કલેક્ટર અને જઙએ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી અને ફૂલ આપી સ્વાગત કર્યું, પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પ્રારંભ થયો છે. પરીક્ષાના પ્રથમ દિવસે વઢવાણની વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિક અને એસ.પી. પ્રેમસુખ ડેલુએ હાજર રહી વિદ્યાર્થીનીઓને મોં મીઠું કરાવી અને ગુલાબનું ફૂલ આપી ઉત્સાહભેર આવકાર્યા હતા. કલેક્ટરે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લામાં 18 માર્ચ સુધી ચાલનારી આ પરીક્ષા માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
સમગ્ર જિલ્લામાં 127 પરીક્ષા કેન્દ્રો પર કુલ 32,208 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેના માટે ત્રણ ઝોન બનાવી ઝોનલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ વર્ષે બોર્ડ દ્વારા સંવેદનશીલ કેન્દ્રોને ’તકેદારી’ અને ’ખાસ તકેદારી’ હેઠળ રાખવામાં આવ્યા છે, જેમાં થાન, પાટડી અને માલવણ જેવા વિસ્તારોમાં ખાસ પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે ધોરણ-10માં ગુજરાતી અને ધોરણ-12માં ભૌતિક વિજ્ઞાન તથા અર્થશાસ્ત્ર જેવા વિષયોની પરીક્ષા લેવામાં આવી રહી છે.
સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્ર તકેદારી અને ખાસ તકેદારી સેન્ટરથી ઓળખાશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જે કેન્દ્રો પર ભુતકાળમાં ચોરીના સહિત બનાવો સામે આવતા હોય તેને સંવેદનશીલ અને અતિ સંવેદન શીલ મથકો તરીકે ઓળખવામાં આવતા હતા. ત્યારે આ વર્ષ બોર્ડ દ્વારા આવા સંવેદનશીલ અતી સંવેદનશીલ મથકો પર પોલીસ બંદોબસ્ત સહિત તરીકે ઓળખાતા ત્યારે આ કેન્દ્રોને તકેદારી અને ખાસ તકેદારીવાળા કેન્દ્રો તરીકે માર્ક કરવામાં આવ્યા છે. તકેદારી કેન્દ્રો થાન 3 તકેદીવાળા અને પાટડી 4, માલવણ 3, રાજસીતાપુર 2 ખાસ તકેદારીવાળા કેન્દ્રો જે બિલ્ડીંગ છેત્યાં પોલીસ તૈનાત કરવામાં આવશે.



