ઇસરોએ ગગનયાનના યાત્રીઓ ચૂંટી કાઢ્યા
એસ્ટ્રોનોટ્સના નામ જાહેર નથી કરાયાં, પરંતુ બેંગલુરુ પાસેના એસ્ટ્રોનોટ્સ ટ્રેનિંગ સેન્ટરમાં તેમને તાલીમ અપાઈ રહી છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ચંદ્રયાનની સફળતા પછી ઇસરો હવે ‘ગગનયાન’ની તૈયારી કરી રહ્યું છે. ઇસરોએ તે માટે ‘એસ્ટ્રોનટ્સ’ પણ ચૂંટી કાઢ્યા છે. જો કે સ્પેસ એજન્સીએ આ અંગે કશું કહ્યું નથી પરંતુ ભારતીય વાયુસેનાના એક વિડિયો ઉપરથી આ અંગેનો સંકેત મળી રહ્યો છે. ઈંઅઋ દ્વારા તેની 91મી જયંતિએ માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ “ડ” (પૂર્વેના ટ્વિટર) ઉપર એક વિડિયો વહેતો મુક્યો છે. 11 મિનિટ્સના આ વિડિયોમાં વાયુસેનાની સિદ્ધિઓ વર્ણવવામાં આવી છે. મહત્ત્વની વાત તે છે કે આ વિડિયોમાં વાયુસેનાના 3 જવાનોની ઝલક પણ દર્શાવાઈ છે. કે જેમને ‘ગગનયાન’ માટે ચૂંટી કઢાયા છે. આ ત્રણે જવાનો તે માટે તૈયારીઓ કરતા દેખાય છે.
જો કે, સુરક્ષાની દ્રષ્ટિએ એસ્ટ્રોનટસના નામ કે અન્ય કોઈ ઓળખાણ જાહેર કરાયા નથી. ઇસરોએ જણાવ્યું છે કે, બેંગલુરૂ પાસેની એસ્ટ્રોનેટ્સ ટ્રેનિંગ ફેસિલીટીમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એસ્ટ્રોનોટ્સ માટેના મોડયુલમાં શૈક્ષણિક પાઠયક્રમ, ગગનયાન ઉડાણ પ્રણાલી, પેરાબોલિક ઉડાણોના માધ્યમથી સૂક્ષ્મ ગુરૂત્વાકર્ષણનો પરિચય, એરો મેડિકલ પ્રશિક્ષણ, વાપસી અને પુનર્વાસ પ્રશિક્ષણ (ટ્રેનિંગ), ઉડ્ડયન પ્રક્રિયાઓમાં આવડત મેળવવી, ચાલકદલ પ્રશિક્ષણ, તથા સિમ્યુલેટર પરની ટ્રેનિંગ સામેલ છે.
તે ઉપરાંત હવાઈ ચિકિત્સા ટ્રેનિંગ, આવધિક ઉડયન અભ્યાસ અને યોગને પણ સામેલ કરવામાં આવેલ છે. સૌથી મહત્ત્વની વાત તો તે છે કે ઇસરો આ મિશનમાં માનવ સુરક્ષા ઉપર ભાર મૂકે છે. સ્પેસ એજન્સી વધુમાં જણાવે છે કે, આ સાથે કેટલીયે આધુનિક ટેકનિક વિકસિત કરાઈ રહી છે.
ગગનયાન મિશન 2024માં લોન્ચ થશે તેમ મનાય છે. તે સાથે માનવીને અંતરિક્ષ મોકલનાર ભારત ચોથો દેશ હશે. આ સૂચિમાં રશિયા અમેરિકા અને ચીન છે. પહેલા માનવ રહિત ગગનયાન મોકલાશે તે પછી 3 એસ્ટ્રોનોટ્સ માટેની સુવિધા સાથેનું ગગનયાન તેના 3 દિવસના મિશન દરમિયાન 400 કી.મી.ની ઓર્બિટમાં મોકલવામાં આવશે.
દરમિયાન ચંદ્રયાન અંગે ‘ઇસરો’ને ખુશખબર મળ્યા છે કે તેનો ‘પે લોડ’ હજી પણ કામ કરી રહ્યો છે. ઇસરોના ચીફ સોમનાથે આ માહિતી આપતા જણાવ્યું છે કે, ચંદ્રયાન-3ના રોવર ’પ્રજ્ઞાને’ એ કામ કરી આપ્યું છે કે, જેની આશા રખાતી હતી. સોમનાથ ગુજરાતના સોમનાથ મંદિરમાં દર્શન કરવા ગયા હતા ત્યાં પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે, ’હવે ઇસરો એક્સ પીઓ સેટ’ કિંવા એક્સરે પોલારમીટર ઉપગ્રહ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. તે નવેમ્બર કે ડિસેમ્બરમાં અંતરિક્ષ સ્થિત કરાશે.
ચંદ્ર ઉપર ‘સૂર્યોદય’ થતા ચંદ્રયાન-3ના સૌર-ઊર્જાથી સંચાલિત લેન્ડર વિક્રમ અને રોવર ‘પ્રજ્ઞાન’ સાથે સંપર્ક સાધી તેમને સક્રિય કરવા પ્રયાસો હાથ ધરાશે.