By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    3 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    33 minutes ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    36 minutes ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    37 minutes ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    2 hours ago
    ‘તમે સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં…’, અભિજિત દીપકેના સરકાર સામે પ્રહાર
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 day ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    2 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    2 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    3 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    3 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
રાષ્ટ્રીય

કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…

Khaskhabar Editor
Last updated: 2026/06/06 at 4:11 PM
Khaskhabar Editor 25 minutes ago
Share
6 Min Read
SHARE

ફેમીલી કોર્ટમાં બાળકની કસ્ટડી અંગે કાનૂની જોગવાઈઓ

માતા-પિતાના પરસ્પરના કાનૂની અધિકારો કરતાં બાળકના સર્વોચ્ચ કલ્યાણને અદાલતનું પ્રથમ પ્રાધાન્ય

- Advertisement -

પિતા કે માતા આર્થિક રીતે ગમે તેટલા સક્ષમ હોય, પણ સમજદાર બાળકની સંમતિને કોર્ટ મહત્વ આપશે

ફેમિલી કોર્ટમાં બાળકની કસ્ટડીનો વિવાદ એ માત્ર કાનૂની લડાઈ નથી પરંતુ બાળકના સમગ્ર ભવિષ્ય અને તેની માનસિક સ્થિતિ સાથે જોડાયેલો એક અત્યંત સંવેદનશીલ અને ગંભીર વિષય છે. જ્યારે પતિ-પત્ની વચ્ચેના સંબંધો વણસે છે અને તેઓ અલગ થવાનો નિર્ણય લે છે, ત્યારે સગીર બાળકની સંભાળ અને ઉછેરની જવાબદારી કોને સોંપવી તે મોટો પ્રશ્ર્ન બની જાય છે. અદાલત આ પ્રકારના કેસોમાં માતા કે પિતાના અંગત હિતો કે અહમને મહત્વ આપવાને બદલે માત્ર અને માત્ર બાળકના સર્વોચ્ચ કલ્યાણને ધ્યાનમાં રાખે છે. બાળકના ભૌતિક, માનસિક, શૈક્ષણિક અને નૈતિક વિકાસ માટે કયું વાતાવરણ સૌથી શ્રેષ્ઠ રહેશે, તેનો ઝીણવટભર્યો અભ્યાસ અદાલત દ્વારા કરવામાં આવે છે. કસ્ટડીના નિર્ણયો લેતી વખતે બાળકની ઉંમર, તેની પોતાની ઈચ્છા અને બંને પક્ષોની આર્થિક તેમજ સામાજિક સ્થિતિને મુખ્ય આધાર બનાવવામાં આવે છે, જેથી બાળકનું ભવિષ્ય સુરક્ષિત અને તણાવમુક્ત બની શકે.
ધ ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ્સ એક્ટ, 1890 (ૠઠઅ)એ એક મહત્વપૂર્ણ બિનસાંપ્રદાયિક અને સામાન્ય કાયદો છે, જે ધર્મના ભેદભાવ વિના ભારતના તમામ નાગરિકોને સમાન રીતે લાગુ પડે છે અને જેના હેઠળ ફેમિલી કોર્ટ બાળકની કસ્ટડી અંગેના નિર્ણયો લે છે. “બાળકનું કલ્યાણ” ભારતના કોઈપણ કાયદા કે ધર્મ અંતર્ગત જ્યારે બાળકની કસ્ટડીનો વિવાદ કોર્ટ સમક્ષ આવે છે, ત્યારે અદાલત માટે માતા કે પિતાના કાનૂની હકો ગૌણ બની જાય છે. આ કાયદાની કલમ 7 કોર્ટને સગીર બાળકના સર્વોચ્ચ કલ્યાણને ધ્યાનમાં રાખીને તેના હિત માટે યોગ્ય વાલીની નિમણૂક કરવાની કાનૂની સત્તા આપે છે. જ્યારે કલમ 17 એ સ્પષ્ટ કરે છે કે વાલીની પસંદગી કરતી વખતે કોર્ટે બાળકની ઉંમર, જાતિ, ધર્મ, પ્રસ્તાવિત વાલીની નૈતિક યોગ્યતા અને જો બાળક પૂરતું સમજદાર હોય તો તેની પોતાની અંગત ઈચ્છા જેવા મહત્વના પાસાઓ અવશ્ય ધ્યાનમાં રાખવા જોઈએ. વધુમાં, કલમ 25 હેઠળ જો કોઈ બાળકને તેના કાનૂની વાલીની કસ્ટડીમાંથી ગેરકાયદેસર રીતે દૂર રાખવામાં આવ્યું હોય, તો કોર્ટ બાળકને તેના વાલી પાસે સુરક્ષિત રીતે પાછું મેળવવા માટેનો કડક આદેશ જાહેર કરવાની સત્તા ધરાવે છે.

