સોશિયલ મીડિયા પર હિંદુઓએ ચલાવ્યું કેમ્પઈન
પયગંબર વિવાદિત ટિપ્પણીનું પરિણામ: મુસ્લિમ દેશોના સંગઠન ઘઈંઈને આડે લીધું ભારતે, વિભાજનકારી એજન્ડા ચલાવવાનો આરોપ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જ્ઞાનવાપી મસ્જિદ-મંદિર વિવાદ વચ્ચે ભાજપ પ્રવક્તા નુપૂર શર્મા અને દિલ્હી મીડિયા સેલના વડા નવીનકુમાર જિંદાલને મોહમ્મદ પયગંબર વિરુદ્ધ નિવેદન કરવાનું ભારે પડી ગયું છે. ફક્ત દેશમાં જ નહીં દુનિયાભરમાં નુપુર શર્મા અને નવિનકુમાર જિંદાલ દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી વિરુદ્ધ વધતા આક્રોશના પગલે ભાજપે હવે તેમનાથી છેડો ફાડતાં રવિવારે બંને નેતાની પક્ષમાંથી હકાલપટ્ટી કરી છે. વધુમાં ભાજપે નિવેદન જાહેર કરી કહ્યું છે કે, તે બધા જ ધર્મોનો આદર કરે છે અને કોઈપણ ધાર્મિક મહાપુરુષના અપમાનની ઘોર ટીકા કરે છે. પક્ષ કોઈપણ ધર્મ અથવા સંપ્રદાયનું અપમાન કરતી કોઈપણ વિચારધારની એકદમ વિરુદ્ધ છે. જ્ઞાનવાપીમાંથી ’શિવલિંગ’ મળી આવવાના મુદ્દે એક ટીવી ન્યૂઝ ચેનલમાં ચાલતી ડિબેટ વખતે ભાજપ પ્રવક્તા નુપૂર શર્માએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી કરતાં દેશભરમાં મુસ્લિમ જૂથો દ્વારા વિરોધ કરાયો હતો. નૂપુર શર્માની ધરપકડની માગણી કરતાં કાનપુરમાં શુક્રવારે હિંસક રમખાણો પણ ફાટી નિકળ્યા હતા. બીજીબાજુ ભાજપના દિલ્હી મીડિયાના વડા નવીનકુમાર જિંદાલે પણ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટ્વીટ કરતાં તેમના વિરુદ્ધ પણ મુસ્લિમોમાં આક્રોશ ફેલાયો હતો.
પયગંબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન મામલે સસ્પેન્ડેડ થતા તેમણે અંતમાં માફી
માગી હતી.
પાર્ટીમાંથી સસ્પેન્શનની કાર્યવાહી બાદ નૂપુર શર્માએ ટ્વિટ કર્યું, “હું છેલ્લા ઘણા દિવસોથી ટીવી ડિબેટ પર જઈ રહી છું, જ્યાં મારા આરાધ્ય શિવજીનું દરરોજ અપમાન થઈ રહ્યું હતું. મારી સામે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે શિવલિંગ નથી પણ એક ફુવારો છે. દિલ્હીના દરેક ફૂટપાથ પર અનેક શિવલિંગ જોવા મળે છે, જઈને પૂજા કરો. આ રીતે વારંવાર આપણા મહાદેવ શિવજીનું અપમાન મારી સામે હું સહન ન કરી શકી અને ગુસ્સે થઈ ગઈ અને થોડી વાતો કહી દીધી. જો મારા શબ્દોથી કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોય, તો હું મારા શબ્દો પાછા ખેંચું છું. મારો ઇરાદો ક્યારેય કોઈને નુકસાન પહોંચાડવાનો નહોતો.
અગાઉ, ભારતીય જનતા પાર્ટીએ રવિવારે નૂપુર શર્માની પયગંબર મોહમ્મદ વિશેની કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે થયેલા હોબાળાને ડામવાના પ્રયાસોના ભાગરૂપે કહ્યું હતું કે તે તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઈપણ ધર્મના આદરણીય લોકોનું અપમાન સહન નથી કરતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર હિંદુ ધર્મપ્રેમીઓ અને ભાજપના જ કેટલાંક સમર્થકોએ આઈસપોર્ટનૂપુર નામનું કેમ્પઇન ચલાવ્યું છે અને આ સમગ્ર મામલે નૂપુરને સાથ આપી રહ્યા છે.
