સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે AAPની નાવડી હાલક-ડોલક
વિસાવદર જીતાડવા દોઢ મહિનો મહેનત કરી છતાં જેલવાસ વખતે ફરક્યા પણ નહીં
- Advertisement -
રાજુ કરપડાની ભાજપમાં જોડાવાની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ વળાંક સર્જાયો છે. આમ આદમી પાર્ટી (અઅઙ)ના ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના આ નિર્ણયથી પાર્ટી સંગઠનમાં ચર્ચા અને અટકળોનું બજાર ગરમાયું છે. મળતી માહિતી મુજબ, રાજુ કરપડાએ પોતાનું રાજીનામું પાર્ટીના ઉચ્ચ નેતૃત્વને સોંપ્યું છે. રાજીનામાના કારણોને લઈને સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ આંતરિક મતભેદો અને સંગઠનાત્મક મુદ્દાઓને કારણે રાજીનામુ આપ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
આ રાજીનામા અંગે રાજકીય સૂત્રોએ જણાવ્યું કે, રાજુ કરપડા ગોપાલ ઇટાલિયાથી ભારોભાર નારાજ હતા. સાડા ત્રણ મહિનાના જેલવાસ દરમિયાન તેને કોઈ મદદ નથી કે નથી તો તેની સાથે મુલાકાત કરી. જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી વિધાનસભા ચૂંટણી લડતા હતા ત્યારે દોઢ મહિના સુધી રાજુ કરપડાએ ચૂંટણી જીતાડવા મહેનત કરી હતી. પરંતુ કપરાસમયમાં ઇટાલિયાએ મદદ ન કરતા અંતે રાજીનામું ધરી દીધું છે. રાજુ કરપડાના રાજીનામાં પાછળ પ્રદેશ નેતા ભાજપનું નામ લેશે કે દબાણ હતું પણ વાત અહીં મામલો જરા જુદો છે. રાજુ કરપડાના નજીકના વ્યક્તિએ કહ્યું કે સમગ્ર મુદા પાછળ ગોપાલ ઇટાલિયા જવાબદાર છે. જે વ્યક્તિને જીતાડવા રાત દિવસ જોયા વગર દોઢ દોઢ મહિનો લડ્યા તેણે જ ખરા સમયે હાથ ઊંચા કરી લેતા લાગી આવ્યું છે. હાલ પાર્ટી તરફથી તેમના રાજીનામા અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પડાયું નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
- Advertisement -
આપ સૌરાષ્ટ્રમાં પકડ ગુમાવી શકે
રાજુ કરપડાના રાજીનામાંથી સૌરાષ્ટ્રમાં આપને મોટો ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્રમાં આપની પકડ ધીમે ધીમે મજબૂત બની રહી હતી અને ઇટાલિયાની વિસાવદર જીત બાદ કડદા પ્રથા સામે મોટું આંદોલન થયું. જેથી ખેડૂતો આપ તરફ ઢળવા લાગ્યા પણ અચાનક જ રાજુ કરપડાના રાજીનામાં બાદ પાર્ટી સૌરાષ્ટ્રમાંથી પોતાની પકડ ગુમાવશે એ વાત નક્કી છે.
ઇટાલિયા આંદોલન સમયે જશ ખાટવા દોડી ગયા
ઇટાલિયાને વિવાસદર બેઠક પર ટિકિટ મળી એ સમયથી જ રાજુ કરપડા એમની સાથે રહ્યા અને મહેનત કરી, પણ જ્યારે આંદોલન થયા એ સમયે જશ ખાટવા ગોપાલ ઇટાલિયા દોડી આવ્યા. પરંતુ જેલવાસ દરમિયાન એક પણ વખત ખબર અંતર પૂછ્યા નથી. માત્ર એટલું જ નહીં પરિવારને હિંમત આપી નથી કે કોઈ પણ જાતનો લીગલ સપોર્ટ પણ કર્યો નથી.
રાજુ કરપડા જેલ મુક્ત થતાં ગોપાલ ઇટાલિયા દોડી ગયા હતા
અંગત સૂત્રો કહે છે, જેલ મુક્ત બાદ ગોપાલ ઇટાલિયા દોડી આવ્યા હતા અને જશ ખાટવા પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે મદદની જરૂર હતી એ ખરા સમયે જ ખસી ગયા હતા. વિસાવદરમાં ખૂબ મહેનત કરી છતાં ઇટાલિયાએ એક કોલ કરવાની કે રૂબરૂ મુલાકત કરવાની પણ તસ્દી લીધી નહોતી. પાર્ટીના અન્ય લોકો નહીં પણ માત્ર ઇટાલિયાનો સ્વાર્થ જ આ રાજીનામા પાછળ હોવાનું જાણવા મળ્યું છે.



