12 દિવસ સુધી ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
25 સપ્ટેમ્બરે 54 લાડુના ગણેશ યાગ સાથે દાદાનું વિસર્જન કરાશે
- Advertisement -
શહેરના રૈયા રોડ વિસ્તારમાં આવેલા સોજીત્રાનગર ખાતે “સોજીત્રાનગર કા રાજા” ગણપતિ મહોત્સવનું સતત બીજા વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સોજીત્રાનગર કા રાજા મિત્ર મંડળ દ્વારા આયોજિત આ મહોત્સવમાં 14
સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર, 2026 સુધી સતત 12 દિવસ વિવિધ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. મહોત્સવ દરમિયાન દરરોજ વિશેષ આરતી, ભજન-ધૂન સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં
આવ્યું છે.
સોજીત્રાનગર કા રાજા”ની ગણેશ સ્થાપના સોમવાર, તા. 14 સપ્ટેમ્બર, 2026ના રોજ કરવામાં આવશે. મહોત્સવનું આયોજન સોજીત્રાનગર, પાણીના ટાંકા પાસે, લીંબુડી વાડી, રૈયા રોડ ખાતે કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા
શહેરવાસીઓને સહપરિવાર, મિત્રો અને સ્વજનો સાથે મહોત્સવમાં સહભાગી બની ભગવાન ગણેશના દર્શન અને આશીર્વાદ મેળવવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન દરરોજ સવારે 8 વાગ્યે અને
સાંજે 8 વાગ્યે આરતી યોજાશે. આ ઉપરાંત, સમગ્ર મહોત્સવ દરમિયાન નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્રહ્માકુમારી વ્યસનમુક્તિ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ધાર્મિક ઉત્સવની સાથે સમાજસેવાનો
સંદેશ પણ આપશે.
મહોત્સવના પ્રથમ દિવસે BAPS સ્વામિનારાયણ મંદિરના અપૂર્વમુનિ સ્વામીના વરદહસ્તે આરતી યોજાશે. બીજા દિવસે તા. 15 સપ્ટેમ્બરે મનોદિવ્યાંગ બાળકોના હસ્તે આરતી સાથે સાંજે 8:30થી 10:30 વાગ્યા સુધી ભજન
જેમિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 16 સપ્ટેમ્બરે મહેશ્વરી વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે આરતી અને ધૂન યોજાશે. તા. 17 સપ્ટેમ્બરે સાંજે 5થી 7 વાગ્યા સુધી સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારબાદ શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજી તેમજ રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે આરતી અને ધૂન યોજાશે. તા. 18 સપ્ટેમ્બરે થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા નિવૃત્ત આર્મી જવાનોના હસ્તે આરતી યોજાશે. જ્યારે તા. 19
સપ્ટેમ્બરે દિવ્યાંગજનોના હસ્તે આરતી સાથે સાંજે 6થી 9 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે. આ જ દિવસે બહેનો માટે સાંજે 8:30થી 10 વાગ્યા સુધી દાંડિયા રાસનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રવિવાર, તા. 20
સપ્ટેમ્બરે સવારે 7થી 8 વાગ્યા સુધી યોગ શિબિર યોજાશે. ઉપરાંત સાંજે બાળકો માટે વેલ ડ્રેસ તથા ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 21 સપ્ટેમ્બરે રોબિન ફૂડ આર્મી ફાઉન્ડેશન તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
(RSS)ના પ્રતિનિધિઓના હસ્તે આરતી યોજાશે. તા. 22 સપ્ટેમ્બરે મૂક-બધિર બાળકોના હસ્તે આરતી યોજાશે. આ દિવસે બહેનો માટે આરતી થાળી ડેકોરેશન તેમજ બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
તા. 23 સપ્ટેમ્બરે મનોદિવ્યાંગ બાળકોના હસ્તે આરતી સાથે ફક્ત બહેનો માટે પાણીપુરી સ્પર્ધા અને અન્ય વિવિધ કાર્યક્રમો યોજાશે.