કોણ છે નૂપુર શર્મા
નૂપુર શર્મા વર્ષ 2015માં પહેલીવાર લાઇમલાઇટમાં આવ્યા હતા. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતાર્યા હતા. નૂપુર દિલ્લી ભાજપની કાર્યકારી સમિતિની સભ્ય પણ હતા. નૂપુર શર્મા દિલ્લી યુનિવર્સિટી સ્ટુડંટ્સ યુનિયનની પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 2008માં એબીવીપી તરફથી વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીતનાર નૂપુર એકમાત્ર ઉમેદવાર હતી. વર્ષ 2010માં વિદ્યાર્થી રાજનીતિ છોડ્યા બાદ નૂપુર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં સક્રિય બની હતી. તેમને મોરચામાં રાષ્ટ્રીય મીડિયા પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ભણેલા નૂપુર વ્યવસાયે વકીલ પણ છે. આ સિવાય તેણે બર્લિનથી પણ અભ્યાસ કર્યો છે.
કાનપુરમાં હિંસા ફાટી નીકળી
નૂપુર શર્માના વિવાદિત નિવેદનને લઈને કાનપુરમાં શુક્રવારે જુલૂસ નીકળ્યુ હતું. દુકાનો બંધ કરાવવાના પ્રયાસ દરમિયાન 2 સમુદાયના લોકો અંદરોઅંદર ઝઘડ્યા. એકબીજા પર પથ્થરમારો અને બોમ્બમારો કર્યા બાદ ત્યાં કેટલાક વિસ્તારમાં હિંસા શરૂ થઈ ગઈ. અથડામણમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે
ઈંજીાાજ્ઞિગિીાીંજિવફળિફ ટ્રેન્ડમાં
નુપૂર શર્મા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી અને ભાજપમાંથી તેની કરવામાં આવેલી હકાલપટ્ટી બાદ કેટલાંક હિંદુ ધર્મના અને ભાજપ સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા પર આઈસપોર્ટનૂપુર કેમ્પઇન શરૂ કરવામાં આવ્યું છે. નૂપુર શર્માની ટિપ્પણી મામલે ખુલીને લોકો બહાર આવી રહ્યા છે અને તેનો સાથ પણ આપી રહ્યા છે. છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર આઈસપોર્ટનૂપુર ટ્રેન્ડ થઈ રહ્યું છે.
ભારતે OICને આડે હાથ લીધું: અમે બધા ધર્મનું સમ્માન કરીએ છીએ
- Advertisement -
પયગંબર મોહમ્મદ પર બીજેપીના પ્રવક્તાની ટિપ્પણીનો વિવાદ સતત વધી રહ્યો છે. ઓર્ગનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (ઘઈંઈ)એ સંયુક્ત રાષ્ટ્રને વિનંતી કરી છે કે તેઓ આ રીતના વિવાદિત નિવેદનો માટે ભારતની સામે કાર્યવાહી કરે. હવે ઘઈંઈને પોતાનો ખુલાસો રજુ કરતા ભારતે કહ્યું કે, ઘઈંઈની સંકુચિત માનસિકતા સામે આવી છે અને હવે વિભાજનકારી એજન્ડા ચલાવી રહ્યા છે. ભારતએ ફરી સ્પષ્ટ રૂપે કહ્યું કે, આવા નિવેદન ભારત સરકારના અધિકારીક નિવેદન નથી અને ભારત બધા ધર્મોનું સમ્માન કરે છે. ભારતના વિદેશ મંત્રાલયએ એક પ્રેસ રિલિઝ કરી છે, જેમાં તમામ મુસ્લિમ દેશના સંગઠન ઘઈંઈને આડે હાથ લીધું છે. ભારતે પોતાના નિવેદનમાં કહ્યું કે, અમે ભારત વિશે ઘઈંઈનું નિવેદન જોયું. અમે તેમની સંકુચિત માનસિકતાવાળી ટિપ્પણીઓ સંપૂર્ણ રીતે નકારીએ છીએ. ભારત સરકાર બધા ધર્માનું સમ્માન કરે છે. ભારત સરકારે સ્પષ્ટ કહ્યું કે, આવા વિવાદિત નિવેદનો કરવાવાળા લોકો સામે સરકારએ કડક પગલા લીધા છે.