કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 માર્ચ 2026 થી WhatsApp સહિતના તમામ મેસેજિંગ એપ્સ માટે નવા નિયમો અમલી બનશે, જેના કારણે હવે એક્ટિવ સિમ કાર્ડ (SIM) વગર આ એપ્સનો ઉપયોગ કરવો અશક્ય બની જશે. ટેલિકોમ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ‘સિમ-બાઈન્ડિંગ’ના આ નિયમમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.
શું છે નવો ‘સિમ-બાઈન્ડિંગ’ (SIM-Binding) નિયમ?
- Advertisement -
અત્યાર સુધી WhatsApp કે ટેલિગ્રામ જેવા એપ્સમાં એકવાર OTP દ્વારા લોગિન કર્યા પછી, ફોનમાં સિમ કાર્ડ હોવું અનિવાર્ય નહોતું. પરંતુ 1 માર્ચથી આ સ્થિતિ બદલાઈ જશે. નવા નિયમ મુજબ, જે મોબાઈલ નંબર પર તમારું WhatsApp એકાઉન્ટ છે, તે સિમ કાર્ડ તમારા ફોનમાં એક્ટિવ હોવું જોઈએ. જો તમે ફોનમાંથી સિમ કાઢી નાખશો અથવા તમારો નંબર રિચાર્જ ન હોવાને કારણે બંધ થઈ જશે, તો તમારું WhatsApp એકાઉન્ટ પણ કામ કરતું બંધ થઈ જશે.
ડિજિટલ ફ્રોડ અને સાયબર ક્રાઈમ પર લગામ
સરકારના આ કડક વલણ પાછળનું મુખ્ય કારણ ઓનલાઈન છેતરપિંડી અને ફેક એકાઉન્ટ્સ પર રોક લગાવવાનું છે. જ્યારે દરેક એકાઉન્ટ વેરિફાઈડ અને એક્ટિવ સિમ સાથે જોડાયેલું હશે, ત્યારે સાયબર ગુનેગારોને પકડવા સરળ બનશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ 28 નવેમ્બર 2025 ના રોજ આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી અને કંપનીઓને સિસ્ટમ અપડેટ કરવા માટે 90 દિવસનો સમય આપ્યો હતો, જેની મુદત હવે પૂર્ણ થઈ રહી છે.
- Advertisement -
ડેસ્કટોપ અને વેબ યુઝર્સ માટે પણ નિયમો કડક
માત્ર મોબાઈલ જ નહીં, પણ જો તમે કોમ્પ્યુટર કે લેપટોપ પર WhatsApp Web નો ઉપયોગ કરતા હશો, તો ત્યાં પણ દર 6 કલાકે ‘ઓટો લોગ-આઉટ’ નો નિયમ લાગુ થશે. એટલે કે દર 6 કલાકે તમારે ફરીથી QR કોડ સ્કેન કરીને લોગિન કરવું પડશે. જો તમે તમારો મોબાઈલ નંબર બદલશો અથવા સિમ બીજા ફોનમાં નાખશો, તો જૂના ડિવાઈસ પરથી તમારું એકાઉન્ટ તરત જ ઇન-એક્ટિવ થઈ જશે.




