાનંદ (યોગ દ્વારા આનંદ) નામ ધારણ કર્યુ.

- Advertisement -

યોગાનંદજીએ પોતાના જીવન કાર્યની શરૂઆત 1917માં એક શાળાની સ્થાપના દ્વારા કરી જે શાળા ’જીવન કેવી રીતે જીવવું જોઈએ’ના સિદ્ધાંત આધારિત છે. આ શાળામાં આધુનિક શિક્ષણ પધ્ધતિ, યોગની તાલીમ અને આધ્યાત્મિક આદર્શનો સંગમ હતો. આ શાળા પાછળથી ’યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયા’ (YSS) બની. આ સંસ્થા યોગાનંદજી દ્વારા 1920માં સ્થપાયેલ સંસ્થા ’સેલ્ફ રીએલાઈસેશન ફેલોશિપ’ (SRF)ના આંતરરાષ્ટ્રીય મુખ્યમથક લોસએન્જેલસ અમેરિકાની ભારતીય શાખા છે.

અમેરિકામાં પરમહંસ યોગનંદજીએ પોતાના યોગજ્ઞાનને અપૂર્વ જુસ્સા અને સચોટતાપૂર્વક રજૂ કર્યું કે જેથી વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા પશ્ચિમના લોકો સ્વીકૃતિ પામે. આ દિવ્ય જ્ઞાન વડે ઘણા લોકો ઈશ્વરના સાનિધ્યમાં આવ્યા. યોગાનંદે પૂર્વના યોગ વિજ્ઞાનને પશ્ચિમ જગતમાં એવી રીતે ફેલાવ્યું કે જેથી તેઓને ખરા અર્થમાં પશ્ચિમમાં યોગ વિજ્ઞાનની શરૂઆત કરાવનાર એવા પશ્ચિમના યોગ ગુરુ કહેવામાં આવે છે. આ માટે તેમનું મહત્ત્વનું અને આધારભૂત યોગદાન રહ્યું છે.

પરમહંસ યોગાનંદજી દ્વારા યોગ વર્ગોમાં તેમના શિષ્યોને આપવામાં આવેલાં વ્યક્તિગત માર્ગદર્શન અને ધ્યાનની પદ્ધતિઓને જિજ્ઞાસુઓના ગૃહ અભ્યાસ માટે શ્રેણીબધ્ધ પાઠમાળાના પાઠો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પાઠોમાં શ્રી યોગાનંદજીએ શીખવેલાં આધ્યાત્મિક જીવન જીવવાની કળા અને ક્રિયાયોગ પરની ધ્યાનની પદ્ધતિઓ બતાવવામાં આવેલી છે.

- Advertisement -

આજે પરમહંસ યોગાનંદજીની સંસ્થા વાયએસએસ / એસઆરએફ વટવૃક્ષ બની છે અને સમગ્ર વિશ્વમાં 500થી વધુ મંદિરો, ધ્યાન કેન્દ્રો, આશ્રમો અને ધ્યાન મંડળીઓ ધરાવે છે. પરમહંસ યોગાનંદજીનું વિશ્વમાં સૌથી વધુ વેચાતું આધ્યાત્મિક પુસ્તક ’યોગી કથામૃત’ – એક યોગીની આત્મકથા વિશ્વની 50થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ બન્યું છે. 75 વર્ષથી વિશ્વને સતત આધ્યાત્મિક યોગનો પરિચય કરાવી રહ્યું છે. માનવ સેવાના આદર્શોને અગ્રીમતા આપી ઢજજ દ્વારા અત્યારે સમાજના ઉત્કર્ષ માટે અસંખ્ય શૈક્ષણિક અને દાન આધારિત સંસ્થાઓ કાર્યરત છે.

7મી માર્ચ 1952ના રોજ લોસએન્જેલસ, કેલિફોર્નિયામાં ભારતીય રાજદૂત શ્રી વિનય રંજન સેનના સન્માનમાં આયોજિત પ્રીતિ ભોજ પ્રસંગે યોગાનંદજીએ એક યાદગાર અને ઈશ્વરાભિમુખ પ્રવચન આપ્યું અને ત્યારબાદ મહાસમાધિમાં પ્રવેશી ઈશ્વર સાથે એકાકાર થઈ ગયા. તેઓની મહાસમાધિના સમાચારને પ્રખ્યાત અખબારો જેવા કે ધ ન્યૂયોર્ક ટાઈમ્સ, ધ લોસએંજલીસ ટાઈમ્સ અને ટાઇમ મેગેઝીને વિશેષ સ્થાન આપી પ્રસિદ્ધ કર્યા હતાં. શ્રી હેરી ટી રોવ જેઓ લોસ એન્જેલસના ફોરેસ્ટ લોન મેમોરિયલ પાર્કના શબગૃહનાં ડિરેક્ટર હતા, અહીં યોગાનંદજીનું પાર્થિવ શરીર અંતિમક્રિયા પૂર્વે થોડા દિવસો રાખવામાં આવ્યું હતું. તેમણે નોટરી દ્વારા પ્રમાણિત કરેલ એક પત્ર મોકલ્યો હતો તેનો સાર એ મુજબ છે કે, “પરમહંસ યોગાનંદજીના મૃત શરીરમાં વિકારના કોઈપણ દેખીતા લક્ષણો જણાયા નથી. એ અમારા અનુભવનો એક અલૌકિક બનાવ છે. મૃત્યુ પછીના વીસ દિવસ પછી પણ તેમના શરીરમાં કોઇ વિક્રિયતા જણાઈ નથી.”

