પૌરાણિક કથાઓ અનુસાર મંદિરમાં દર્શન કર્યાં બાદ થોડીવાર મંદિરનાં પરિસરમાં બેસીને કેટલાક મંત્રોનો જાપ કરવો જોઈએ.
મંદિરમાં દર્શન કર્યાં બાદ તમે જોયું હશે કે કેટલાક લોકો મંદિરનાં ઓટલે અથવા તો પગથિયાં પર બેસતાં હોય છે. હિંદૂ ધર્મમાં આ પ્રાચીન પરંપરાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૌરાણિક કથાઓ અનુસાર મંદિરનાં પરિસરમાં શાંતિથી બેસીને એક શ્લોલનો પાઠ કરવો જોઈએ. જો કે આજકાલ લોકો આ શ્લોકને ભૂલી ગયાં છે. અન્ય વિચારોમાં મન લગાવ્યાં વિના આ શ્લોકનો પાઠ કરવું જોઈએ.
- Advertisement -
આ શ્લોક છે,
“अनायासेन मरणम्, बिना देन्येन जीवनम्।
देहान्त तव सानिध्यम्, देहि मे परमेश्वरम्॥”
અર્થ:
अनायासेन मरणम् નો અર્થ છે કે મૃત્યુ મુશ્કેલી વગર આવે. અમને અંતકાળે પલંગને ન પકડવું પડે. હે ઈશ્વર અમને કોઈપણ પ્રકારનાં કષ્ટ વિના પોતાની પાસે બોલાવી લેજો, અમારો જીવ હાલતા-ચાલતાં જ નિકળી જાય એટલે કે શારીરિક આપત્તિ વિના જીવ જાય.