અડધી સદી આરોગ્ય અને શિક્ષણમાં સેવાવ્રત રહ્યાં હતા
ખાસ ખબરસંવાદદાતા
- Advertisement -
સમગ્ર માણાવદર પંથકમાં અડધી સદી ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ માટે સતત પ્રવૃત્ત રહેલાં સ્વ. ડો.એલ. પી. સવસાણીની 91 વર્ષની વયે વિદાયથી આ પંથકે એક મૂક સમાજ સેવક ગુમાવ્યાનો વસવસો છે. તેમની વિદાયથી સમાજને ક્યારેય ન પૂરી શકનારી ખોટ હમેશ સાલશે. જૂની પેઢીના કવચિત આ અંતિમ પાયાના પથ્થરે આપણી વચ્ચેથી તા. 28/04/2022 ના રોજ વિદાય લઈ પંચમહાભૂતમાં વિલીન થયા છે, ત્યારે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.દીર્ઘ દ્રષ્ટા, સમાજ સેવક અને આજીવન સેવાના ભેખધારી સ્વ. ડો. એલ. પી. સવસાણીને માણાવદર પુસ્તક પરબ દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. માણાવદર ખાતે ઇસ. 1967 માં લાયન્સ ક્લબ માણાવદરની સ્થાપના થઇ હતી.
જેમાં ડો.સવસાણી જોડાય હતાં. માણાવદરમાં લાયન્સ ક્લબ દ્વારા થતી અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી સર્વ રોગ નિદાન કેમ્પ, મોતિયાના ઓપરેશન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ વગેરે કેમ્પ નિયમિત રીતે યોજાવાની શરૂઆત થઈ, જે આજે પણ એ જ રીતે કાર્યરત છે. છેલ્લા 55 વર્ષોમાં આશરે 500 થી વધુ કેમ્પો યોજીને ગામડે ગામડે સેવાની મહેક પ્રસરાવી હતી.તેમ ઈમ્તિયાઝ કાઝીએ જણાવ્યું હતું.