વર્ષ 1977માં શ્રી પરમહંસ યોગાનંદજીની મહાસમાધિની 25મી વર્ષગાંઠ નિમિત્તે ભારત સરકારે તેઓના સંમાનાર્થે અને તેઓએ માનવતાના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે કરેલા અપૂર્વ યોગદાન બદલ ટપાલ ટિકિટ પ્રસિધ્ધ કરી હતી. આ ઉપરાંત માર્ચ 2017માં યોગદા સત્સંગ સોસાયટીની સ્થાપનાની શતાબ્દી પ્રસંગે સંસ્થાની અભૂતપૂર્વ આધ્યાત્મિક સિદ્ધિઓને બિરદાવવા ભારત સરકારે બીજી ટપાલ ટિકિટ પણ પ્રસિધ્ધ કરી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તારીખ 7મી માર્ચ 2017ના રોજ ’વિજ્ઞાન ભવન’ નવી દિલ્હી ખાતે આ ટપાલ ટિકિટનું લોકાર્પણ કરતા જણાવ્યું કે પરમહંસ યોગાનંદજીના જીવન પર દ્રષ્ટિ કરતાં જણાય છે કે તેઓએ બાહ્ય સ્વતંત્રતા તરફ ભાર ન આપતા આંતરિક યાત્રા તરફ ધ્યાન કેન્દ્રિત કરેલ હતું. જડ માન્યતાઓને દૂર કરી તેઓએ આધ્યાત્મિકતાને સહજ ઉપલબ્ધ અને જીવન પરિવર્તનશીલ બનાવી જે સો વર્ષમાં તેમણે શરૂ કરેલ કાર્ય વૈશ્વિક ચળવળ અને નિરંતર આધ્યાત્મિક સમજનો સ્ત્રોત બની ગયું છે. તેઓની 125મી વર્ષગાંઠ પ્રસંગે ભારત સરકારે શ્રી પરમહંસ યોગાનંદજીને શ્રદ્ધાંજલિ પાઠવતા રૂપિયા 125નો સિક્કો લોકાર્પિત કર્યો હતો. આ સમારોહ નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનના પ્રમુખ પદે નવી દિલ્હીના કેન્દ્રીય સચિવાલય ખાતે 29મી ઓક્ટોબર 2019ના રોજ યોજાયેલ હતો.

પરમહંસ યોગનંદજીએ પોતાના સમગ્ર જીવનને પૂર્વ-પશ્ચિમની એકતા માટે તેમજ વ્યક્તિનું ઈશ્વર સાથે ઐક્ય સાધી શાંતિનું સામ્રાજ્ય સ્થાપવા માટે સમર્પિત કરેલ હતું. યોગાનંદજી એ પોતાની આત્મકથા ’યોગી કથામૃત’ – એક યોગીની આત્મકથામાં કહ્યું છે કે ’વિશ્વ બંધુત્વ’ એક મહાન વિચાર છે, પરંતુ માણસે પોતાની સહાનુભૂતિને વિસ્તારીને પોતાની જાતને વિશ્વમાનવ સ્વરૂપે વિકસાવવાની છે. તેઓ કે જે સાચી રીતે જાણે છે કે આ મારુ અમેરિકા, મારુ ભારત, મારુ ફિલિપાઇન્સ, મારું યુરોપ, મારું આફ્રિકા વગેરે માટે સુખી અને ઉન્નત જીવનની તક ક્યારેક ઓછી નહીં હોય. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે YSS દ્વારા ત્રિદીવસીય ઓનલાઇન કાર્યક્રમોનું આયોજન કરેલ છે, જેમાં યોગ આધ્યાત્મના પરિચય સાથે એક યોગીની આત્મકથા પુસ્તકની Free EBook આપવામાં આવશે. વધુ માહિતી માટે yssi.org/Yoga-Eng વેબસાઈટની મુલાકાત લેવી.

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શહેરમાં વરસાદથી તંત્રની પ્રી-મોન્સૂનની પોલ ખૂલી
Next Article ગોંડલ શહેરમાં ભારે વરસાદને લઈને અંડર બ્રિજમાં પાણી ભરાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
વાંકાનેરની દેવદયામાં છ કલાકમાં સૌથી વધુ ત્રાંસી આંખના ઓપરેશન કરી રેકોર્ડ કરવામાં આવ્યો
હળવદના દેવીપુર નજીક ટ્રેકટર ચાલકના મોત મામલે એસટી બસના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ
ગુજરાતી રંગભૂમિ પર પ્રથમવાર રચાશે નવો ઇતિહાસ: રાજકોટમાં ‘અસરદાર પાટીદાર’ બ્રોડવે શૉનો ભવ્ય પ્રિમિયર
વાંકાનેર-સુરેન્દ્રનગર રૂટ પર લોકલ ટ્રેન અને અમદાવાદ માટે ‘નમો ભારત’ ટ્રેન શરૂ કરવા માગ
જિ.પં.ના પ્રમુખ પદે સંજય પીપળિયા અને ઉપપ્રમુખ પદે સામત બાંભવા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?