એસબીઆઈએ સ્વૈચ્છિક સેવાનિવૃતિ (VRS)ની યોજના તૈયાર કરી છે, જેના હેઠળ 30190 કર્મચારીઓ આવી શકે
દેશની સૌથી બેંક SBIનાં કર્મચારીઓને એક મોટો ઝટકો લાગવાનો છે. સુત્રો પ્રમાણે એસબીઆઈએ સ્વૈચ્છિક સેવાનિવૃતિ (VRS)ની યોજના તૈયાર કરી છે, જેના હેઠળ 30190 કર્મચારીઓ આવી શકે છે. બેંકનું કહેવું ઠે કે, ખર્ચમાં કાપ મૂકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલાંથી બે હજાર કરોડથી પણ વધારે રૂપિયાની બચત થશે. SBIનાં કુલ કર્મચારીઓની સંખ્યા 31 માર્ચ 2020 સુધી 2.49 લાખ હતી, જે માર્ચ 2019 સુધી સંખ્યા 2.57 લાખ હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, વીઆરએસ માટે એક ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યો છે અને હવે બોર્ડની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. આ પ્રસ્તાવિત વીઆરએસનું નામ સેકન્ડ ઈનિંગ ટેપ વીઆરએસ 2020 હશે. 2001માં એસબીઆઈ દ્વારા વીઆરએસ અમલમાં મૂકવામાં આવ્યું હતું. ડ્રાફ્ટ પ્રમાણે એસબીઆઈની વીઆરએસ યોજના આવા તમામ સ્થાયી અધિકારીઓ અને કર્મચારીઓ માટે ખુલ્લી રહેશે. જેઓએ બેંકમાં 25 વર્ષની સેવા આપી હશે કે 55 વર્ષની ઉંમર વટાવી લીધી હશે.યોજના આ વર્ષે એક ડિસેમ્બરથી ફેબ્રુઆરી 2020ના અંત સુધી ખુલ્લી રહેશે. એટલે કે આ સમયગાળામાં વીઆરએસ માટે આવેદન સ્વીકારવામાં આવશે.
- Advertisement -
પ્રસ્તાવિત ડ્રાફ્ટ પ્રમાણે કુલ 11565 અધિકારી અને 18625 કર્મચારી વીઆરએસ સ્કીમ માટે પાત્ર હશે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો યોજના હેઠળ રિટાયર્સમેન્ટ યોગ્ય કર્મચારીઓમાંથી 30 ટકા પણ વીઆરએસનો વિકલ્પ પસંદ કરે છે તો જુલાઈ 2020ના વેતન પર આધારિત અનુમાન હેઠળ એસબીઆઈને લગભગ 2170 કરોડ રૂપિયાની બચત થશે.જે કર્મચારીઓ વીઆરએસનો ઓપ્શન સ્વીકાર કરશે તેઓને વાસ્તવિક રિટાયરમેન્ટ તારીખ સુધી બચેલી સેવા અવધિ માટે વેતનના 50 ટકા એક્સ ગ્રેશિયાના રૂપમાં મળશે. આ ઉપરાંત અન્ય ફાયદા જેવા ગ્રેચ્યુટી, પેન્શન, ભવિષ્ય નિધિ અને મેડિકલ બેનિફિટ્સ પણ મળશે. યોજના હેઠળ રિટાયર થનાર કર્મચારી રિટાયરમેન્ટની તારીખથી લઈ બે વર્ષ સુઝી નિશ્ચિત અવધિ બાદ બેંક સાથે ફરીથી જોડાવા લાયક હશે.