કોરોનાની બીજી લહેરને લઈને સંક્રમણ વધે નહિ તે માટે દર્શનાર્થીઓ માટે બંધ કરાયેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે પૂજ્ય જલારામબાપાની જગ્યાના મંગલ દ્વાર સોશ્યલ ડિસ્ટન્સના સરકારી નિયમોને આધીન 14 જૂન થી શ્રદ્ધાળુઓ માટે ખુલા મુકાયા હતા પરંતુ અન્નક્ષેત્ર બંધ હતું, જે પૂજ્ય બાપાની જગ્યામાં આવતી કાલે ભાવિકો માટે અન્નક્ષેત્રના દ્વાર ખુલ્લા મુકાયા.
- Advertisement -
‘દેને કો ટુકડા ભલા લેને કો હરી કા નામ” સૂત્રને જીવનમંત્ર બનાવનાર પૂજ્ય જલારામબાપાની જગ્યા બસો વર્ષથી શ્રદ્ધાળુઓ માટે ક્યારેય બંધ રહ્યું ન હતું. પરંતુ કોરોના મહામારીના કારણે લોકદર્શનાર્થે બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ સંક્રમણનું પ્રમાણ ઓછું થતા જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાએ 14 જૂને પૂજ્ય જલારામ બાપાની જગ્યાના દ્વાર ફરી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
જેમાં દર્શન અને ભોજન પ્રસાદ માટે સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલનની અને સેનિટેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલ માનકેશ્વર મંદિરની બાજુમાં રજીસ્ટ્રેશન કાર્યાલયેથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનીટાઈઝ ચેમ્બરમાં સેનેટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ કરી મળશે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે.
દર્શનનો સમય સવારે ૭-૦૦ વાગ્યાથી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી ત્યારબાદ ૧-૦૦ વાગ્યાથી ૩-૦૦ વાગ્યા સુધી વિરામ અને ૩-૦૦ વાગ્યાથી સાંજના ૭-૦૦ વાગ્યા સુધી ત્યાર બાદ અડધો કલાક આરતી જેમાં કોઈ દર્શનર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહિ અને ૭:૩૦ થી રાત્રીના ૯-૦૦ વાગ્યા સુધી દર્શન કરી શકાશે.
- Advertisement -
જ્યારે અન્નક્ષેત્રમાં પ્રસાદનો સમય સવારે ૧૦-૦૦ થી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી અને સાંજે ૬:૩૦થી રાત્રીના ૮:૩૦ વાગ્યા સુધી પ્રસાદ લઈ શકાશે.આવતી કાલ સવારથી રેલવે સ્ટેશન રોડ પર આવેલ પૂજ્ય જલારામબાપા ધર્મશાળાની જગ્યામાં ભાવિકો માટે અન્નક્ષેત્રના દ્વાર ખોલવામાં આવશે અને ભાવિકો પૂજ્ય જલારામ બાપાની પ્રસાદ લઈને ધન્ય થશે.