– પ્રહાર ક્ષમતા વધી
ભારતીય હવાઈ દળના સુખોઇ-30 એમકેઆઈ વિમાને લાંબા અંતર સુધી પ્રહાર કરતા બ્રહ્મોસ એર લોન્ચ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું હતું. 400 કિલોમીટર સુધીની પ્રહાર ક્ષમતા ધરાવતા આ મિસાઇલનું પરિક્ષણ બંગાળની ખાડીમાં એક ક્ષેત્રમાં કરાયું હતું અને તેમાં વાયુસેનાના સુખોઇ-30 એમકેઆઈ વિમાને સમુદ્રમાં જઇ રહેલા ડમી ટાર્ગેટ સમાન એક યુધ્ધ જહાજને નિશાન બનાવીને
- Advertisement -
તેને જબરુ નુકશાન પહોંચાડ્યું હતું. એ ઉલ્લેખનીય છે કે સુખોઇ-30 એમકેઆઈ દ્વારા પ્રથમ વખત લાંબા અંતર સુધી પ્રહાર કરી શકતા મિસાઇલનું પરિક્ષણ સફળ થતા ભારતની લશ્કરી તાકાતની ક્ષમતા વધી છે. આ મિસાઈલ ક્ષમતા માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન બેંગાલ એરોટ્રોપોલીસ પ્રોજેક્ટ તથા હિન્દુસ્તાન એરોનેટીક્સ લીમીટેડ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાઈ હતી.
આ રેન્જની મિસાઇલ પ્રણાલીઓ તથા ગાઈડેડ બોંબ તથા પારંપારિક બોંબની એક નવી અને આધુનિક શ્રેણીને વાયુસેનામાં સામેલ કરી શકાશે. કેન્દ્રીય રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહે ગત સપ્તાહે રક્ષા ખરીદી અંગે 24 પ્રોજેક્ટને મંજુરી આપી છે જેમાં વાયુસેના માટે છ ખાસ ખરીદી કરવામાં આવશે.