વાલીઓ શાળાએ એકત્ર થયા : રીપેરીંગ નહી થાય તો તાળાબંધીની ચિમકી
ખાસ ખબરસંવાદદાતા
- Advertisement -
ભેંસાણની જીનપ્લોટ પ્રાથમિક શાળા છેલ્લા 31 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી.પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના 300 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાલ શાળાનું બિલ્ડીંગ જર્જરીત હોવાથી પોપડા પડી રહ્યાં છે. વિદ્યાર્થીઓને જાનહાની થવાની પુરી શક્યતાઓ છે.
આ શાળામાં લાખો રૂપિયા પ્રોજેક્ટર રૂમ, કોમ્પ્યુટર રૂમ, સરકાર દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ફાળવવામાં આવ્યા છે, પરંતુ ચોમાસામાં તેને નુકસાન થાય તેમ છે. પોપડામાંથી પાણી ટપક્વાથી વિદ્યાર્થીઓને જાનહાની થવાની અને અભ્યાસ બગડવાની ભીતી છે.વાલીઓ દ્વારા બવર્ષથી ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી રહી છે. અત્યારે માત્ર સરકારી એન્જીનીયર દ્વારા શાળાના બિલ્ડીંગલ રીનોવેશન માટે 8 લાખ રૂપિયાનું એસ્ટીમેન્ટ સરકરી ચોપડે મુકાય છે.પરંતુ હજુ સુધી એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. વાલીઓએ ચિમકી આપી હતી કે, વેકેશન દરમિયાન શાળાના બિલ્ડીંગનું કામ નહીં કરવામાં આવેતો સ્કૂલને તાળાબંધી કરીને શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવશે.