કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના પરિવાર અને પ્રશંસકો માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે. દિલ્હી એમ્સના તબીબો વેન્ટિલેટર સપોર્ટ હટાવવા પર વિચાર કરી રહ્યાં છે.
મીડિયા હાઉસ સાથેની વાતચીત દરમ્યાન રાજુના ભાઈએ જણાવ્યું કે હવે રાજુના હાર્ટ બીટ, બ્લડ પ્રેશર અને ઓક્સિજન લેવલ નોર્મલ છે. આ જ કારણ છે કે તબીબો આજે અથવા કાલે રાજુ શ્રીવાસ્તવને વેન્ટિલેટર સપોર્ટ પરથી હટાવવા અંગે નિર્ણય લઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, 10 ઓગષ્ટથી હોસ્પિટલમાં દાખલ રાજુ શ્રીવાસ્તવ વેન્ટિલેટર સપોર્ટ પર છે. જો કે, કોમેડિયનના આરોગ્યમાં થતા ફેરફારને જોઈને ડોકટર્સે થોડા સમય માટે મંગળવારે વેન્ટિલેટર સપોર્ટ હટાવ્યો હતો. પરંતુ થોડા સમય બાદ ફરીથી તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખી દેવામાં આવ્યાં. આની પહેલા પણ થોડા-થોડા સમય માટે 2 વખત વેન્ટિલેટર હટાવવામાં આવ્યું છે. પરંતુ હવે જ્યારથી રાજુ 90 ટકા ઓક્સિજન કુદરતી લઇ રહ્યાં છે ત્યારથી તબીબો પૂરી રીતે વેન્ટિલેટર સપોર્ટ હટાવવા પર વિચાર કરી રહ્યાં છે.
- Advertisement -
રાજુ ભાનમાં ક્યારેે આવશે ?
મીડિયા રિપોર્ટસ મુજબ દિલ્હી એમ્સમાં એસઓડી ડૉ. પદ્મા શ્રીવાસ્તવ અને ડૉ. અચલ શ્રીવાસ્તવની દેખરેખમાં રાજુની સારવાર ચાલી રહી છે. રિપોર્ટસમાં આ વાતની માહિતી આપવામાં આવી છે કે હવે રાજુનુ આખુ શરીર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. પરંતુ 10 ઓગષ્ટે હાર્ટ એટેક આવ્યાં બાદ તેમને હોશ આવ્યો નથી. નજીકના સંબંધીઓનુ કહેવુ છે કે દિવસ-રાત રાજુને ભાનમાં લાવવાના પ્રયાસ કરી રહેલા ડૉકટર્સનુ કહેવુ છે કે હજી કોમેડિયનને ભાનમાં આવવામાં 10 દિવસ અથવા તેનાથી વધુ દિવસનો સમય લાગી શકે છે.