- Advertisement -
મહોત્સવના 11મા દિવસે, તા. 24 સપ્ટેમ્બરે ભવ્ય અન્નકૂટ મહોત્સવના દર્શન યોજાશે. જ્યારે અંતિમ દિવસે, તા. 25 સપ્ટેમ્બરે સવારે 7:30 વાગ્યે 54 લાડુના ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ભાવભીનાં
વાતાવરણ વચ્ચે ભગવાન ગણેશજીની વિદાય સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવશે. “સોજીત્રાનગર કા રાજા” ગણપતિ મહોત્સવને સફળ બનાવવા માટે દેવકરણ જોગરાણા, કશ્યપ ગોસ્વામી, કિશન ગઢવી, મિત સેલારા,
ભાવિન સોની, કથન પટેલ, યશ રાઠોડ, ઉત્સવ મકવાણા, રૂષિરાજ ગોહિલ, રૂષિ ગોસાઈ, સાવન પરસાણા અને ડેનીશ ગોસ્વામી સહિતના મિત્ર મંડળના સભ્યો દ્વારા આ ભવ્ય આયોજન માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
ધાર્મિક ભાવના, સમાજસેવા, આરોગ્ય જાગૃતિ, વ્યસનમુક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું અનોખું આયોજન આ ગણપતિ મહોત્સવને વધુ આકર્ષક બનાવશે.
ગણપતિ મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમ
દિવસ : ૦૧ : તા ૧૪/૦૯/૨૦૨૬ સોમવાર
BAPS સ્વામિનારાયણ મંદિર, અપૂર્વમુની સ્વામીના વરદ હસ્તે આરતી.
દિવસ : 02 : તા. ૧૫/૦૯/૨૦૨૬ મંગળવાર
મનોદિવ્યાંગ બાળકોના હસ્તે આરતી અને ભજન જેમિંગ નાઈટ (સાંજે – 8:30 થી 10:30).
દિવસ : 03 : તા.૧૬/૦૯/૨૦૨૬ બુધવાર
શ્રી મહેશ્વરી વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે આરતી તથા ધૂન.
દિવસ : ૦૪ : તા.૧૭/૦૯/૨૦૨૬ ગુરુવાર
સત્યનારાયણ કથા (સાંજે – 5:00 થી 7:00) અને શાસ્ત્રી ભક્તિપ્રકાશ દાસજી અને તેમજ રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે આરતી તથા ધૂન.
દિવસ : ૦૫ : તા.૧૮/૦૯/૨૦૨૬ શુક્રવાર
થેલેસિમીયા ગ્રસ્ત બાળકો તથા નિવૃત આર્મી જવાનો ના હસ્તે આરતી.
દિવસ : 0૬ : તા.૧૯/૦૯/૨૦૨૬ શનિવાર
વિકલાંગો ના હસ્તે આરતી, બ્લડ ડોનેશન કેમ્પ (સાંજે-6:00 થી 9:00) અને બહેનો માટે દાંડિયા રાસ (સાંજે – 8:30 થી 10:00).
દિવસ : ૦૭ : તા.૨૦/૦૯/૨૦૨૬ રવિવાર
યોગ શિબિર (સવારે – 7:00 થી 8:00) અને બાળકો માટે વેલડ્રેસ તથા ડાન્સ સ્પર્ધા (સાંજે – 8:30 થી 10:30).
દિવસ : ૦૮ : તા.૨૧/૦૯/૨૦૨૬ સોમવાર
રોબિન ફૂડ આર્મી ફોઉન્ડેશન તથા રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ (RSS) ના હસ્તે આરતી.
દિવસ : ૦૯ : તા.૨૨/૦૯/૨૦૨૬ મંગળવાર
મુક બધિર બાળકો ના હસ્તે આરતી અને બહેનો માટે આરતી થાળી ડેકોરેશન તથા બાળકો માટે ચિત્ર સ્પર્ધા.
દિવસ : ૧૦ : તા.૨3/૦૯/૨૦૨૬ બુધવાર
મનોદિવ્યાંગ બાળકોના હસ્તે આરતી અને પાણીપુરી સ્પર્ધા (ફક્ત બહેનો માટે) તેમજ વિવિધ કાર્યક્રમો.
દિવસ : ૧૧ : તા.૨૪/૦૯/૨૦૨૬ ગુરુવાર
અન્નકૂટ મહોત્સવ દર્શન.
દિવસ: ૧૨ : તા.૨૫/૦૯/૨૦૨૬ શુક્રવાર
54 લાડુ નો ગણેશ યાગ (સવારે – 7:30 કલાકે) અને ગણપતિ વિસર્જન.




