ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રે સર્વોચ્ચ અદાલતમાં નોંધાવેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે અમે રૂપિયા આઠ લાખ કે તેથી ઓછી વાર્ષિક આવકવાળા પરિવારોને ગરીબ (આર્થિક રીતે નબળા) ગણવાનું ચાલુ રાખીશું. રૂપિયા આઠ લાખ કે તેથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોને ઈકોનોમિકલી વિકર સેક્શન (ઈડબ્લ્યુએસ) ગણવાનું ચાલુ રાખવાની ત્રણ સભ્યની સમિતિએ કરેલી ભલામણને સ્વીકારવાનો અમે નિર્ણય લીધો છે, એમ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું.
નેશનલ ઈલિજીબિલિટી કમ ઍન્ટ્રન્સ ટેસ્ટ (એનઈઈટી-પીજી) સંબંધિત બાબત અંગે દાખલ કરેલા સોગંદનામામાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે માત્ર આઠ લાખ રૂપિયા કે તેથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારો જ ઈડબ્લ્યુએસ અનામતનો લાભ લેવાને પાત્ર હશે.
- Advertisement -
નવા માપદંડ અમલમાં મૂકવાની ત્રણ સભ્યની બનેલી સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણનો સ્વીકાર કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે, એમ કેન્દ્ર સરકાર વતી કોર્ટમાં સોગંદનામું દાખલ કરનાર સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતાના સેક્રેટરી સુબ્રમણ્યિમે કહ્યું હતું.
ઈડબ્લ્યુએસના માપદંડ નક્કી કરવા સુપ્રીમ કોર્ટને આપેલી ખાતરી મુજબ કેન્દ્ર સરકારે ગયા વર્ષની 30 નવેમ્બરે ભૂતપૂર્વ નાણાં સચિવ અજય ભૂષણ પાન્ડે, આઈસીએસએસઆરના મેમ્બર સેક્રેટરી વી. કે. મલ્હોત્રા અને કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલનો સમાવેશ કરતી ત્રણ સભ્યની સમિતિની રચના કરી હતી. ઈડબ્લ્યુએસની વાર્ષિક આઠ લાખ રૂપિયાની આવકની મર્યાદા જાળવી રાખવાની સમિતિએ ભલામણ કરી હોવાનું કેન્દ્ર સરકારે ગયા વર્ષની 31 ડિસેમ્બરે રજૂ કરેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.
બીજા શબ્દોમાં કહીએ તો માત્ર આઠ લાખ રૂપિયા કે તેથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારો જ ઈડબ્લ્યુએસ અનામતનો લાભ લેવાને પાત્ર હશે.
- Advertisement -
ચાલુ શૈક્ષણિક વર્ષમાં મેડિકલના અભ્યાસ માટે ઍડમિશન મેળવવા એનઈઈટી-પીજીમાં અધર બેકવર્ડ ક્લાસ (ઓબીસી)ને 27 ટકા અને ઈડબ્લુએસ વર્ગના લોકોને 10 ટકા અનામત આપવા સેન્ટર ઍન્ડ મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા 29 જુલાઈ 2021ના આપેલી નોટિસને પડકારતી વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની કોર્ટ સુનાવણી કરી રહી હતી.
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનું સોગંદનામું : આઠ લાખ રૂપિયા કે તેથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારો જ ઊઠજ અનામતનો લાભ લેવાને પાત્ર હશે.