પુતિનની પ્રાઈવેટ મિલિશિયા વૈગનર ગ્રુપે બળવો કરવાનો નિર્ણય લીધો, ક્રેમલિનની સુરક્ષા માટે મોસ્કોમાં ટેન્ક તૈનાત કરવાની માહિતી
રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સૌથી મોટી મુશ્કેલીમાં છે. એવી આશંકા છે કે, રશિયામાં બળવો થઈ શકે છે. આ સાથે ક્રેમલિનની સુરક્ષા માટે મોસ્કોમાં ટેન્ક તૈનાત કરવાની માહિતી મળી છે. સમાચાર એજન્સી TASS એ એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે, સેન્ટ્રલ મોસ્કોમાં શનિવારે વહેલી સવારે લશ્કરી વાહનો જોવા મળ્યા હતા.
- Advertisement -
વૈગનર ગ્રુપે જ પોકાર્યો બળવો
મીડિયા અહેવાલો મુજબ પુતિનની પ્રાઈવેટ મિલિશિયા વૈગનર ગ્રુપે બળવો કરવાનો નિર્ણય લીધો છે. વૈગનર ગ્રુપ અને રશિયન સૈન્ય વચ્ચે તણાવ ઉભો થયો છે. રશિયા સાથે જોડાયેલા આતંકવાદી જૂથના નેતા યેવજેની પ્રિગોઝિને મોસ્કોને સજા કરવાની અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિનને વૈગનરના બોસ યેવજેની પ્રિગોઝિન દ્વારા સશસ્ત્ર બળવાના પ્રયાસ વિશે નિયમિતપણે માહિતી આપવામાં આવે છે. ક્રેમલિને કહ્યું કે,.પુતિનને આ મામલે સંરક્ષણ મંત્રાલય, આંતરિક બાબતોના મંત્રાલય અને નેશનલ ગાર્ડ પાસેથી સતત માહિતી મળી રહી છે.
વૈગનરના લીડરે કહ્યું અમે મોસ્કો જઈ રહ્યા છીએ…..
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વૈગનર ગ્રુપના લીડર યેવજેની પ્રિગોઝિને યુક્રેનના બખ્મુતમાં વેગનર ટ્રેનિંગ કેમ્પ પર મિસાઈલ હુમલા માટે ક્રેમલિનને જવાબદાર ગણાવ્યું છે. આ હુમલામાં વેગનરના ઘણા લડવૈયા માર્યા ગયા હતા. પ્રિગોઝિને શપથ લીધા, “અમે મોસ્કો જઈ રહ્યા છીએ, અને જે કોઈ અમારા કેન્દ્રોમાં પ્રવેશ કરશે તેને જવાબદાર ગણવામાં આવશે.”
વૈગનર ગ્રુપના પ્રવક્તાઓ દ્વારા બહાર પાડવામાં આવેલા ઑડિયો સંદેશાઓની શ્રેણીમાં પ્રિગોઝિને કહ્યું, તેઓએ (રશિયાની સૈન્ય) અમારા શિબિરો પર મિસાઈલ હુમલા કર્યા, જેમાં મોટી સંખ્યામાં અમારા લડવૈયાઓ, અમારા સાથીઓ માર્યા ગયા. તેમણે કહ્યું, ‘પીએમસી વૈગનરની કાઉન્સિલ ઓફ કમાન્ડરોએ નિર્ણય લીધો છે. દેશની સૈન્ય નેતૃત્વ જે દુષ્ટતા લાવે છે તે બંધ થવી જોઈએ.’ આ સાથે કહ્યું, કે, જે કોઈ પ્રતિકાર કરશે-અમે તેને ખતરો ગણીશું અને તરત જ તેનો નાશ કરીશું. આપણે આ સમસ્યાનો અંત લાવવાની જરૂર છે. આ લશ્કરી બળવા નથી, પરંતુ ન્યાયની કૂચ છે.
- Advertisement -
અમારા 25 હજાર સૈનિકો મરવા માટે તૈયાર છેઃ વૈગનર ગ્રુપ
વૈગનર ગ્રૂપના વડાએ જણાવ્યું હતું કે, તેમના દળો દક્ષિણ સરહદી વિસ્તારમાં પ્રવેશ્યા હતા, વૈગનરના દળોએ રોસ્ટોવમાં સધર્ન મિલિટરી ડિસ્ટ્રિક્ટ બિલ્ડિંગ પર કબજો મેળવ્યો હતો. તેણે યુદ્ધની ઘોષણા કરવાની શૈલીમાં એમ પણ કહ્યું કે તેની 25,000 મજબૂત સેના મરવા માટે તૈયાર છે. જે બાદ રોસ્ટોવમાં રશિયન સત્તાવાળાઓએ લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. દરમિયાન લિપેટ્સકના ગવર્નરે કહ્યું કે અધિકારીઓએ સુરક્ષા તકેદારી વધારવાનો નિર્ણય કર્યો છે.
