છત્રપતિ શિવાજી મહારાજે ગુલામીની માનસિકતાનો અંત કર્યો
રાજ્યાભિષેક દિવસ નવી ચેતના, નવી ઉર્જા લઈને આવ્યો છે
- Advertisement -
જન કલ્યાણ તેમના શાસનના મૂળભૂત તત્વો રહ્યા
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને સંબોધિત કર્યા. ઙખ મોદીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજે ગુલામીની માનસિકતાનો અંત કર્યો. છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક દિવસ નવી ચેતના, નવી ઉર્જા લઈને આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક એ સમયનો અદ્ભુત અને વિશેષ પ્રકરણ છે. ઙખ મોદીએ કહ્યું કે, રાષ્ટ્રીય કલ્યાણ અને જન કલ્યાણ તેમના શાસનના મૂળભૂત તત્વો રહ્યા છે. આજે હું છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં નમન કરું છું.
ઙખ મોદીએ કહ્યું, સેંકડો વર્ષની ગુલામીએ દેશવાસીઓ પાસેથી તેમનો વિશ્વાસ છીનવી લીધો હતો, આવા સમયમાં લોકોમાં વિશ્વાસ જગાડવો મુશ્કેલ કામ હતું. તે સમયગાળામાં, છત્રપતિ શિવાજી મહારાજે માત્ર આક્રમણકારો સામે લડ્યા ન હતા પરંતુ લોકોના મનમાં એવી માન્યતા પણ જગાડી હતી કે સ્વ-શાસન શક્ય છે.
- Advertisement -
દેશના મહાન યોદ્ધા-રાજા શિવાજીના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠ નિમિત્તે આજે મહારાષ્ટ્રના નાગપુરમાં શિવ રાજ્યાભિષેક સોહલા સમિતિ દ્વારા વિશેષ કાર્યક્રમ અને સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં છજજના વડા મોહન ભાગવત પણ જોડાયા હતા. મહારાષ્ટ્ર સરકાર 350 કરોડ રૂપિયા ખર્ચીને છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠની મોટા પાયે ઉજવણી કરી રહી છે. આ ઉપરાંત પુણેમાં તેમને સમર્પિત વિશેષ સંગ્રહાલય પણ બનાવવામાં આવશે.