  • માતા પક્ષે કસ્ટડી મેળવવાનાં સામાન્ય ગ્રાઉન્ડ

પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકની કસ્ટડી સામાન્ય રીતે માતાને મળે છે

- Advertisement -

કાયદાકીય અને કુદરતી દ્રષ્ટિએ માતાને બાળક રાખવાનો પ્રથમ અધિકાર છે

કુમળી વયના બાળકને માતાના પ્રેમ અને હૂંફની સૌથી વધુ જરૂર હોય છે

પિતાએ કોર્ટમાં સાબિત કરવું પડે કે માતા બાળકની સંભાળમાં અસમર્થ છે

બાળકના હિત અને તેના ઉજ્જવળ ભવિષ્યને માતા સાથે જ હોય તો

પિતાએ ભૂતકાળમાં બાળકની ઉપેક્ષા અથવા હિંસક વર્તન આચરેલ હોય

જો પિતા કોઈ ગંભીર વ્યસનથી પીડાતા હોય, તો કસ્ટડી માતાને સોંપાય છે

સમજદાર સગીર બાળકની માત્ર માતા સાથે જ રહેવાની સંમતિ હોય

સાવકી માતા દ્વારા બાળકની સંભવિત ઉપેક્ષા થઇ શકે તેમ હોય

પિતા સામે અદાલતમાં ચાલતા ફોજદારી કેસો ચાલતા હોય

  • પિતા પક્ષે કસ્ટડી મેળવવાનાં સામાન્ય ગ્રાઉન્ડ

બાળક પાંચ વર્ષથી મોટું હોય ત્યારે પિતા કસ્ટડીની માંગ કરી શકે છે

માતા માનસિક રીતે બીમાર હોય અથવા ઉછેર માટે અસમર્થ સાબિત થાય

પિતા બાળકના સારા શિક્ષણ અને સુરક્ષિત ભવિષ્યની ખાતરી આપી શકે છે

બાળકના ઉછેર માટે પિતાનું ચારિત્ર્ય અને વર્તન યોગ્ય હોવું ખૂબ જરૂરી છે

પિતાએ બાળક સાથે પૂરતો સમય વિતાવવાની કોર્ટમાં ખાતરી આપવી પડે

માતા પોતાના બાળક પ્રત્યે બેદરકાર રહેતી હોય તે સાબિત થાય

જો માતાનું ચારિત્ર્ય કે વાતાવરણ બાળકના વિકાસને અટકાવતું હોય

જો માતા બીજા લગ્ન કરે અને સાવકા પિતાનું વર્તન યોગ્ય ન હોય.

માતા પોતાની અને બાળકની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા અસમર્થ હોય

પિતાના ઘરમાં દાદા-દાદીનો સ્નેહ અને સંયુક્ત પરિવારનો મોટો આશ્રય હોય

બાળકની કસ્ટડી અંગે સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદાઓ

(1) ગૌરવ નાગપાલ વિ. સુમિત્રા નાગપાલ (2009) 1 જઈઈ 42 : કોર્ટે સ્પષ્ટ કર્યું કે બાળકની કસ્ટડી નક્કી કરતી વખતે માત્ર કાયદાકીય હકો નહીં, પરંતુ બાળકની સુખાકારી અને તેનું સર્વોચ્ચ કલ્યાણ સૌથી મહત્વનો આધાર રહેશે.

(2) ગાયત્રી બજાજ વિ. જિંતેન્દ્ર બજાજ (2012) 12 જઈઈ 471 : સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે બાળક કયા પક્ષ સાથે રહેવા માંગે છે તેની ઈચ્છા અને હિત, માતા-પિતાની આર્થિક સક્ષમતા કરતાં વધુ પ્રબળ આધાર ગણાશે.

(3) યશપાલ ભલ્લા વિ. રાજ્ય 2023 જઈઈ 120 : કોર્ટે જણાવ્યું કે કસ્ટડી ભલે ગમે તે પક્ષ પાસે હોય, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ માટે તેને માતા અને પિતા બંનેનો સ્નેહ અને મુલાકાતનો અધિકાર મળવો જ જોઈએ.

(4) થિરુમન વિ. એસ. અમાનુલ્લા (2020) 18 જઈઈ 411 : અદાલતે ઠરાવ્યું કે માત્ર પિતા આર્થિક રીતે વધુ સમૃદ્ધ હોવાના કારણે પાંચ વર્ષથી નાની વયના બાળકની કસ્ટડી કુદરતી રીતે માતા પાસેથી છીનવી શકાય નહીં.

(5) વસુધા સેઠી વિ. કિરણ વી. ભાસ્કર 2022 જઈઈ 43 : અદાલતે પુનરોચ્ચાર કર્યો કે કસ્ટડી વિવાદમાં માતા-પિતા વચ્ચેના અણબનાવને બાજુ પર રાખીને, બાળક માટે કયું વાતાવરણ સૌથી શ્રેષ્ઠ છે તે જ એકમાત્ર માપદંડ રહેશે.

You Might Also Like

અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી

દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં

દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ

ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં

‘તમે સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં…’, અભિજિત દીપકેના સરકાર સામે પ્રહાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર
Next Article ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
રાષ્ટ્રીય

દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?