Those are not Russian National Guard troops. That looks like Wagner troops entering the SMD HQ. pic.twitter.com/AC2wxAcBmJ
— Alexander S. Vindman ❎ (@AVindman) June 24, 2023
યેવજેની પ્રિગોઝિને ડુમાની તકેદારી વધારી
યેવજેની પ્રિગોઝિને વૈગનર જૂથના આ પ્રયાસને ન્યાય માટેની લડત ગણાવી. તે ઉભરી આવ્યું છે કે, વૈગનર જૂથના લડવૈયાઓ નોવોચેરકાસ્કના માર્ગ પર પ્રથમ ચેકપોઇન્ટ પસાર કરી ચૂક્યા છે. રશિયન સૈન્યનું મુખ્ય મથક નોવોચેરકાસ્કમાં છે. મોસ્કોની શેરીઓમાં સશસ્ત્ર વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, રશિયન સ્પેશિયલ ફોર્સે મોસ્કોની આસપાસ નાકાબંધી કરી દીધી છે. રશિયન લશ્કરી અધિકારીઓ ક્રેમલિન અને ડુમા, રશિયાની સંસદને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.આ તરફ રશિયન પુતિન વિરોધી નેતા મિખાઈલ ખોડોરકોવ્સ્કીએ રશિયનોને વૈગનરના વડા યેવજેની પ્રિગોઝિનને ટેકો આપવા વિનંતી કરી છે. યેવગાનીએ મોસ્કોના લશ્કરી નેતૃત્વનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેણે કહ્યું કે જો તેણે (વૈગનરે) ક્રેમલિન પર કબજો કરવાનો નિર્ણય લીધો છે તો તેને શેતાનને મારવાની હદ સુધી સમર્થન આપો. લોકોને અપીલ કરતાં તેણે કહ્યું કે, આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોસ્કોના મેયર કહે છે કે, સુરક્ષાને મજબૂત કરવા માટે આતંકવાદ વિરોધી પગલાં લેવામાં આવી રહ્યા છે, જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. વોરોનેઝ અને લિપેટ્સક પ્રદેશોમાં એફએસબી (ફેડરલ સિક્યુરિટી સર્વિસ)ની ઓફિસો ખાલી કરાવવામાં આવી રહી છે. તેઓ રોસ્ટોવથી મોસ્કો જઈ રહ્યા છે.
વૈગનર ગ્રુપની રચના ક્યારે થઈ ?
વૈગનર ગ્રુપ એ રશિયન ખાનગી લશ્કરી કંપની છે, જે સમગ્ર વિશ્વમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રશિયાની તરફેણ કરે છે. આ ગ્રુપની રચના 10 વર્ષ પહેલા એટલે કે 2013માં કરવામાં આવી હતી. 2022માં આ જૂથ એક કંપની તરીકે નોંધાયેલ છે. તેનું મુખ્ય મથક સેન્ટ પીટર્સબર્ગમાં છે. યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ અનુસાર આમાં 80 ટકાથી વધુ લોકો ગુનેગાર છે. તેમની વચ્ચે ભૂતપૂર્વ સૈનિકો પણ છે. વૈગનર ગ્રુપ પોતાને રાષ્ટ્રવાદી સંગઠન કહે છે. તેમનું કહેવું છે કે, આ સંસ્થામાં દેશની સેવા કરવાની ભાવના ધરાવતા સામાન્ય લોકોની પણ ભરતી કરવામાં આવે છે. યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલનું માનવું છે કે, હાલમાં યુક્રેનમાં લગભગ 50 હજાર વૈગનર્સ કામ કરી રહ્યા છે. જોકે મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે સીરિયાઅફઘાનિસ્તાનના લડવૈયાઓ જેવા અન્ય દેશોના લોકો પણ આ જૂથમાં જોડાઈ રહ્યા છે. આ એવા લોકો છે જેઓ પોતાનું ગુજરાન ચલાવવામાં પણ અસમર્થ છે. આવા લોકો યુક્રેનમાં આ યુદ્ધમાં રોકાયેલા છે.
કિંગપિન યેવજેની પ્રિગોઝિન કોણ છે ?
વૈગનર ગ્રૂપના નેતા યેવજેની વિક્ટોરોવિચ પ્રિગોઝિન ઘોષિત ગુનેગાર છે. અનેક મોટા ગુનાઓમાં વોન્ટેડ હતો. તેને જેલ થઈ. ત્યાંથી મુક્ત થયા પછી તેણે હોટ ડોગ્સ વેચવાનું શરૂ કર્યું. બાદમાં તે પુતિનનો રસોઇયા બન્યો.
18 આફ્રિકન દેશોમાં ફેલાયેલું નેટવર્ક
વૈગનર ગ્રુપનું નેટવર્ક 18 દેશોમાં છે. તે આ દેશોમાં એક યા બીજા પક્ષને મદદ કરી રહી છે. ઉદાહરણ તરીકે, માલીમાં તેના હજારથી વધુ સૈનિકો રશિયાની મદદથી રાષ્ટ્રપતિ બનેલા અસિમી ગોઇતા સાથે ઉભા છે. બદલામાં ગરીબ દેશ માલી તેમને દર મહિને લગભગ $10 મિલિયન ચૂકવે છે. વૈગનર ગ્રુપ વર્ષ 2017માં જ સુદાન આવ્યું છે અને સોનાની ખાણો પર સતત કબજો જમાવી રહ્યું છે. બદલામાં તે ત્યાંની અસ્થિર સરકારમાં એક વ્યક્તિને જીતાડવાનું વચન આપે છે. વેગનર ગ્રુપે મોઝામ્બિક, બુર્કિના ફાસો અને લિબિયા જેવા દરેક દેશમાં પ્રવેશ કર્યો છે, જ્યાં સોનું ઉપલબ્ધ છે.