- ક્યાં સ્થળે એકસમયે કેટલાં લોકો જઈ શકે એ સંખ્યા મર્યાદા માત્ર કાગળ ઉપર નક્કી કરવાની! એ નિયમ પાલન કરાવવાના માળખાની અપેક્ષા વહીવટ તંત્ર પાસેથી હોય. જનતા પાસે એ માટેનું કોઈ માળખું ક્યાંથી હોય??
2) શું જે-તે સ્થળની મુલાકાત વખતે સંખ્યા ગણતરી કરીને સંખ્યા મર્યાદા પ્રમાણે લોકોને જવા દેવાની જવાબદારી જનતાની છે?
3) જ્યાં પુલની ક્ષમતા જ સો લોકોની છે ત્યાં સો કરતા વધું ટિકિટનું વિતરણ એકસમયે કરાય જ કેવી રીતે??
- Advertisement -
4) વધુ ભીડ હોય ત્યારે સો-સો વ્યક્તિના એક જૂથને અડધી કલાક કે નિયત સમયમર્યાદામાં ત્યાંથી રવાના કરીને જ બીજું જૂથને પરમિશન આપવી એ સામાન્ય શિસ્તની વાત વહીવટ તંત્ર ને નહિ સમજાતી હોય?
5) રેલિંગ પર લાતો કે પાટા મારવાથી મિકેનિકલ સિદ્ધાંત પ્રમાણે અમુક ફોર્સ ઉત્પન્ન થઈને પુલ કોલેપ્સ થઈ શકે એવું અમુક જગ્યાએ વાંચ્યું.. જો એવું હોય તો આ ગંભીરતા સમજાવવાની પહેલી જવાબદારી વહીવટ તંત્રની બને છે ત્યારબાદ જનતાની. શું આવા જોખમથી જનતાને જાગૃત કરવામાં આવે છે?
6) પુલ પર ચાલનારને એ કેવી રીતે ખબર પડે કે પુલની કેપેસિટી કરતા વધુ માણસો હવે થઈ ગયા છે એટલે હવે અહીંથી પલાયન કરી લઉં? આ બાબત પાલન કરાવવાની જવાબદારી ઉપર કહ્યું તેમ, જે તે જવાબદાર અધિકારીઓની છે અને અધિકારી પાસેથી કામ લેવાની જવાબદારી સો ટકા સત્તાધીશોની છે.
- Advertisement -
7) નિયમોના પાલન કરાવવા માટે પણ આકરા નિયમો બનવા જોઈએ.. કરનાર અને કરાવનાર બન્ને માટે.
8) ટુ વ્હીલર, રીક્ષા કે કારમાં નિયમ કરતાં વધારે લોકો જતાં લોકો શું જવાબદાર અધિકારીઓની નજરમાં નહિ આવતાં હોય? અને અધિકારીઓ આંખ આડા કાન કરે છે કે એમાંથી કટકી કરે છે એ સત્તાધીશોની નજરમાં ન હોય એવું માનવાને કોઈ કારણ નથી.
9) સ્કૂલ લઈ જતાં પ્રાઇવેટ વાહનમાં બાળકોને ઘેટાં-બકરાંની જેમ ભરવામાં આવે છે આ બાબત વાલીઓ, અધિકારીઓ કે સ્કૂલ ઓથોરિટી નહી જાણતા હોય?
10) સેફટી લાઇસન્સ વગર ચાલતી અનેક વ્યવસાયિક ઇમારતો અમલદારો અને સત્તાધીશોની રહેમનજર હેઠળ જ ને! જનતા નિયમો એટલે જ તોડી શકે છે. કેમ કે એમ કરાવવામાં વહીવટી તંત્ર અને સત્તાધીશોને ફાયદો છે. બાકી સતા ઈચ્છે તો નિયમ પાલન થઈ જ શકે. જનતાની શિસ્ત સ્વયંભુ ન હોય, મોટાભાગે કાયદા, દંડ અને સજાનાં ડરથી આવતી હોય છે.
11) વિકસિત દેશોનાં નાગરિક શિસ્તનાં બે મોઢે વખાણ કરનાર જનતા અને તે દેશોની વ્યવસ્થા અને શિસ્તનાં માળખાને શીખવા કે અભ્યાસ માટે છાશવારે વિદેશની મુલાકાતે જતાં સરકારી ડેલીગેશન..બન્નેમાંથી કોઈ કંઈ ઉકાળશે નહિ જ્યાં સુધી તેના અમલના નિયમોને કડક રીતે પાલન નહિ કરાવાય.
12) દરેક વાતમાં રાજકારણ ન લાવવું એ વાત સાચી. પણ જે જે બાબતો રાજનેતાઓની સીધી કે આડકતરી જવાબદારી હોય એમાં તો રાજકારણ વચ્ચે આવેલું જ હોય છે.
13) ટોળાં એકઠાં થયા હોય ત્યાં જવાનું હું અંગતપણે ટાળું છું પણ એને નિયમ ન બનાવી શકાય.
14) જનતાની બેજવાબદારી, સામાજિક શિસ્તનો અભાવ… એ બધુય હોવા છતાં મોટી
જવાબદારી અહીં અમલદારો અને સતાધીશોની બને છે જેમાં તેઓ વારંવાર..
15) વારંવાર ઊણા ઉતરે છે. કારણ,
સતાધીશો અને અમલદારોનો ભ્રષ્ટાચાર અને અમલદારોની લાચારી પણ..